News Continuous Bureau | Mumbai
24 એપ્રિલ એટલે કે રવિવારે મધ્ય રેલવેએ(Central railway) સમારકામના(Repairing) કામ માટે મધ્ય રેલવે લાઈન પર મેગાબ્લોક(Megablock) રાખવામાં આવનાર છે.
રવિવારે સવારે 10.55 થી બપોરે 3.55 સુધી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ(Chhatrapati Shivaji Maharaj Terminus)-વિદ્યાવિહાર(Vidya vihar) અપ અને સ્લો રૂટ પર મેગા બ્લોક રહેશે.
આ દરમિયાન સવારે 10.48 થી બપોરે 3.49 વાગ્યા સુધી ઉપડતી સ્લો ટ્રેનોને છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ અને વિદ્યાવિહાર સ્ટેશનો વચ્ચે ફાસ્ટ લાઈનમાં ડાયવર્ટ(Fast line divert) કરવામાં આવશે.
આ ટ્રેનો ભાયખલા, પરેલ, દાદર, માટુંગા, સાયન અને કુર્લા સ્ટેશનો પર થોભશે અને આ પછી ફરી સ્લો લાઈનના રૂટ પર ડાયવર્ટ કરવામાં આવશે
આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકને એક જ દિવસમાં બેવડો ઝટકો, ધરપકડ સામે કરેલી અરજી SCએ ફગાવી, ન્યાયિક કસ્ટડી પણ આ તારીખ સુધી લંબાઈ.. જાણો વિગતે