Mumbai: મુંબઈના આ જળાશયના પુન:નિર્માણ અંગે જરૂરી કાર્યવાહી કરવા ઉઠી માંગ, સ્થાનિક વિધાનસભ્ય મંગલ પ્રભાત લોઢાએ મુખ્યમંત્રી અને કમિશ્નરને લખ્યો પત્ર

Mumbai: મલબાર હિલ જળાશયના પુન:નિર્માણ અંગે જરૂરી કાર્યવાહી કરવા માગ સ્થાનિક વિધાનસભ્ય મંગલ પ્રભાત લોઢાએ મુખ્યમંત્રી અને કમિશ્નરને લખ્યો પત્ર

by Hiral Meria
Mangal Prabhat Lodha has written a letter to the CM and the Commissioner demanding necessary action regarding the reconstruction of this reservoir in Mumbai.

 News Continuous Bureau | Mumbai

Mumbai:  મહારાષ્ટ્રનાં કેબિનેટ પ્રધાન અને મલબાર હિલ ( Malabar Hill ) મતવિસ્તારના ધારાસભ્ય મંગલ પ્રભાત લોઢાએ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને ( Eknath shinde ) પત્ર લખીને મલબાર હિલ ખાતેના જળાશયના પુનર્નિર્માણ અંગે જરૂરી પગલાં લેવા વિનંતી કરી છે. આ સાથે જ તેમણે મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર ઈકબાલ સિંહ ચહલને પણ પત્ર લખીને નાગરિકોની સમસ્યાઓની રજૂઆત કરી છે અને અધિકારીઓની બેઠક યોજીને તાત્કાલિક નિર્ણય લેવા સૂચન કર્યું છે. 

ગયા વર્ષે, મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને મલબાર હિલ ખાતેના જળાશયના પુનર્નિર્માણની ( Reservoir reconstruction ) દરખાસ્ત કરી હતી. આ દરખાસ્ત મુજબ જળાશયના પુનઃનિર્માણ માટે ૩૮૯ વૃક્ષોની કતલ કરવાની હોવાથી નાગરિકોએ તેનો વિરોધ કર્યો હતો.

મંત્રી મંગલ પ્રભાત લોઢા ( Mangal Prabhat Lodha )  , લોકોના પ્રતિનિધિ તરીકે, મ્યુનિસિપલ અધિકારીઓ અને નાગરિકોને ચર્ચા માટે એક મંચ ઉપર લાવ્યા હતા. દરેકને તેમના મંતવ્યો રજૂ કરવાની તક આપવા માટે પુનઃનિર્માણના મુદ્દા પર શ્રેષ્ઠ વિકલ્પ શોધવા માટે સમયાંતરે બેઠકો યોજવામાં આવી હતી. આ બેઠકમાં થયેલી ચર્ચા-વિચારણા બાદ આ મુદ્દાના ઉકેલ માટે નિષ્ણાતોની સમિતિની રચના કરવામાં આવી હતી. આ સમિતિમાં સ્થાનિક નાગરિકો, ક્ષેત્રના નિષ્ણાતો, આઈઆઈટીના નિષ્ણાતો અને મ્યુનિસિપલ અધિકારીઓનો સમાવેશ થતો હતો.

આ સમાચાર પણ વાંચો  :  Saudi Arabia Ramadan: રમઝાન પહેલા સાઉદી અરેબિયામાં મોટી કાર્યવાહી, અત્યાર સુધીમાં 23 હજારથી વધુ લોકોની ધરપકડ.

મંત્રી મંગલપ્રભાત લોઢાએ પત્રમાં જણાવ્યું છે કે આ સમિતિએ બે વખત જળાશયનું નિરીક્ષણ કર્યું છે અને રીકન્સ્ટ્રકશનને બદલે રિપેર શક્ય છે તેવો રિપોર્ટ સુપરત કર્યો છે. પરંતુ તેનો ઉકેલ લાવવામાં મહાનગરપાલિકાને સફળતા મળી નથી. જેમ જેમ નિર્ણય લેવામાં સમય લાગી રહ્યો છે તેમ તેમ નાગરિકોની મુશ્કેલી વધી રહી છે. તેમણે મુખ્ય પ્રધાન શિંદેને વિનંતી કરી કે તેઓ આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને સંબંધિત પક્ષોને યોગ્ય સૂચના આપે

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More