Maharashtra Rajya Sabha Polls: કોનું નસીબ ચમકશે? રાજ્યસભા માટે ભાજપની નવી યાદી તૈયાર; ફડણવીસના ‘સાગર’ બંગલે બેઠકોનો દોર શરૂ, આ ૪ ચહેરાઓ રેસમાં સૌથી આગળ

Maharashtra Rajya Sabha Polls: વિનોદ તાવડેની સક્રિય રાજકારણમાં વાપસીની ચર્ચા; અજિત પવારના નિધન બાદ બદલાયેલા સમીકરણો વચ્ચે પાર્થ પવાર અને રાહુલ શેવાળેના નામો પણ રેસમાં.

by Akash Rajbhar
Maharashtra Rajya Sabha Polls CM Fadnavis to Finalize BJP Candidates Today; Vinod Tawde and Ramdas Athawale Likely in the Race.

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રમાં રાજ્યસભાની ૭ બેઠકો માટે યોજાનારી ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ થયો છે. ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા ઉમેદવારો નક્કી કરવાની પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે. આજે, ૨૪ ફેબ્રુઆરીએ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નિવાસસ્થાને પાર્ટીની કોર કમિટીની મહત્વની બેઠક મળશે, જેમાં ૪ ઉમેદવારોના નામો પર આખરી મહોર લાગે તેવી શક્યતા છે. વિધાનસભામાં સંખ્યાબળ મુજબ મહાયુતિ ૬ બેઠકો જીતી શકે તેમ છે.ભાજપ ૪ બેઠકો પર ચૂંટણી લડવાની તૈયારીમાં છે, જેમાં રામદાસ આઠવલેનું નામ લગભગ નક્કી માનવામાં આવે છે. બાકીની ત્રણ બેઠકો માટે વિનોદ તાવડે, વિજયા રહાટકર અને ધૈર્યશીલ પાટીલના નામોની ચર્ચા છે. ખાસ કરીને રાષ્ટ્રીય સ્તરે સંગઠનમાં સક્રિય રહેલા વિનોદ તાવડેને જો રાજ્યસભામાં મોકલવામાં આવે, તો તેને તેમની સક્રિય રાજકારણમાં ‘રી-એન્ટ્રી’ તરીકે જોવામાં આવશે.

પાર્થ પવાર અને રાહુલ શેવાળેના નામો પર મંથન

મહાયુતિના અન્ય પક્ષોની વાત કરીએ તો, રાષ્ટ્રવાદી કોંગ્રેસ (અજિત પવાર જૂથ) તરફથી પાર્થ પવારને રાજ્યસભામાં મોકલવાની પ્રબળ ઈચ્છા પક્ષના નેતાઓની છે. સુનેત્રા પવારે રાજ્યસભામાંથી રાજીનામું આપ્યા બાદ આ બેઠક ખાલી પડી છે. બીજી તરફ, શિવસેના (શિંદે જૂથ) માંથી પૂર્વ સાંસદ રાહુલ શેવાળેનું નામ લગભગ નક્કી મનાય છે. જોકે, વરિષ્ઠ નેતા ગજાનન કીર્તિકર પણ ઈચ્છુક છે, પરંતુ તેમની ઉંમરને જોતા પક્ષ શેવાળે પર પસંદગી ઉતારી શકે છે.

આ સમાચાર પણ વાંચો : PM Mark Carney India Visit: ભારતને ખુશ કરવા કેનેડાનો મોટો દાવ! પીએમ માર્ક કાર્નીના આગમન પહેલા આતંકી તહવ્વુર રાણા પર એક્શન; નાગરિકતા છીનવાશે.

મહાવિકાસ આઘાડીમાં એક બેઠક માટે ખેંચતાણ

મહાવિકાસ આઘાડી (MVA) ના ફાળે આવતી એક બેઠક માટે કોંગ્રેસ અને શિવસેના (UBT) એ પોતાનો દાવો રજૂ કર્યો છે. જોકે, આ બેઠકનું ભાવિ શરદ પવારના નિર્ણય પર નિર્ભર છે. ૮૫ વર્ષીય શરદ પવાર હાલમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, તેથી તેઓ ફરીથી ચૂંટણી લડશે કે કેમ તે અંગે હજુ સ્પષ્ટતા નથી. MVA પાસે એક બેઠક જીતવા માટે જરૂરી ૩૭ મતો કરતા વધુ (કુલ ૪૬ ધારાસભ્યો) સંખ્યાબળ છે, પરંતુ આંતરિક વિખવાદનો લાભ ભાજપ ઉઠાવી શકે છે.

અજિત પવારના અવસાન બાદ બદલાયેલા સમીકરણો

તાજેતરમાં જ રાજ્યના ડેપ્યુટી સીએમ અજિત પવારના વિમાન અકસ્માતમાં થયેલા દુઃખદ અવસાન બાદ આ ચૂંટણી યોજાઈ રહી છે. તેમના નિધન પહેલા બંને રાષ્ટ્રવાદી જૂથોના વિલય અંગેની ચર્ચાઓ ચાલતી હતી, પરંતુ હવે રાજ્યસભાની ચૂંટણીમાં બંને જૂથોની ભૂમિકા અત્યંત નિર્ણાયક બની રહેશે. ભાજપ પોતાના ચારેય ઉમેદવારોને જીતાડવા માટે વ્યૂહાત્મક ગોઠવણ કરી રહ્યું છે, જેથી વિપક્ષી છાવણીમાં કોઈ ગાબડું પડે તો તેનો રાજકીય લાભ મેળવી શકાય.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More