Site icon

આનંદો : મુંબઈ શહેરમાં હવે લોકડાઉનની શક્યતા નહીવત, જોકે સરકાર આકરા પગલાં લેવાનું ચાલુ રાખશે.

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

16 માર્ચ 2021

મુંબઈ શહેરમાં લોકડાઉન ક્યારે લાગશે? શું લોકડાઉન થશે? હવે શું થશે? આ તમામ અટકળો પર હાલ પૂર્ણ વિરામ આવ્યો હોય તેવું લાગી રહ્યું છે. મહારાષ્ટ્ર સરકારે મોડી રાત્રે હુકમ જાહેર કરીને અનેક પ્રતિબંધો લાદ્યા છે. આ ઉપરાંત મુંબઈ મહાનગરપાલિકાએ પણ વિશેષ પગલા લીધા છે. આ બંને પગલા પરથી એવું લાગી રહ્યું છે કે જો સરકારે લોકડાઉન લગાવવું હોત તો આ પગલાં લેવાની કોઈ જરૂર નહોતી. આ તમામ પગલાઓ ૩૧મી માર્ચ સુધી લાગુ રહેશે. આનો અર્થ એમ થાય છે કે આડકતરી રીતે 31 માર્ચ સુધી લોકડાઉન નહિ લાગે.

સરકારે જે નવા પગલા લીધા છે તે મુજબ હવે રેસ્ટોરન્ટ અને હોટલ ૫૦ ટકા હાજરી સાથે ચાલી શકશે.

આ ઉપરાંત લગ્ન સમારંભમાં માત્ર 50 લોકો આવી શકશે તેમ જ અંતિમ સંસ્કાર દરમિયાન ૨૦ લોકોને પરવાનગી રહેશે.

મુંબઈ મહાનગરપાલિકા ના અધિકારીએ પત્રકારો સાથે વાતચીત દરમિયાન જણાવ્યું કે અમે મુંબઈ ની પરિસ્થિતિ નજીકથી જોઈ રહ્યા છીએ. આથી હાલ લોકડાઉન સંદર્ભે કોઈ નિર્ણય લેવાયો નથી.

આમ મુંબઈ શહેરના માથેથી લોકડાઉન ની ઘાત હમણાં ટળી છે.

Vishvabharati Sansthan Event:’જૂઈ – મેળો ‘ નું વાર્ષિક અધિવેશન મલાડ, મુંબઈમાં સંપન્ન થયું
Mumbai Cyber Crime: નકલી જ્યોતિષની જાળમાં ફસાયેલી પત્નીને પતિએ ૧ કલાક ૪૫ મિનિટ સુધી ફોન પર વાત કરી મોતના મુખમાંથી બચાવી
Tata Hospital Accident:ટાટા હોસ્પિટલના બાંધકામ સ્થળે મોતનો સળિયો: પાંચમા માળેથી સળિયો પડતા શ્રમિકનું કમકમાટીભર્યું મોત; એન્જિનિયર અને સુપરવાઈઝર વિરુદ્ધ FIR
Mumbai Vidhan Bhavan: વિધાન ભવન બહાર હાઈવોલ્ટેજ ડ્રામા: ખેડૂતે આત્મવિલોપનના નામે પોતાના પર ‘રસના’ રેડ્યું! જાણો પોલીસ કેમ ચોંકી ગઈ?
Exit mobile version