News Continuous Bureau | Mumbai
Mangal Prabhat Lodha: મુંબઇ ઉપનગરીય જિલ્લાના વિકાસ માટેની વાર્ષિક યોજના (સામાન્ય) હેઠળ ૧૦૮૮. ૭૧ કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી હોવાનું મુંબઇ ઉપનગરીય ( Mumbai Suburban ) પાલક મંત્રી મંગલ પ્રભાત લોઢાઐ જણાવ્યું હતું. આ ફાળવણીમાં ૧૦૧૨ કરોડ, અનુસૂચિત જાતિ પેટા-યોજના હેઠળ, અને ૭૧ કરોડ વર્ષ ૨૦૨૪-૨૫ માં પરંપરાગત પેટા-યોજના (OTSP) હેઠળ તથા ૫.૭૧ કરોડ મુંબઈ ઉપનગરીય જિલ્લાના નાગરિકો અને ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં સુવિધા ઉભી કરવા માટે ફાળવવામાં આવ્યા છે.
મુંબઈ ઉપનગર જિલ્લાની જિલ્લા આયોજન સમિતિની બેઠકમાં પાલક મંત્રી મંગલ પ્રભાત લોઢા ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે જિલ્લા આયોજન સમિતિના ( District Planning Committee ) સભ્ય સાંસદ સંજય દીના પાટીલ, કલેક્ટર રાજેન્દ્ર ક્ષીરસાગર, મુંબઈ મહાનગરપાલિકાના ( BMC ) કમિશનર ભૂષણ ગગરાણી અને વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મંત્રી શ્રી લોઢાએ જણાવ્યું હતું કે આયોજન વિભાગ દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫ માટે કુલ ૩૩૭.૩૯ કરોડનું ભંડોળ ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. વર્ષ ૨૦૨૪-૨૫ માં ૧૯.૯૦ કરોડના નવા કામોને આખરે વહીવટી મંજુરી આપવામાં આવી છે અને વર્ષ ૨૦૨૩-૨૪ માં વહીવટી મંજુરી આપવામાં આવેલા કામોના બાકીના ભંડોળ (સ્પિલ ઓવર) ૧૮૫.૫૬ કરોડ રૂપિયામાં ફાળવવામાં આવ્યા છે પ્રાપ્ત ભંડોળમાંથી ૫૧% ખર્ચ કરવામાં આવ્યો છે. મુંબઈ ઉપનગર જિલ્લો ખર્ચની દ્રષ્ટિએ રાજ્યમાં પ્રથમ ક્રમે છે.
મંત્રી શ્રી લોઢાએ જણાવ્યું હતું કે ઝૂંપડપટ્ટીના રહેવાસીઓનું જીવનધોરણ સુધારવા માટે વિવિધ પગલાં લેવામાં આવ્યા છે. ૨૦૧૧ ની વસ્તી ગણતરી મુજબ, મુંબઈ ઉપનગરીય જિલ્લાની ૪૬ ટકા વસ્તી ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં રહે છે અને આ ઝુંપડપટ્ટીમાં મૂળભૂત નાગરિક સુવિધાઓ પુરી કરવા માટે ઉપલબ્ધ મહત્તમ ભંડોળનો ખર્ચ કરવાનું સૂચન કરવામાં આવ્યું છે. ઝૂંપડપટ્ટીના રહેવાસીઓના જીવનની જાહેર ગુણવત્તા સુધારવા માટે વર્ષ ૨૦૨૪-૨૫ માં આ વાર્ષિક યોજના બનાવાઇ છે. જે અંતર્ગત રસ્તાઓ, ગટર વ્યવસ્થા, પાણી પુરવઠા, વિજળી વ્યવસ્થા, જાહેર જમીન પર રમતગમતના મેદાન, આંગણવાડીઓની સ્થાપના, ઉદ્યાનોનું નિર્માણ, જેવા કામો કરવામાં આવશૈ તેમજ સ્લમ વિસ્તારોમાં બેરોજગારો માટે કૌશલ્ય વિકાસ, આરોગ્ય સુવિધાઓનો વિકાસ વગેરે જેવા પ્રોજેક્ટો હાથ ધરાશે.
મંત્રી શ્રી લોઢાએ જણાવ્યું હતું કે શહેરી બિન-દલિત રહેઠાણોના સુધારણા રૂ. ૫૭૪.૭૮ કરોડ, ઝૂંપડપટ્ટીના રહેવાસીઓનું ( slum residentials ) સ્થળાંતર અને પુનર્વસન યોજના હેઠળ સંરક્ષણ દિવાલ બાંધકામ- રૂ. ૧૧૫ કરોડ, કૌશલ્ય વિકાસ કાર્યક્રમ રૂ. ૬.૦૦ કરોડ, દલિત વસાહત સુધારણા યોજના- રૂ. ૬૫.૪૮ કરોડ, મહિલા અને બાળ વિકાસ ભંડોળના ત્રણ ટકા (રૂ. ૧૨.૪૪ કરોડ) ચેમ્બુર ખાતે ચિલ્ડ્રન્સ એઇડ સોસાયટીની ખાલી જમીન પર મહિલા અને બાળ ભવન બનાવવાની દરખાસ્ત છે ઈન્ફ્રાસ્ટ્રક્ચર (રૂ.૫૦ કરોડ) પ્રવાસીઓ માટે મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવા માટે ભાંડુપ ખાતે ફ્લેમિંગો પાર્કનો વિકાસ, પૂર્વ ઉપનગરોમાં ખાડી કિનારા પર પ્રવાસીઓ માટે પાયાની સુવિધાઓ પૂરી પાડવા, આરે ખાતે છોટા કાશ્મીર તળાવ, ગોરેગાંવ પર્યટન વિકાસ માટેની સુવિધાઓ અહીં પૂરી પાડવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો : Sweet Corn Recipe:ચોમાસામાં સાંજના નાસ્તામાં ઘરે બનાવો ક્રન્ચી પિઝા કોર્ન, વારંવાર ખાવાનું થશે મન; નોંધી લો રેસિપી..
પોલીસ અને જેલો માટે વિવિધ સંસ્થાઓ માટે માળખાકીય સુવિધાઓની જોગવાઈ (રૂ. ૧૨.૪૪ કરોડ), કસરત શાળાઓ અને રમતના મેદાનોનો વિકાસ (રૂ. ૧૫ કરોડ), ગતિશીલ વહીવટ અને કટોકટીની વ્યવસ્થાઓને મજબૂત બનાવવા (રૂ. ૪.૫૦ કરોડ), નૂં ભંડોળ આપવામાં આવ્યું છે.
મંત્રી શ્રી લોઢાએ જણાવ્યું કે, વર્ષ ૨૦૨૩-૨૪ માં શહેરી બિન-દલિત વસાહતોના સુધારણા, ઝૂંપડપટ્ટીના રહેવાસીઓના સ્થળાંતર અને પુનર્વસન યોજના હેઠળ રક્ષણાત્મક દિવાલનું નિર્માણ, ૨૪ સી વર્ગના પ્રવાસન સ્થળોના વિકાસ માટે વિવિધ કામો હાથ ધરવામાં આવ્યા છે. જીલ્લામાં સરકારી માળખાકીય સુવિધાઓ, કિલ્લાઓ, મંદિરો અને મહત્વપૂર્ણ સંરક્ષિત સ્મારકો વગેરેનું સંરક્ષણ, હોસ્પિટલો માટે દવાઓ, સામગ્રી, મશીનરી અને સાધનોની પ્રાપ્તિ, સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાનમાં પ્રવાસન સુવિધાઓ અને અન્ય જરૂરી કામો, આજુબાજુ વાડની દિવાલોનું નિર્માણ. જાહેર જમીન પર અતિક્રમણ અટકાવવા માટેના સ્થળો, સ્થાનિક જરૂરિયાતો તેમજ જિલ્લામાં વિશેષ કામોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને વિવિધ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવે છે, જેમ કે સિગ્નલ સ્કૂલ, મ્યુનિસિપલ શાળાઓને વ્યાયામ સામગ્રી, મહિલાઓ માટે વોશરૂમ ઓન વ્હીલ , ઈ-સેવા કેન્દ્રો, છત્રપતિ શિવાજી મહારાજ પરંપરાગત રમત-ગમત મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે.
વર્ષ ૨૦૨૩-૨૪ માં સામાન્ય યોજના હેઠળ રૂ. પ્રાપ્ત ભંડોળમાંથી ૯૦ કરોડ હતુ, અનુસૂચિત જાતિ પેટા-યોજના હેઠળ ૧૦૦ ટકા રૂ. ૫૧ કરોડ ૧૦૦ ટકા ભંડોળ પુરૂં પડાયું હતં. જ્યારે આદિજાતિ પેટા-યોજના વિસ્તારની બહાર યોજના હેઠળ રૂ. ૫.૭૭ કરોડનાં ભંડોળમાંથી રૂ. ૨.૯૦ કરોડ એટલે કે ૫૦.૨૪ ટકા ટકા ભંડોળ ખર્ચવામાં આવ્યું છે. વર્ષ ૨૦૨૩-૨૪ માં જિલ્લાને કુલ રૂ. ૯૭૬.૭૭ કરોડમાંથી રૂ૯૭૩.૯૦ કરોડ એટલે કે ૯૯.૭૦ ટકા ભંડોળનો ખર્ચ કરવામાં આવ્યો છે.
વર્ષ ૨૦૨૩-૨૪ માં જિલ્લા વાર્ષિક યોજના (સામાન્ય), અનુસૂચિત જાતિ પેટા-યોજના અને આદિજાતિ પેટા-યોજના (OTSP) હેઠળ પ્રાપ્ત ભંડોળ અને ખર્ચની યોજના મુજબ સમીક્ષા, પ્રાપ્ત દરખાસ્તો અને પગલાં લેવાશે વર્ષ ૨૦૨૪-૨૫ માટેના અંદાજપત્રીય ભંડોળને અનુરૂપ વયવસ્થા કરાશૈ. જિલ્લામાં અમલમાં આવેલી નવીન પ્રવૃતિઓ તેમજ મુખ્યમંત્રી મારી લડકી બહુન યોજના (મહિલા અને બાળ વિકાસ વિભાગ), મુખ્યમંત્રી યુવા કાર્ય તાલીમ યોજના છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
આ સમાચાર પણ વાંચો : Microsoft CEO Net Worth: માઈક્રોસોફ્ટના ચેરમેન અને સીઈઓ સત્ય નડેલાને કેટલો પગાર મળે છે, શું છે તેમની નેટવર્થ?.. જાણો વિગતે…