ગણેશોત્સવ મનાવવા પોતાના ગામડે ગયેલા ભક્તો મુંબઈમાં ખાલી હાથે નથી આવ્યા, સાથે કોરોના લાવ્યા છે, આટલા લોકોને કોરોનાનો ચેપ; જાણો વિગત

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 23 સપ્ટેમ્બર, 2021

ગુરુવાર

મહારાષ્ટ્રમાં ગત વર્ષે કડક પ્રતિબંધોને લીધે ગણેશોત્સવ એકદમ સાદગીથી ઊજવાયો હતો. મુંબઈથી લોકો કોંકણ, રત્નાગિરિ, સિંધુદુર્ગ વગેરે ઠેકાણે જઈ શક્યા ન હતા. એની કસર આ વર્ષે લોકોએ પૂરી કરી. મોટી સંખ્યામાં આ ભક્તો ગણેશોત્સવ ઊજવવા પોતાના ગામ ગયા અને પાછા વળ્યા ત્યારે સાથે કોરોના પણ લાવ્યા.

સિંધુદુર્ગ અને રત્નાગિરિ જિલ્લા અધિકારી કાર્યાલયે આપેલી માહિતી મુજબ મુંબઈથી આવેલા ભક્તો પૈકી ૨૭૨ લોકોને કોરોનાનો ચેપ લાગ્યો હતો.

સુપ્રીમ કોર્ટની ફટકારની અસર: કોરોના મૃતક ના પરિવાર માટે સરકારે જાહેર કર્યું વળતર, મળશે આટલા હજાર રૂપિયા

રત્નાગિરિ જિલ્લામાં મુંબઈથી આવેલા ૧ લાખ ૩૦ હજારમાંથી ૨૦ હજાર લોકો ૧૮ વર્ષની નીચેના હતા. તે પૈકી ૧૨૦ લોકોના કોરોના ટેસ્ટ પોઝિટિવ હતા, જ્યારે ૭૨ જણને કોરોના જેવાં લક્ષણો હતાં.

 સિંધુદુર્ગમાં આવેલા ૮૭ હજાર ૮૩૭ ભક્તોમાંથી ૮,૧૦૪ લોકો આરટીપીસીઆર રિપૉર્ટ વગર જ આવ્યા હતા, જેમના ટેસ્ટ કર્યા બાદ ૧૫૨ જણ કોરોના સંક્રમિત નીકળ્યા.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More