મુંબઈના આ ઉપનગરીય વિસ્તારમાં ઈમારત થઈ ધરાશાયી, એકનું મોત, 16 ઘાયલ, બચાવ કામગીરી ચાલુ..

by Dr. Mayur Parikh

 News Continuous Bureau | Mumbai

મુંબઈના ઉપનગરીય બાંદ્રા(Mumbai Bandra)ના શાસ્ત્રીનગરમાં 8 જૂનની મધ્યરાત્રિએ બે માળની ઈમારત ધરાશાયી(Building collaps) થઈ હતી. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું હતું. જયારે 16 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોને ભાભા હોસ્પિટલ(Bhabha Hospital)માં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટનાની માહિતી મળતાં જ ફાયર(Fire)ની 7-8 ગાડીઓ, પોલીસ, એક એમ્બ્યુલન્સ(ambulance) અને નગરપાલિકા(BMC)ની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

 

મીડિયા રિપોર્ટ અનુસાર, BMCએ જણાવ્યું છે કે દુર્ઘટના બાદ લોકોને બચાવવાનું કામ ચાલી રહ્યું છે. મુંબઈ પોલીસ (Mumbai Police) ના ડીસીપી મંજુનાથ સિંગેએ મીડિયાને જણાવ્યું હતું કે બુધવારે રાત્રે લગભગ 12.15 વાગ્યે ઈમારત ધરાશાયી થઈ હતી જેમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે અને 16 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને હવે સલામત છે. આ તમામ બિહાર(Bihar)ના મજૂરો છે. કાટમાળ નીચે 3 થી 4 લોકો ફસાયા હોવાની આશંકા છે. આવી સ્થિતિમાં બચાવ કાર્ય ચાલી રહ્યું છે. 

આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્ર માં રાજ્યસભાની ચૂંટણીનું કાઉન્ટ ડાઉન શરૂ- જોરદાર રસીખેંચ ચાલુ-એમ આઈ એમ પછી અબુ આઝમીએ આપ્યું નિવેદન- જાણો વિગતે

મધરાતે બનેલી ઘટના બાદ વિસ્તારમાં અરાજકતાનો માહોલ જોવા મળ્યો હતો.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More