Site icon News Continuous Bureau | Mumbai

Maharashtra Politics: મુંબઈના શિવાજી પાર્ક મેદાનમાં શિંદે અને ઉદ્ધવ જૂથના સમર્થકો વચ્ચે અથડામણ..જુઓ વિડીયો..

Maharashtra Politics: શિવસેનાના સ્થાપક બાળાસાહેબ ઠાકરેની 11મી પુણ્યતિથિની પૂર્વસંધ્યાએ, એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે જૂથના કાર્યકરો સામસામે આવી ગયા હતા. આ દરમિયાન બંને જૂથના સમર્થકો વચ્ચે ઝપાઝપી થઈ હતી..

Maharashtra Politics: Clash between supporters of Shinde and Uddhav group in Mumbai's Shivaji Park Maidan..Watch video

Maharashtra Politics: Clash between supporters of Shinde and Uddhav group in Mumbai's Shivaji Park Maidan..Watch video

News Continuous Bureau | Mumbai

 Maharashtra Politics: શિવસેના (Shiv Sena) ના સ્થાપક બાળાસાહેબ ઠાકરે (Balasaheb Thackeray) ની 11મી પુણ્યતિથિની પૂર્વસંધ્યાએ, એકનાથ શિંદે (Eknath Shinde) અને ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) જૂથના કાર્યકરો સામસામે આવી ગયા હતા. બંને જૂથના કાર્યકરો સ્વર્ગસ્થ બાળ ઠાકરેના સ્મારક પર પહોંચ્યા હતા. આ દરમિયાન બંને જૂથના સમર્થકો વચ્ચે ઝપાઝપી થઈ હતી, પરંતુ ત્યાં હાજર પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવીને તેમને વિખેર્યા હતા.

Join Our WhatsApp Community

સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ઉદ્ધવ ઠાકરેના સમર્થકોએ ‘દેશદ્રોહી ગો બેક’ના નારા લગાવ્યા હતા. જ્યારે શિંદેના સમર્થકોએ ઊંચા અવાજમાં કહ્યું કે પાર્ટી તેમની છે. આ ઘટના ત્યારે બની જ્યારે મુખ્યમંત્રી શિંદે બાળ ઠાકરેને શ્રદ્ધાંજલિ આપવા માટે દાદર (Dadar) ના શિવાજી પાર્ક (Shivaji Park) ખાતેના સ્મારક પર પહોંચ્યા હતા.

શિવાજી પાર્કમાં થયેલી અથડામણ પર સીએમ શિંદેએ કહ્યું કે બાળા સાહેબ ઠાકરેના પુણ્યતિથિની દિવસે કોઈએ ખલેલ પહોંચાડવી જોઈએ નહીં, બાળા સાહેબના પુણ્યતિથિની દિવસે આવી વાતો કરવી યોગ્ય નથી, કાયદો અને વ્યવસ્થા જાળવવી દરેકની જવાબદારી છે.

 કોઈએ ઉપદ્રવ ન કરવો જોઈએ: શિંદે..

તેમણે કહ્યું કે કાયદો અને વ્યવસ્થાની સમસ્યાઓથી બચવા માટે અમે બાળા સાહેબ ઠાકરેને શ્રદ્ધાંજલિ આપવા માટે મેમોરિયલ ડેના એક દિવસ પહેલા આવ્યા છીએ. સીએમએ કહ્યું કે તેમના સ્મારક દિવસે હંગામો મચાવવાનો પ્રયાસ નિંદનીય અને અત્યંત વાંધાજનક છે. કોઈએ સ્વર્ગસ્થ બાળા સાહેબના પુણ્યતિથિના દિવસનું અપમાન કરવાનો પ્રયાસ ન કરવો જોઈએ.

આ સમાચાર પણ વાંચોઃ UCO Bank IMPS Service : આ બેન્કના ગ્રાહકો બની ગયા રાતોરાત કરોડપતિ, એકાઉન્ટમાં આવી ગયા 820 કરોડ રૂપિયા, પછી શું થયું? જાણો વિગતે અહીં..

મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું કે, આજે બાળા સાહેબના પુણ્યતિથિના દિવસે, હું સ્મારક પર ગયો ત્યાં સુધી ત્યાં કોઈ આવ્યું નહોતું, પરંતુ જ્યારે હું ગયો ત્યારે UBT જૂથના નેતા અનિલ દેસાઈ અને અનિલ પરબ ત્યાં આવ્યા અને અમારી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવા લાગ્યા. તેમજ અમારી મહિલા પાર્ટીના કાર્યકરો સામે અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો. શિંદેએ યાદ અપાવ્યું કે આ આદરણીય બાળાસાહેબ ઠાકરેના ઉપદેશો નથી, પરંતુ તેમના પુણ્યતિથિના દિવસે અશાંતિ ફેલાવવાના પ્રયાસો દુર્ભાગ્યપૂર્ણ છે અને તેને સહન કરી શકાય નહીં.

જ્યારે સીએમ જવા લાગ્યા ત્યારે ઉદ્ધવ ઠાકરે જૂથના કાર્યકરોએ સૂત્રોચ્ચાર શરૂ કર્યા. તેમણે કહ્યું કે એકનાથ શિંદે દેશદ્રોહી છે અને તેમણે બાળા સાહેબને શ્રદ્ધાંજલિ આપવા ન આવવું જોઈએ. આ પછી બંને તરફથી ભારે સૂત્રોચ્ચાર થયા હતા. લગભગ બે થી ત્રણ કલાક સુધી આવું ચાલતું રહ્યું. જો કે મોટી સંખ્યામાં હાજર પોલીસે સ્થિતિને કાબુમાં લીધી હતી. સદનસીબે પોલીસને બળપ્રયોગ ન કરવો પડ્યો.

પત્રકારો સાથે વાત કરતા સીએમ શિંદેએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિર બનાવવાનું શિવસેનાના દિવંગત સ્થાપકનું સ્વપ્ન સાકાર કર્યું છે. તેમણે કહ્યું કે દિવંગત બાળ ઠાકરેની જન્મજયંતિની પૂર્વ સંધ્યાએ તેનું ઉદ્ઘાટન કરવામાં આવશે.

 એકનાથ શિંદેના બળવા પછી, ગયા વર્ષે જૂનમાં શિવસેનામાં વિભાજન થઈ ગયું…

બાળા સાહેબ ઠાકરેનો જન્મ 23 જાન્યુઆરી 1926ના રોજ થયો હતો, જ્યારે અયોધ્યામાં રામ મંદિરની મૂર્તિનો અભિષેક 22 જાન્યુઆરીએ થશે. શિંદેએ કહ્યું કે તેમની સરકાર બાળ ઠાકરેના સપના અને આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે કામ કરી રહી છે.

એકનાથ શિંદેના બળવા પછી, ગયા વર્ષે જૂનમાં શિવસેનામાં વિભાજન થઈ ગયું હતુ અને ત્યારથી બંને જૂથો બાળ ઠાકરેના વારસાનો દાવો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, જેમને તેમના સમર્થકો આદરપૂર્વક ‘હિંદુ હ્રદય સમ્રાટ’ કહે છે.

Chocolate Theft in Borivali: બોરીવલી સુપર માર્કેટમાંથી ₹12 હજારની ચોકલેટ ચોરનાર 19 વર્ષીય યુવક ઝડપાયો
Tension in Worli: ડીજે મ્યુઝિક વગાડવા બાબતે પોલીસ સાથે ઘર્ષણ: રોષે ભરાયેલા કાર્યકરોએ વરલીમાં રસ્તા રોકીને ચક્કાજામ સર્જ્યો
Goa CM Photo Fraud:ગોવા CM સાથેના ફોટા બતાવી ઉદ્યોગપતિ સાથે ₹1.13 કરોડની છેતરપિંડી ઠગ ડોક્ટરની ધરપકડ
Thane Fake Tantrik Arrest: અંધશ્રદ્ધાના નામે ₹2.5 કરોડ પડાવનાર ઠગ તાંત્રિક ગોવાથી ઝડપાયો: થાણે ક્રાઈમ બ્રાન્ચની મોટી સફળતા
Exit mobile version