Site icon

કોરોનાના કપરા કાળમાં અનાજ, દવા-પાણીથી લઈને રોકડ રકમની મદદ કરનારા બોરીવલીના 27 જૈન સંઘોનું થશે સન્માન : ધારાસભ્ય સુનીલ રાણેએ કરી રાજ્યપાલને રજૂઆત; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ,6 જુલાઈ 2021

Join Our WhatsApp Community

મંગળવાર

કોરોના મહામારીના કપરા કાળમાં મોટા પ્રમાણમાં લોકોના નોકરીધંધાને ફટકો પડ્યો હતો. લૉકડાઉનને કારણે લોકોને ખાવાના વાંધા પડી ગયા હતા. એવા નાજુક સમયમાં સમાજના જરૂરિયાતમંદોને મફતમાં અનાજ, દવા-પાણી આપવાથી લઈને રોકડ રકમ સુધીની મદદ કરનારા બોરીવલીના 27 જૈન સંઘનું સન્માન કરવામાં આવવાનું છે. બોરીવલીના ધારાસભ્ય સુનીલ રાણેએ રાજીયપાલ ભગતસિંહ કોશિયારીને આ માટે વિનંતી કરી છે.

સાવધાન : માસ્ક પહેર્યા વગર નીકળ્યા તો આવી બનશે, તહેવારોને ધ્યાન રાખી BMC વધારશે કલીન-અપ માર્શલ્સની સંખ્યા; જાણો વિગત

તાજેતરમાં ધારસભ્ય સુનીલ રાણેએ રાજ્યપાલની મુલાકાત લીધી હતી. તેમણે  રાજ્યપાલને બોરીવલીના 27 જૈન સંઘો દ્વારા છેલ્લા દોઢ વર્ષમાં નાગરિકોને  કરવામાં આવી રહેલી મદદ વિશે વાકેફ કર્યા હતા. છેલ્લા દોઢ વર્ષથી આ સંઘ કોઈ પણ જાતનો ભેદભાવ નહીં રાખતાં કોરોના કાળમાં લોકોને મદદ કરી રહ્યો છે.   એથી  આવા મહાન કાર્ય કરનારા સંઘના પ્રતિનિધિઓનું સન્માન કરવું જોઈએ એવી રજૂઆત તેમણે રાજ્યપાલને કરી હતી. તેમની રજૂઆત બાદ બોરીવલીના 27 જૈન સંઘોએ પણ વિધાનસભ્યનો આભાર માન્યો હતો.

બોરીવલી(વેસ્ટ)માં જાંબલી ગલીમાં આવેલા સંભવનાથ જૈન દેરાસર પેઢીના મૅનેજિંગ ટ્રસ્ટી અને સેક્રેટરી  સ્નેહલભાઈ શાહે જણાવ્યું હતું કે કોરોનાને પગલે લાદવામાં આવેલા લૉકડાઉનમાં લોઅર મિડલ ક્લાસથી લઈને મિડલ ક્લાસ લોકોને ભારે અસર પહોંચી હતી. રોજ કમાઈને ખાનારાઓની તકલીફ જ કંઈ અલગ હતી. આવા નાજુક સમયમાં લોકોના ખાવા-પીવા વાંધા હતા. અનાજની સાથે દવાની ખરીદી માટે પણ લોકો પાસે નાણાં ઉપલ્બધ નહોતાં. ત્યારે 27 જૈન સંઘના નેજા હેઠળ અમે લોકોને અનાજની 15,000 કિટ્સની વહેંચણી કરી હતી. ચાર લાખ ખીચડીના પૅકેટ્સ લોકોને વહેંચ્યાં હતાં. અનેક દાતાઓ આગળ આવતાં જરૂરિયાતમંદોને આર્થિક રકમની પણ મદદ કરી હતી. શાહપુરમાં પણ 3,000 ટ્રાઇબ પરિવારને ઍડૉપ્ટ કરીને અનાજ પહોંચાડ્યું હતું. ઉપનગરના કલેક્ટરની વિનંતીને પગલે જેમની પાસે રૅશનિંગ કાર્ડ નહોતાં, અથવા જે પ્રવાસીઓ હતા એવા લોકોમાં પણ અનાજની 15,000 કિટ્સની વહેંચણી કરી હતી.

Emotional scenes in Maharashtra: અજિત પવારના નિધન ને લઈને પરિવાર માં શોક ની લહેર, અનિલ દેશમુખ પણ થઈ ગયા ભાવુક.
Ajit Pawar Plane Crash:વિમાન દુર્ઘટનામાં અજિત પવારનું અવસાન, સુપ્રિયો સુલે બારામતી જવા રવાના,અમિત શાહ, પીએમ મોદી એ વ્યક્ત કર્યો શોક
Ajit Pawar Biography:શરદ પવારના પડછાયામાંથી નીકળી કેવી રીતે બન્યા મહારાષ્ટ્રના સૌથી શક્તિશાળી નેતા? જાણો અજિત પવારની અનટોલ્ડ સ્ટોરી.
Ajit Pawar Plane Crash Video: અજિત પવારના પ્લેન અકસ્માતનો ગ્રાઉન્ડ રિપોર્ટ, કાટમાળ અને ધુમાડા વચ્ચે રેસ્ક્યુ ઓપરેશનનો વીડિયો વાયરલ.
Exit mobile version