Site icon

આનંદો : મુંબઈ શહેરમાં હવે લોકડાઉનની શક્યતા નહીવત, જોકે સરકાર આકરા પગલાં લેવાનું ચાલુ રાખશે.

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

16 માર્ચ 2021

મુંબઈ શહેરમાં લોકડાઉન ક્યારે લાગશે? શું લોકડાઉન થશે? હવે શું થશે? આ તમામ અટકળો પર હાલ પૂર્ણ વિરામ આવ્યો હોય તેવું લાગી રહ્યું છે. મહારાષ્ટ્ર સરકારે મોડી રાત્રે હુકમ જાહેર કરીને અનેક પ્રતિબંધો લાદ્યા છે. આ ઉપરાંત મુંબઈ મહાનગરપાલિકાએ પણ વિશેષ પગલા લીધા છે. આ બંને પગલા પરથી એવું લાગી રહ્યું છે કે જો સરકારે લોકડાઉન લગાવવું હોત તો આ પગલાં લેવાની કોઈ જરૂર નહોતી. આ તમામ પગલાઓ ૩૧મી માર્ચ સુધી લાગુ રહેશે. આનો અર્થ એમ થાય છે કે આડકતરી રીતે 31 માર્ચ સુધી લોકડાઉન નહિ લાગે.

સરકારે જે નવા પગલા લીધા છે તે મુજબ હવે રેસ્ટોરન્ટ અને હોટલ ૫૦ ટકા હાજરી સાથે ચાલી શકશે.

આ ઉપરાંત લગ્ન સમારંભમાં માત્ર 50 લોકો આવી શકશે તેમ જ અંતિમ સંસ્કાર દરમિયાન ૨૦ લોકોને પરવાનગી રહેશે.

મુંબઈ મહાનગરપાલિકા ના અધિકારીએ પત્રકારો સાથે વાતચીત દરમિયાન જણાવ્યું કે અમે મુંબઈ ની પરિસ્થિતિ નજીકથી જોઈ રહ્યા છીએ. આથી હાલ લોકડાઉન સંદર્ભે કોઈ નિર્ણય લેવાયો નથી.

આમ મુંબઈ શહેરના માથેથી લોકડાઉન ની ઘાત હમણાં ટળી છે.

Dharavi fire Mumbai: ધારાવીમાં લાગી આગ: બાંદ્રા-માહિમ વચ્ચે ટ્રેન સેવાઓ ખોરવાઈ, ૫ ટ્રેનોને અસર
Mangal Prabhat Lodha threat case: મંત્રી મંગલપ્રભાત લોઢાને ધારાસભ્ય અસ્લમ શેખની ધમકી: પોલીસ કમિશનરને ફરિયાદ દાખલ
Mumbai Local Railway: મુંબઈકરો માટે અગત્યના સમાચાર; રવિવારે રેલવેના ‘આ’ માર્ગો પર રહેશે મેગાબ્લોક
Travis Scott concert: ચોરોની ‘ચાંદી’: રૅપર ટ્રેવિસ સ્કૉટના કૉન્સર્ટમાં ચોરોએ મચાવ્યો હાહાકાર, ૩૬ લોકોના અધધ આટલા લાખના કિંમતી સામાનની ચોરી.
Exit mobile version