Site icon News Continuous Bureau | Mumbai

આનંદ નગર પછી દહિસરના વધુ એક મેટ્રો સ્ટેશન નું નામ બદલાયું. જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો, 

મુંબઈ, 07 માર્ચ, 2022,

Join Our WhatsApp Channel

સોમવાર, 

મુંબઈમાં મેટ્રો ટ્રેનો શરૂ થાય તે પહેલા જ તેના સ્ટેશનનોના નામ બદલવાનું ચાલુ થઈ ગયું છે. અંધેરી(વેસ્ટ) ડી.એન.નગર-દહિસર વચ્ચેની મેટ્રો રેલમાં પહેલા આનંદ નગર સ્ટેશનનું નામ બદલવામાં આવ્યું હતું, હવે બીજા એક સ્ટેશનનું નામ બદલીને કાંદરપાડા નામ આપવામાં આવ્યું છે.

મેટ્રો-2 એના પહેલા તબક્કાની સેવા આગામી 15 દિવસમાં શરૂ થવાની છે. દહીસર(વેસ્ટ) લિંક રોડ ખાતે કાંદરપાડા પરિસરમાં બાંધવામાં આવેલા મેટ્રો સ્ટેશનનું નામ અગાઉ ભક્તિ કોમ્પલેક્સ મેટ્રો સ્ટેશન એવું આપવામાં આવ્યું હતું. તેની સામે સ્થાનિક નાગરિકો અને ભૂમિપુત્રોએ ભારે વિરોધ કર્યો હતો. તેને પગલે મેટ્રો પ્રશાસનને તેનું નામ બદલવાની ફરજ પડી છે. હવે મેટ્રો સ્ટેશનને કાંદરપાડા નામ આપવામાં આવ્યુ છે.

ભાજપના આ કેન્દ્રીય પ્રધાન મુંબઈ પોલીસ બાદ હવે BMCના ચક્કર માં ફસાયા. આ કારણથી તેમને મળી નોટિસ..

દહિસર(વેસ્ટ)માં કાંદરપાડા જૂનું ગામ છે. અહીં મુંબઈના આગરી-કોળી સમાજની મોટી વસ્તી છે. આ ગામની નજીક વિકસિત વિસ્તારને કાંદરપાડા તરીકે ઓળખવામાં આવે છે. મેટ્રો સ્ટેશનને ભક્તિ પાર્ક નામ આપવાથી કાંદરાપાડ આ પ્રાચીન નામ લુપ્ત થઈ જશે એવો ડર હતો. તેથી સ્થાનિક નાગરિકો અને નગરસેવકોએ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે સહિત એમએમઆરડીએને સ્ટેશનનું નામ કાંદરાપાડા રાખવાની માંગણી કરી હતી. છેવટે તેમની વિનંતીને માન્ય કરવામાં આવી હતી.

Navi Mumbai Airoli Molestation Case। રાહદારી મહિલાઓનો પીછો કરી અડપલાં કરનારો સ્કૂટર સવાર જેલના સળિયા પાછળ
Mumbai Anti Narcotics Cell Action। એન્ટી નાર્કોટિક્સ સેલની મોટી કાર્યવાહી રીઢી મહિલા ડ્રગ પેડલરની અટકાયત, નાશિક જેલમાં ધકેલાઈ
Mumbai Versova Dahisar Coastal Road। મુંબઈ કોસ્ટલ રોડ પ્રોજેક્ટ માટે ૧,૨૦૦ વૃક્ષો કાપવા મંજૂરી, ૭૦૦ વૃક્ષોને પનવેલમાં રીપ્લાન્ટ કરાશે
Mumbai Gymkhana Land Audit। હાઈપ્રોફાઈલ ક્લબો પર સંકટ મુંબઈના ૧૬ દિગ્ગજ જીમખાના સામે કેમ શરૂ થઈ ખાલી કરાવવાની હલચલ? જાણી લો અસલી કારણ
Exit mobile version