Site icon

ભાજપ અને રાજ ઠાકરે વચ્ચે ‘ઇલુ ઇલુ’. હોસ્પિટલમાંથી સાંસદ ગોપાળ શેટ્ટીએ આભાર પત્ર લખ્યો.

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

09 માર્ચ 2021

રાજ ઠાકરેએ ગત દિવસો દરમિયાન નાણાર પ્રોજેક્ટ ચાલુ રાખવા માટે મુખ્યમંત્રી સહિત તમામ પક્ષોના નેતાઓને વિનંતી કરતો પત્ર લખ્યો હતો. રાજ ઠાકરેના આ પત્ર લખ્યા બાદ શિવસેના એ રાજ ઠાકરેને ગુજરાતીઓનો દલાલ ગણાવ્યો હતો. હવે ભાજપે રાજ ઠાકરેનો આભાર વ્યક્ત કર્યો છે.

ઉત્તર મુંબઈના ભાજપના સાંસદ ગોપાલ શેટ્ટી એ કે જેઓ હાલ હોસ્પિટલમાં કોરોના ની સારવાર લઇ રહ્યા છે તેમણે રાજ ઠાકરેને પત્ર લખીને આભાર વ્યક્ત કર્યો છે. પોતાના બે પાનાના પત્રમાં તેમણે કહ્યું છે કે નાણાર પ્રોજેક્ટ ને કારણે આશરે ૨૦૦૦ જેટલા કોંકણના રહેવાસીઓનો આર્થિક લાભ થવાનો છે તેમ જ ધંધા રોજગાર પણ વધશે.

આમ મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી નજીક આવતાંની સાથે જ શું સમીકરણો પણ બદલાઈ રહ્યા છે? શું ભાજપ અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના વચ્ચે અલગ-અલગ મુદ્દાઓ પર સહમતી સધાઈ રહી છે? કે પછી પડદા પાછળ બીજું કશું ચાલી રહ્યું છે?

Mumbai Police to Get Stronger: મુંબઈનું સુરક્ષા કવચ થશે વધુ મજબૂત: ૧,૪૪૮ નવા પોલીસ જવાનોની ભરતી અને ૪ નવા પોલીસ સ્ટેશન ખુલશે
Khar Suicide Case: ખારમાં ઘરેલું કલેશનો કરુણ અંત: પત્નીના ત્રાસથી કંટાળી પતિની આત્મહત્યા, ૬ વર્ષનો માસૂમ પુત્ર બાથરૂમમાંથી મળી આવતા ખળભળાટ
Horrific Domestic Violence in Wadala: વડાલામાં દારૂના નશામાં પતિની હેવાનિયત: ૨૯ વર્ષીય પત્નીને બેરહેમીથી માર મારીને કરી હત્યા, મોબાઈલથી કર્યો જીવલેણ હુમલો
Airport Job Scam Mumbai: એરપોર્ટ પર નોકરીની લાલચ આપી યુવતી સાથે ₹૭૧,૦૦૦ની છેતરપિંડી: ‘ગેટ પાસ’ થી લઈને ‘યુનિફોર્મ’ ના નામે પડાવ્યા રૂપિયા
Exit mobile version