બોરીવલીમાં મ્હાડાની વણવપરાયેલી ૩૫૦થી વધારે જમીન; જમીનધારકો પર આ કાર્યવાહી કરશે મંડળ; જાણો વિગત

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 20 સપ્ટેમ્બર, 2021

સોમવાર

મ્હાડાના મુંબઈ મંડળ દ્વારા ગત ૨૫થી ૩૦ વર્ષમાં ૪૨૭ જમીનના ટુકડાઓના વિતરણ કરવામાં આવ્યા છે. આ બધી જમીનો ઉપર લાભાર્થી અથવા જમીનધારકોએ કોઈ પણ બાંધકામ ન કરીને કરારનો ભંગ કર્યો છે. ૪૨૭ પૈકી ૩૫૦થી વધારે જગ્યાઓ બોરીવલીમાં છે. 

મ્હાડાની જમીન ઉપર કરાર પ્રમાણે નિશ્ચિત સમયમાં વિકાસકાર્ય કરીને તેને વાપરવી આવશ્યક છે. આ નિયમનું ઉલ્લંઘન થાય તો તેનું વિતરણ રદ કરીને જમીન તાબામાં લેવાનો અધિકાર મ્હાડાને છે. તેથી મ્હાડાએ આ ૪૨૭ જમીનોના ટુકડાઓને તાબામાં લેવાનો નિર્ણય લીધો છે. જમીનધારકોને કારણ દાખવો નોટિસ મોકલીને આગળની કાર્યવાહી કરાશે તેવું અધિકારીઓએ સ્પષ્ટ કર્યું હતું. આ બધી જમીનો તાબામાં લઈને ત્યાં સામાન્ય નાગરિકો માટે ઘરો બાંધવાનો વિચાર મંડળ કરી રહ્યું છે.

મુંબઈમાં રસ્તાની રેકડીઓનું ફાસ્ટ ફૂડ ખાવાના શોખીનો સાવધાન! FSSIની કાર્યવાહીમાં થયો ચોંકાવનારો ખુલાસો : જાણો વિગત

હાલમાં જ ભૂતપૂર્વ ક્રિકેટખેલાડી સુનીલ ગાવસ્કરની સંસ્થાને મુંબઈ મંડળે 33 વર્ષ પહેલા બાંદ્રામાં ૨૧ હજાર ચો.મી. જગ્યા આપી હતી, પરંતુ આજ સુધી તેના ઉપર કોઈ પણ બાંધકામ થયું ન હતું. તેથી જમીનનું વિતરણ રદ કરવાનો પ્રસ્તાવ મુંબઈ મંડળ રજૂ કર્યો હતો. બુધવારે ગૃહ નિર્માણ વિભાગે નવી શરતો સાથે વિતરણ રદ કરવાનો નિર્ણય પાછો લઈ લીધો છે. હવે મુંબઈમાં આ રીતે ખાલી પડેલી જમીનો બાબતે પ્રશ્ન ઊભો થયો છે. સુનીલ ગાવસ્કરના કેસમાં વિતરણ રદ કરવાનો નિર્ણય પાછો લેવાયો તેમ આ ૪૨૭ જગ્યાઓ માટે પણ નિર્ણય પાછો લેવાશે કે પછી તેમના ઉપર કાર્યવાહી થશે?

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More