335
Join Our WhatsApp Channel
બોમ્બે હાઇકોર્ટે કોરોના કાળમાં વકીલોને લોકલ ટ્રેનમાં મુસાફરી કરવાની પરવાનગી આપવા માટે મહારાષ્ટ્ર સરકારને વિચારણા કરવા કહ્યું છે.
ખંડપીઠે કહ્યું કે વકીલોને હાલમાં સ્થાનિક ટ્રેનોમાં મુસાફરી કરવાની છૂટ નથી, તેથી તેઓ સુનાવણી માટે ઓફિસ અથવા કોર્ટમાં પહોંચી શકતા નથી. આને કારણે અદાલતોમાં પેન્ડીંગ કેસોની સંખ્યા પણ વધી રહી છે.
હાલમાં, બોમ્બે હાઈકોર્ટ અને મોટાભાગની ગૌણ અદાલતો વિડીયો કોન્ફરન્સ દ્વારા તાત્કાલિક બાબતોની સુનાવણી કરી રહી છે.
જોકે કેટલાક કેસોમાં વકીલોને રૂબરૂમાં કોર્ટમાં હાજર રહેવાની મંજૂરી આપવામાં આવી છે.
You Might Be Interested In