વાહ- મુંબઈમાં સાંભળવા મળશે જૂનાગઢના સિંહની ગર્જના- મહારાષ્ટ્ર-ગુજરાત વચ્ચે થશે પ્રાણીઓની અદલાબદલી  

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

બહુ જલદી મુંબઈના(Mumbai) બોરીવલીમાં(Borivali) આવેલા સંજય ગાંધી નેશનલ પાર્કમાં(Sanjay Gandhi National Park) સિંહોની(Lions) ગર્જના સાંભળવા મળવાની છે.

 ગુજરાતના જૂનાગઢના(Junagadh in Gujarat) સક્કરબાગ પાર્કમાંથી(Sakkarbagh Park) નર અને માદા સિંહો (એશિયાટિક સિંહો)ની(Asiatic lions) જોડી ટૂંક સમયમાં મુંબઈના બોરીવલી સ્થિત સંજય ગાંધી નેશનલ પાર્કમાં મોકલવામાં આવવાની છે.

ગુજરાત તરફથી મહારાષ્ટ્રને સિંહની જોડી મળશે. તો તેની સામે મહારાષ્ટ્રમાંથી વાધની જોડી(pair of tigers) ગુજરાતના જૂનાગઢમાં મોકલવામાં આવવાની છે, તેવી માહિતી રાજ્યના વનમંત્રી સુધીર મુનગંટીવારે આપી હતી. 

આ સમાચાર પણ વાંચો : મુંબઈ પોલીસની મોટી કાર્યવાહી- ડોન દાઉદ ઈબ્રાહિમના આ નજીકના સાથીદારની અંધેરીમાંથી કરી ધરપકડ- આજે કોર્ટમાં કરશે રજૂ

ગુજરાત રાજ્યના વન મંત્રી(State Forest Minister) શ્રી જગદીશ વિશ્વકર્મા(Shri Jagadish Vishwakarma) અને શ્રી.સુધીર મુનગંટીવારે(Shri Sudhir Mungantiwar)  સોમવાર, 26 સપ્ટેમ્બરે અમદાવાદમાં(Ahmedabad) પ્રાણીની અદલાબદલીને મુદ્દે ચર્ચા કરી હતી અને તેના પર સહમતી સાધવામાં આવી હતી. હવે બંને રાજ્યો વચ્ચેના કરારને કેન્દ્ર તરફથી મંજૂરી મળશે.

લાંબા સમયથી ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે પ્રાણીઓની અદલાબદલીને(Exchanging animals) લઈને ચર્ચા ચાલી રહી હતી. છેવટે આ મુદ્દે સુધીર મુનગંટીવાર અને ગુજરાત રાજ્ય મંત્રી શ્રી વિશ્વકર્માએ સોમવાર, 26 સપ્ટેમ્બરના રોજ વિગતવાર ચર્ચા કરી હતી અને નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળ્યું હતું. 
 

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment