News Continuous Bureau | Mumbai
Milind Deora: મહારાષ્ટ્રના રાજકારણનો મજબૂત ચહેરો ગણાતા મિલિંદ દેવરાએ નવનિયુક્ત નાગરિક ઉડ્ડયન મંત્રી ( Aviation Minister ) રામ મોહન નાયડુને પત્ર લખ્યો હતો. આ પત્ર દ્વારા તેમણે મુંબઈ એરપોર્ટ પર લેન્ડિંગની અગાઉની ઘટનાની તપાસ કરવાની વિનંતી કરી છે. ઉલ્લેખનીય છે કે, નાયડુએ ( Ram Mohan Naidu ) મિડીયાને આપેલા ઈન્ટરવ્યુમાં હવાઈ ભાડા અને સુરક્ષાને પ્રાથમિકતા આપી છે.
ગયા શનિવારે મુંબઈ એરપોર્ટ ( Mumbai Airport ) પર મોટી દુર્ઘટના ટળી હતી. મુંબઈ એરપોર્ટના રનવે પર એક જ સમયે બે પ્લેન સામસામે આવી ગયા હતા. જેમાંથી એક એરક્રાફ્ટ એર ઈન્ડિયાનું ( Air India ) અને બીજું ઈન્ડિગોનું હતું. આ ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મિડીયા પર સામે આવ્યો હતો. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે એક પ્લેન રનવે ( Airport runway ) પર લેન્ડ થઈ રહ્યું છે, જ્યારે અન્ય પ્લેન તેની આગળ ટેકઓફ કરતું જોવા મળે છે.
My letter to newly appointed Civil Aviation Minister @RamMNK Ji regarding the near miss incident at #MumbaiAirport.
Passenger safety is paramount & a speedy inquiry followed by action is essential.@MoCA_GoI @DGCAIndia pic.twitter.com/QRfe4kUiku
— Milind Deora | मिलिंद देवरा ☮️ (@milinddeora) June 13, 2024
Milind Deora: મિલિંદ મુરલી દેવરા હાલમાં રાજ્યસભાના સભ્ય છે…
વીડિયોમાં જોવા મળ્યું હતું કે એર ઈન્ડિયાની ફ્લાઈટ ( Air India flight ) ટેક-ઓફ માટે રનવે પર ઝડપથી આગળ વધી રહી હતી, જ્યારે ઈન્ડિગોની ફ્લાઈટ ( Indigo flight ) તે જ રનવે પર પાછળની તરફ લેન્ડ થઈ રહી હતી. સદ્ભાગ્ય એ હતું કે ઈન્ડિગોની ફ્લાઈટ એર ઈન્ડિયાની નજીક પહોંચી ત્યાં સુધીમાં એર ઈન્ડિયાની ફ્લાઈટ ટેકઓફ થઈ ચૂકી હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો હતો. હવે આ ઘટનાને લઈને મિલિંદ દેવરાએ નાગરિક ઉડ્ડયન મંત્રી નાયડુને પત્ર લખીને ઘટનાની વિગતવાર તપાસની વિનંતી કરી છે.
આ સમાચાર પણ વાંચો: Maharashtra Waterfalls: મહારાષ્ટ્રના આ ધોધ આપે છે વિદેશી નજારાનો અનુભવ, તમે પણ ચોમાસા દરમિયાન આની સુંદરતા જોઈ, સ્વર્ગીય આનંદનો અનુભવ કરશો..
મિલિંદ મુરલી દેવરા હાલમાં રાજ્યસભાના સભ્ય છે. આ પહેલા તેઓ ભારત સરકારમાં મહત્વપૂર્ણ પદો પર કામ કરી ચુક્યા છે. મિલિંદ દેવરાને 15મી લોકસભાના સૌથી યુવા સભ્ય તરીકે ઓળખ મળી છે. તેઓ માત્ર 27 વર્ષની વયે સાંસદ બન્યા હતા. મિલિંદ દેવરા કોંગ્રેસમાં અખિલ ભારતીય સંયુક્ત ટ્રેઝરર તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. તેઓ મુંબઈ કોંગ્રેસના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. પરંતુ આ વર્ષે તેમણે કોંગ્રેસ સાથેના સંબંધોનો અંત લાવ્યો હતો અને એકનાથ શિંદે જૂથની શિવસેનામાં જોડાયા હતા.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)