Site icon News Continuous Bureau | Mumbai

અટેન્શન મુંબઈકર.. રવિવારે ઘરની બહારથી નીકળતા પહેલા આ સમાચાર વાંચી લો. રેલવેએ આ લાઈનો પર રાખ્યો છે મેગા બ્લોક

મુંબઈ લોકલ ( Mumbai Local ) મુંબઈવાસીઓની લાઈફ લાઈન ગણાય છે. પરંતુ રવિવારના દિવસે કેટલાક મેઇન્ટેનન્સ ના કામ માટે પેસેન્જર સર્વિસમાંથી થોડો સમય માટે બ્રેક લે છે.

CR Announces 6-hour Mega block on May 21

રવિવારે લોકલ ટ્રેનમાં મુસાફરી કરવાના છો? તો પહેલા વાંચી લો આ સમાચાર. રેલવેએ આ લાઈન પર રાખ્યો છે મેગા બ્લોક! જુઓ શેડ્યૂલ

News Continuous Bureau | Mumbai

મુંબઈ લોકલ ( Mumbai Local ) મુંબઈવાસીઓની લાઈફ લાઈન ગણાય છે. પરંતુ રવિવારના દિવસે કેટલાક મેઇન્ટેનન્સ ના કામ માટે પેસેન્જર સર્વિસમાંથી થોડો સમય માટે બ્રેક લે છે. આવતીકાલે એટલે કે રવિવારે મધ્ય રેલ્વે દ્વારા મેગા બ્લોક હાથ ધરવામાં આવશે. સેન્ટ્રલ રેલવેએ રૂટિન મેઇન્ટેનન્સ રિપેરિંગ અને એન્જિનિયરિંગ કામ માટે મેગા બ્લોકની જાહેરાત કરી છે. મધ્ય રેલવે તરફથી જણાવવામાં આવ્યું છે કે આ સમયગાળા દરમિયાન લોકલ ટ્રેનો સંપૂર્ણપણે બંધ રહેશે અને લાંબા અંતરની ટ્રેનોનો ટ્રાફિક મોડી દોડશે. તેથી, જો તમે આ સપ્તાહના અંતમાં બહાર જવાનું વિચારી રહ્યા છો, તો ટ્રેનનું સમયપત્રક જોઈને જ બહાર નીકળ જો.

Join Our WhatsApp Channel

મધ્ય રેલવે પર વિદ્યાવિહાર અને થાણે વચ્ચે 5 અને 6 લાઇન પર સવારે 11 વાગ્યાથી બપોરે 3.30 વાગ્યા સુધી મેગા બ્લોક લેવામાં આવશે. બ્લોક સમયગાળા દરમિયાન લોકમાન્ય તિલક ટર્મિનસથી થાણે અને વિદ્યાવિહાર વચ્ચે ઉપડતી/આવનારી ડાઉન અને અપ મેલ/એક્સપ્રેસ ટ્રેનોને ડાઉન અને અપ એક્સપ્રેસ લાઇન પર ડાયવર્ટ કરવામાં આવશે અને તે સમયપત્રક કરતાં 10 થી 15 મિનિટ મોડી દોડશે.

આ સમાચાર પણ વાંચો : Benefits Of Drinking Turmeric Water: રોજ હળદરનું પાણી પીવો, વધતું વજન નિયંત્રણમાં રહેશે, સાંધાના દુખાવામાં પણ રાહત મળશે

હાર્બર રેલવે પર મેગા બ્લોક

છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ – ચુનાભટ્ટી/બાંદ્રા હાર્બર લાઇન પર સવારે 11.40 થી સાંજે 4.40 વાગ્યા સુધી અને ચુનાભટ્ટી/બાંદ્રા- છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ અપ હાર્બર લાઇન પર સવારે 11.10 થી સાંજે 4.10 વાગ્યા સુધી બ્લોક રહેશે.

સવારે 11.16 થી સાંજે 4.47 વાગ્યા સુધી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ/વડાલા રોડથી વાશી/બેલાપુર/પનવેલ માટે ઉપડતી ડાઉન હાર્બર રૂટની સેવાઓ અને બાંદ્રા/ગોરેગાંવ માટે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી સવારે 10.48 વાગ્યાથી 4.43 વાગ્યા સુધી ઉપડતી ડાઉન હાર્બર રૂટ સેવાઓ રદ રહેશે.

પનવેલ/બેલાપુર/વાશીથી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ માટે સવારે 9.53 થી બપોરે 3.20 સુધી ઉપડતી અપ હાર્બર રૂટની સેવાઓ અને ગોરેગાંવ/બાંદ્રાથી સવારે 10.45 થી સાંજે 5.13 સુધી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ માટે ઉપડતી અપ હાર્બર રૂટની સેવાઓ રદ રહેશે. દરમિયાન, બ્લોક સમયગાળા દરમિયાન પનવેલથી કુર્લા (પ્લેટફોર્મ નંબર 8) વચ્ચે વિશેષ સેવાઓ ચલાવવામાં આવશે.

હાર્બર રૂટ પરના મુસાફરોને સવારે 10 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીના બ્લોક સમયગાળા દરમિયાન મેઈન લાઈન અને પશ્ચિમ રેલવે પર મુસાફરી કરવાની છૂટ આપવામાં આવશે.

Mumbai Lalbaugcha Rajaલાલબાગના રાજા નું પાદપૂજન સંપન્ન; આજથી મૂર્તિ નિર્માણના કામનો થયો શુભારંભ..
Facebook Cyber Fraud India। ફેસબુક ફ્રેન્ડ રિકવેસ્ટ પડી મોંઘી ક્રિપ્ટોકરન્સીમાં રોકાણના નામે ૬૨ વર્ષીય વેપારી સાથે ₹૧૫ લાખની ઠગાઈ
Mumbai Water Tanker Strike| મુંબઈમાં જળ સંકટ ઘેરૂં બન્યું પાણીના ટેન્કરોની અચોક્કસ મુદતની હડતાળથી હાઉસિંગ સોસાયટીઓ અને રેલવે મુશ્કેલીમાં
Mumbai Police Fugitive Arrest। ૧૯ વર્ષથી પોલીસને થાપ આપતો ફરાર આરોપી આખરે ખાર પોલીસના સકંજામાં, માહિમ દરગાહ પાસેથી ધરપકડ
Exit mobile version