Krida Mahakumbh : મુંબઇમાં ૨૬મી થી યોજાનારા સ્વદેશી ખેલોનાં મહાકુંભ માટે આટલા લાખથી વધારે ખેલાડીઓએ કરાવી નોંધણી

Krida Mahakumbh :'મુંબઇમાં ૨૬ મી થી યોજાનારા સ્વદેશી ખેલોનાં મહાકુંભ માટે બે લાખથી વધારે ખેલાડીઓની નોંધણી. કેબિનેટ મંત્રી મંગલ પ્રભાત લોઢાની પરિકલ્પનાનાં આધારે યોજાનારા રમતોત્સવમાં કુલ ૧૬ રમતોનો સમાવેશ

by Hiral Meria
More than one lakh players have registered for the Swadeshi Khelo Mahakumbh to be held in Mumbai from 26th.

News Continuous Bureau | Mumbai 

Krida Mahakumbh :મહારાષ્ટ્રનાં કેબિનેટ મંત્રી અને મુંબઈ ઉપનગરીય જિલ્લાના પાલક મંત્રી મંગલ પ્રભાત લોઢાની ( Mangal Prabhat Lodha ) પરિકલ્પના મુજબ યોજાઇ રહેલા ‘શ્રી છત્રપતિ શિવાજી મહારાજ ( Shivaji Maharaj ) પરંપરાગત રમત મહાકુંભ’ની વિવિધ સ્પર્ધાઓ આગામી ૨૬ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી દરમિયાન યોજાશે. શ્રી છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યાભિષેકના ૩૫૦ વર્ષ પૂર્ણ થવાના અવસરે, મુંબઈ શહેર અને ઉપનગરોમાં સ્વદેશી રમતોને ( Indigenous sports ) પ્રોત્સાહન આપવા માટે આ ટુર્નામેન્ટનું પ્રથમ વખત આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધાનું ઉદ્ઘાટન ૨૬ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ વર્લીના જબોરી મેદાનમાં થશે. સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે કુલ બે લાખ થી વધારે ખેલાડીઓએ ( players ) નામ નોંધાવ્યા છે. યુવાનો તરફથી મળેલા સ્વયંભૂ પ્રતિસાદના કારણે સમગ્ર મુંબઇમાં આ આયોજનની ચર્ચા થઇ રહી છે. 

છત્રપતિ શિવાજી મહારાજ પરંપરાગત ખેલ મહાકુંભમાં ( Khel Mahakumbha ) લગોરી, લેઝીમ, લંગડી, પંજાની લડાઈ, દોરડા કૂદ, ટગ ઓફ વોર, ફૂદરડી, મલ્લખામ્બ, કબડ્ડી, અખાડા કુસ્તી, પવનખીંડ દૌડ, ખો-ખો, ગિલ્લી દંડા, શરીર શ્રોષ્ઠવ, જેવી ૧૬ પરંપરાગત રમતોનો સમાવેશ થાય છે., આ સ્પર્ધાઓ વિવિધ વજન જૂથો અને વય જૂથોમાં યોજાશે. અખાડા કુસ્તી, પવનખીંડ દૌડ, બોડી બિલ્ડીંગ અને ઢોલતાશા આ ચાર રમતો અંતિમ તબક્કામાં એક જ સ્થળે યોજાશે.

કુલ ૨૭ કિલ્લાઓનું પ્રદર્શન અને રાયગઢથી શિવજ્યોતિનું આગમન

શિવ શૈલીની રમત સ્પર્ધાના ઉદઘાટન પ્રસંગે મહારાષ્ટ્રના ૨૭ કિલ્લાઓનું પ્રદર્શન ગોઠવવામાં આવશે અને આ કિલ્લાઓ વિશેની માહિતી આ પ્રદર્શન દ્વારા ઉપસ્થિત નાગરિકોને આપવામાં આવશે. આ સાથે ઉદઘાટન પ્રસંગે દંડપટ્ટા, લાઠીકાઠી જેવી શિવયુગની યુદ્ધકળાનું નિદર્શન પણ રજૂ કરવામાં આવશે. આ સ્પર્ધાનું આયોજન શ્રી છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યાભિષેકના ૩૫૦ વર્ષ પૂર્ણ થવાના અવસરે થયુ હોવાથી સ્પર્ધાની પવિત્રતા જાળવવા માટે શિવજ્યોતિ રાયગઢથી મુંબઈ પહોંચશે.

આ સમાચાર પણ વાંચો : Mamata Banerjee: મમતા બેનર્જીની કારને નડ્યો અકસ્માત, દુર્ઘટનામાં થયા ઘાયલ, જાણો કેવી છે CMની હાલત

મુંબઈ શહેર અને ઉપનગરોમાં મેદાન તૈયાર

આ ખેલ મહોત્સવ મુંબઈના ઉપનગરોમાં અંધેરી, બોરીવલી, કુર્લા, મુકુંડ અને મુંબઈ શહેરમાં બે સ્થળો એમ ચાર તાલુકાઓમાં આયોજિત કરવામાં આવશે. મલ્લખંબ, કબડ્ડી અને ખો-ખોની તાલુકા કક્ષાની સ્પર્ધાઓ ઉપનગરો અને શહેરમાં એક-એક જગ્યાએ યોજવામાં આવશે અને અંતિમ કક્ષાની મેચો એક જ જગ્યાએ યોજાશે. અન્ય ૯ રમતોની તાલુકા કક્ષાની સ્પર્ધાઓ ૬ સ્થળોએ યોજાશે અને ફાઈનલ એક કેન્દ્રીય સ્થળે યોજાશે આમ કુલ ૨૦ મેદાનો/હોલ તૈયાર કરાયા છે. આમાંથી ૧૦ સ્થળે અંતિમ સ્પર્ધા યોજાશે. સ્પર્ધામાં કોઈ વિક્ષેપ ન પડે તે માટે મંત્રી લોઢાએ વ્યક્તિગત રીતે તૈયારીઓ સંભાળી છે અને કામગીરી પૂર્ણ કરી છે

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More