News Continuous Bureau | Mumbai
Mumba Devi Temple: મુંબાદેવી મંદિરમાં 10 મે ના રોજ અક્ષય તૃતીયાના અવસરે તેનો વાર્ષિક કેરી મહોત્સવ ઉજાવશે. તેથી આ દિવસે હાફુસ કેરીઓથી ( hapus mango ) સુશોભિત મંદિરમાં ભક્તોની વિશાળ ભીડ ઉમટશે તેવી અપેક્ષા છે.
શ્રી મુંબાદેવી મંદિર ચેરિટીઝ, જે પ્રતિષ્ઠિત અને આદરણીય મુંબાદેવી મંદિરનું કામકાજ જુએ છે, તેણે હવે વર્ષ 2024 માટે તેના કેરી મહોત્સવની ( Mango Festival ) તારીખો જાહેર કરી છે. દર વર્ષે, મંદિર અક્ષય તૃતીયાના ( Akshaya Tritiya ) રોજ તેનો વાર્ષિક કેરી મહોત્સવ ઉજવે છે તેથી આ વર્ષે પણ આ શુભ દિવસે, મંદિર આ અનોખા મહોત્સવની ઉજવણી કરશે.
Mumba Devi Temple: છેલ્લા પાંચ વર્ષથી મુંબાદેવી મંદિર ખાતે વાર્ષિક કેરી મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે…
છેલ્લા પાંચ વર્ષથી મુંબાદેવી મંદિર ખાતે વાર્ષિક કેરી મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. આમાં મુંબા દેવીની મૂર્તિ અને સમગ્ર મંદિરને ડઝનબંધ હાફુસ કેરીઓથી શણગારવામાં આવે છે. અક્ષય તૃતીયા પર મંદિરને શણગારવા માટે લગભગ 800 ડઝન કેરીઓનો ઉપયોગ કરવાનો હાલ મંદિર ચેરિટીઝ સંસ્થા દ્વારા નિર્દેશ આપવામાં આવ્યો છે. મંદિરના સત્તાવાળાઓએ ભક્તોને આ મહોત્સવમાં સહભાગી થવા માટે મંદિરની મુલાકાત લેવાનું આમંત્રણ આપ્યું છે.
આ સમાચાર પણ વાંચો: Air India Express cancels: 86 એર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી, 300 ક્રૂ મેમ્બર અચાનક એક સાથે બીમાર પડ્યા, મુસાફરોએ જાહેર કર્યો રોષ..
મુંબાદેવી મંદિરના મેનેજરે આ અંગે મિડીયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, અક્ષય તૃતીયા હિંદુ મંદિરો ( Hindu Mandir ) માટે એક શુભ દિવસ છે અને તેથી અમે આ દિવસે કેરી મહોત્સવ મનાવવાનો વાર્ષિક કાર્યક્રમ બનાવ્યો છે. મુંબા દેવી મંદિર ઝવેરી બજારમાં આવેલું હોવાથી અક્ષય તૃતીયાના અવસર પર ઘણા લોકો સોનું ખરીદવા આવે છે. આ લોકો મંદિરમાં પૂજા કરવા માટે પણ જાય છે અને તેથી દિવસભર આ મંદિરમાં ઘણો ઘસારો રહે છે.