મુંબઈના કાંદિવલીમાં વેપારીઓનું મોટું આંદોલન, ધારાસભ્ય આવ્યા, આજે બપોરે પોલીસ કમિશનર સાથે બેઠક. જાણો વિગત…

by Dr. Mayur Parikh

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, 7 એપ્રિલ 2021

બુધવાર

સરકારના મીની લોકડાઉનના દેશ ને કારણે વેપારીઓ ભારે નારાજ છે. વેપારીઓની માગણી છે કે સરકાર પોતાનો ગેરવ્યાજબી આદેશ પાછો લે. સરકારના આ લોકડાઉન ના આદેશ ની વિરુદ્ધમાં કાંદિવલીમાં તમામ વેપારીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. તેમણે સરકારની વિરુદ્ધમાં નારેબાજી કરી હતી તેમજ બેનર અને હોલ્ડિંગ લઇને રસ્તા પર ઉતરી આવ્યા હતા. ભારે હંગામો થતા કાંદિવલી પૂર્વ ધારાસભ્ય અતુલ ભાતખલકર તેમને મળવા પહોંચી ગયા હતા. વેપારીઓનું કહેવું છે કે પોલીસ દ્વારા તેમને કનડગત કરવામાં આવે છે. હવે આ સંદર્ભે ભારતીય જનતા પાર્ટીના મુંબઈ ના અધ્યક્ષ મંગલ પ્રભાત લોઢા અને કાંદિવલી પૂર્વ ધારાસભ્ય અતુલ ભાતખલકર સહિત વેપારીઓનું સિસ્ટમ મંડળ આજે પોલીસ કમિશનરને મળશે. તેમજ પોલીસ દ્વારા થતી કનડગત સંદર્ભે તેમને માહિતગાર કરશે.

આમ વેપારીઓનો આક્રોશ હવે રસ્તા પર દેખાઈ રહ્યો છે.

હાઉસિંગ સોસાયટીના અધ્યક્ષ અને સચિવને હવે વિશેષ પોલીસ અધિકારી જેટલી સત્તા. ભાજપનો વિરોધ.

વેપારીઓના આક્રોશ સામે મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ બોલાવી તાત્કાલિક બેઠક
 

છાશવારે પાડોશી રાજ્ય સાથે નાના મુદ્દા પર સતત ઝઘડો કરનાર. મહારાષ્ટ્ર સરકારને હવે પાડોશીઓ પાસેથી આ મદદ જોઈએ છે. કેન્દ્ર સરકારને લખ્યો પત્ર. જાણો વિગત…

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More