Site icon News Continuous Bureau | Mumbai

 મુંબઈમાં કોરોનાની બીજી લહેરની શક્યતા.. કોરોનાના વધતા કેસો જોતા કડક પગલાં ભરવા જરૂરી: ઉદ્ધવ ઠાકરે 

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

28 સપ્ટેમ્બર 2020

મુંબઈમાં જે રીતે કોરોનાના કેસો વધી રહ્યા છે. તે જોતાં મહારાષ્ટ્ર સરકાર વધુ પ્રતિબંધો લાદવાના મૂળમાં છે. બીજી લહેર આવવાની શક્યતાને જોતા રાત્રે દસ વાગ્યા બાદ વાહન વ્યવહાર બંધ કરવાની વાત સરકાર કહી રહી છે. આવનારા  વાર-તહેવાર ની ઉજવણી દરમ્યાન ઓછી ભીડ કરવા જનજાગૃતિ જેવા ઉપાયો પણ સરકાર વિચારી રહી છે. આ જોતાં કહી શકાય કે આવનારા છ મહીના થોડા થોડા પ્રતિબંધો લાગુ રહેશે. આંશીક મુંબઈ બંધનું એલાનનું સારી રીતે પાલન થાય એ માટે કાયદા કાનૂનનો સહારો લેવાશે. મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે આવનારા દિવસો કડક પાબંધી ના રહેશે.. 

નોંધનીય છે કે છ મહિનાથી ઘરે બેસેલા લોકો લોકડાઉન માં છૂટછાટ મળતાં જ ધંધા-રોજગાર પર જવા બહાર નીકળી ગયા છે. પરંતુ,  તેઓના લીધે ઘરના વડીલો સુધી કોરોનાના વાયરસ પહોંચી રહયાં છે જેને કારણે ફરી કોરોનાએ ઉથલો માર્યો છે એવી ભીતિ સેવાઈ રહી છે. આથી આ અંગે પણ જનતાએ જન જાગૃતિ લાવવી પડશે અને સરકાર પણ કડક નિયમો લાગુ કરાવશે. આ દરમ્યાન દવા, મેડીકલ અને જીવન આવશ્યક ચીજવસ્તુઓને લઈ સ્થિતિ ખરાબ ન થાય તે માટે સરકાર ખાસ દેખરેખ પણ રાખી રહી છે. ઉલ્લેખનીય છે કે મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે 'મારો પરિવાર મારી જવાબદારી અભિયાનને' પ્રભાવી બનાવવા નાગરિકોને મોટાપાયે આ  અભિયાનમાં સામેલ થવાની અપીલ કરી છે.

Dombivli Traffic Police Action। ડોમ્બિવલીમાં બેફામ રિક્ષાચાલકો પર પોલીસની તવાઈ સાત ચાલકો વિરુદ્ધ ફોજદારી ગુના દાખલ
Gold Smuggling Bust। મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સની તવાઈ બે અલગઅલગ કેસમાં ૩.૧૫ કરોડનું સોનું ઝડપાયું
Mumbai Drug Bust। વર્સોવામાં એન્ટી નાર્કોટિક્સ સેલનો સપાટો ૩.૮૨ કરોડનું હેરોઈન જપ્ત
Jogeshwari Doctor Blackmail। જોગેશ્વરી ટ્રોમા કેર હોસ્પિટલના ડોક્ટરને બ્લેકમેલ કરી ૧૫ લાખની ખંડણી મંગાઈ; મહિલા સહિતની ગેંગ સામે FIR
Exit mobile version