ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
28 સપ્ટેમ્બર 2020
મુંબઈમાં જે રીતે કોરોનાના કેસો વધી રહ્યા છે. તે જોતાં મહારાષ્ટ્ર સરકાર વધુ પ્રતિબંધો લાદવાના મૂળમાં છે. બીજી લહેર આવવાની શક્યતાને જોતા રાત્રે દસ વાગ્યા બાદ વાહન વ્યવહાર બંધ કરવાની વાત સરકાર કહી રહી છે. આવનારા વાર-તહેવાર ની ઉજવણી દરમ્યાન ઓછી ભીડ કરવા જનજાગૃતિ જેવા ઉપાયો પણ સરકાર વિચારી રહી છે. આ જોતાં કહી શકાય કે આવનારા છ મહીના થોડા થોડા પ્રતિબંધો લાગુ રહેશે. આંશીક મુંબઈ બંધનું એલાનનું સારી રીતે પાલન થાય એ માટે કાયદા કાનૂનનો સહારો લેવાશે. મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે આવનારા દિવસો કડક પાબંધી ના રહેશે..
નોંધનીય છે કે છ મહિનાથી ઘરે બેસેલા લોકો લોકડાઉન માં છૂટછાટ મળતાં જ ધંધા-રોજગાર પર જવા બહાર નીકળી ગયા છે. પરંતુ, તેઓના લીધે ઘરના વડીલો સુધી કોરોનાના વાયરસ પહોંચી રહયાં છે જેને કારણે ફરી કોરોનાએ ઉથલો માર્યો છે એવી ભીતિ સેવાઈ રહી છે. આથી આ અંગે પણ જનતાએ જન જાગૃતિ લાવવી પડશે અને સરકાર પણ કડક નિયમો લાગુ કરાવશે. આ દરમ્યાન દવા, મેડીકલ અને જીવન આવશ્યક ચીજવસ્તુઓને લઈ સ્થિતિ ખરાબ ન થાય તે માટે સરકાર ખાસ દેખરેખ પણ રાખી રહી છે. ઉલ્લેખનીય છે કે મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે 'મારો પરિવાર મારી જવાબદારી અભિયાનને' પ્રભાવી બનાવવા નાગરિકોને મોટાપાયે આ અભિયાનમાં સામેલ થવાની અપીલ કરી છે.
