Vande Bharat Express: મુંબઈથી ઉપડતી વંદે ભારત એક્સપ્રેસ પર આવ્યું મોટું અપડેટ! સમયપત્રકમાં થયો ફેરફાર, હવે આ સ્ટેશનો પર ઊભી રહેશે ટ્રેન.

Vande Bharat Express: મુંબઈ–ગાંધીનગર વંદે ભારત એક્સપ્રેસના સમયપત્રકમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે આણંદ જંકશન પર નવો સ્ટોપ આપવામાં આવ્યો છે, જેથી ટ્રેનના કુલ સ્ટોપ ૮ થઈ ગયા છે.

by Dr. Mayur Parikh
Vande Bharat Express મુંબઈથી ઉપડતી વંદે ભારત એક્સપ્રેસ પર આવ્યું મોટું અપડેટ

News Continuous Bureau | Mumbai
ભારતીય રેલવેની સૌથી પ્રીમિયમ ટ્રેન તરીકે ઓળખાતી વંદે ભારત એક્સપ્રેસ મુસાફરોની પ્રિય બની ગઈ છે. આ એક્સપ્રેસ ઓછા સમયમાં વધુ અંતર કાપે છે અને આધુનિક સુવિધાઓને કારણે તેને ખૂબ પસંદ કરવામાં આવે છે. આ દરમિયાન, ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૨ ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લીલી ઝંડી બતાવીને શરૂ કરવામાં આવેલી દેશની ત્રીજી વંદે ભારત એક્સપ્રેસના સમયપત્રકમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે. આ ટ્રેન પશ્ચિમ રેલવે ઝોન દ્વારા સંચાલિત છે.

હવે ૮ સ્ટેશનો પર સ્ટોપ

પહેલા સાત સ્ટેશનો પર ઊભી રહેતી ટ્રેન નંબર ૨૦૯૦૧/૨૦૯૦૨ હવે આઠ સ્ટેશનો પર ઊભી રહેશે. આણંદ જંકશન ખાતે નવો સ્ટોપ ઉમેરવામાં આવ્યો છે. આમ, હવે આ વંદે ભારત એક્સપ્રેસ બોરીવલી, વાપી, વલસાડ, નવસારી, સુરત, વડોદરા જંકશન, આણંદ જંકશન અને અમદાવાદ જંકશન પર ઊભી રહેશે. આ ટ્રેન બુધવાર સિવાય અઠવાડિયામાં રોજ દોડશે.

આ સમાચાર પણ વાંચો : MHADA: મ્હાડા ના ઘર હવે લોટરી વગર વેચાશે! જાણો શા માટે લેવાયો આ નિર્ણય

વદે ભારત એક્સપ્રેસનું નવું સમયપત્રક

વંદે ભારત એક્સપ્રેસ (ટ્રેન નંબર ૨૦૯૦૧) મુંબઈ સેન્ટ્રલથી સવારે ૬ વાગ્યે ઉપડે છે અને બપોરે ૧૨:૨૫ વાગ્યે ગાંધીનગર રાજધાની પહોંચે છે. પરત મુસાફરીમાં ટ્રેન નંબર ૨૦૯૦૨ ગાંધીનગરથી બપોરે ૨:૦૫ વાગ્યે ઉપડે છે અને રાત્રે ૮:૩૦ વાગ્યે મુંબઈ સેન્ટ્રલ પહોંચે છે. હવે આ સમયપત્રકમાં આણંદનો સ્ટોપ પણ ઉમેરવામાં આવ્યો છે, જેનાથી મુસાફરોને વધુ સુવિધા મળશે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More