News Continuous Bureau | Mumbai
Mumbai AutoTaxi Shortage મુંબઈ અને આસપાસના મેટ્રોપોલિટન વિસ્તારોમાં (MMR) દૈનિક મુસાફરી કરતા લાખો પ્રવાસીઓને ચોમાસાની સિઝનમાં કાળીપીળી ટેક્સી અને ઓટો રિક્ષાની ભારે અછતનો (Shortage) સામનો કરવો પડી રહ્યો છે. પ્રાદેશિક પરિવહન કચેરી (RTO) દ્વારા શરૂ કરવામાં આવેલી ફરજિયાત મરાઠી ભાષા ચકાસણી ઝુંબેશ અને નોટિસ ફટકારવાની કાર્યવાહી સામે રિક્ષાટેક્સી ચાલકોના એક મોટા વર્ગે ત્રણ દિવસની હડતાળ (Threeday Strike) શરૂ કરી છે. દક્ષિણ મુંબઈથી લઈને ઉત્તરી ઉપનગરો સુધી વાહનો ન મળવાને કારણે મુસાફરોને ૪૦ થી ૫૦ મિનિટ સુધી રસ્તા પર અટવાઈ રહેવું પડ્યું છે.
Mumbai Auto-Taxi Shortage – ૨૧ ઓગસ્ટથી RTO ની વિશેષ ઝુંબેશ: મરાઠી ન બોલી શકનારને મેમો અને સસ્પેન્શનની ચેતવણી
મુંબઈ પ્રાદેશિક પરિવહન કચેરી (RTO) દ્વારા ૨૧ ઓગસ્ટથી દક્ષિણ મુંબઈથી લઈને પશ્ચિમ અને પૂર્વ ઉપનગરો સુધી ડ્રાઈવરોના મરાઠી જ્ઞાનની ચકાસણી શરૂ કરવામાં આવી છે. જે ડ્રાઈવરો વ્યવહાર પૂરતી પણ મરાઠી બોલી શકતા નથી તેમને તાત્કાલિક મેમો (Memo) ફટકારવામાં આવી રહ્યો છે અને ભાષા શીખવા માટે એક મહિનાનો સમય આપવામાં આવે છે. જો એક મહિના બાદ પણ તેઓ જરૂરી મરાઠી ન શીખી શકે તો તેમનો ડ્રાઈવિંગ બેજ (Badge) ત્રણ મહિના માટે સસ્પેન્ડ કરવાનો નિયમ બનાવવામાં આવ્યો છે. આ નિયમ ઓટો, કાળી-પીળી ટેક્સી ઉપરાંત એપ-આધારિત (App-Based) કેબ ચાલકોને પણ લાગુ પડે છે. મહારાષ્ટ્રમાં કુલ ૯.૬૫ લાખ લાયસન્સધારક ડ્રાઈવરો સામે હજુ માત્ર ૧.૬૫ લાખ ચાલકોને જ સત્તાવાર તાલીમ મળી શકી છે.
Mumbai Auto-Taxi Shortage – ચાલકોનો વિરોધ: રોજગારનું નુકસાન અને અઘરી પરીક્ષા પદ્ધતિ સામે આક્ષેપ
આંદોલન કરી રહેલા ચાલકોનું કહેવું છે કે તેઓને મરાઠી શીખવા સામે કોઈ વાંધો નથી, પરંતુ RTO ની કડક અને અણધારી પરીક્ષા પદ્ધતિ સામે વિરોધ છે. ઘણા ડ્રાઈવરો અશિક્ષિત અને રોજેરોજ કમાઈ ( Daily wages ) ને ખાનારા હોવાથી કામકાજ છોડીને ભાષા શીખવા માટે ક્લાસમાં જવાથી તેમની દૈનિક આવક પર મોટો ફટકો પડે છે. આ કારણોસર ચાલકોમાં ભારે નારાજગી ફેલાઈ છે, જેને પગલે તેમણે વાહનો રસ્તા પરથી હટાવીને વિરોધ નોંધાવવાનું શરૂ કર્યું છે.
Mumbai Auto-Taxi Shortage – સરકારની સ્પષ્ટતા: ૧૯૮૯ થી નિયમ અસ્તિત્વમાં, હવે કડકાઈથી અમલીકરણ
રાજ્યના પરિવહન પ્રશાસન અને મંત્રી તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે કે મરાઠી ભાષાની શરત કોઈ અચાનક લાદવામાં આવેલો નિયમ નથી. મહારાષ્ટ્રમાં મોટર વાહન નિયમો હેઠળ વ્યાવહારિક મરાઠી ભાષાના જ્ઞાનની જોગવાઈ ૧૯૮૯ થી જ અસ્તિત્વમાં છે. અગાઉ આ નિયમનું કડકાઈથી પાલન થતું નહોતું, પરંતુ ૨૦૨૬ માં કરાયેલા સુધારા બાદ હવે સ્થાનિક ભાષા ( Local Language ) અને સંસ્કૃતિના સન્માન તેમજ મુસાફરોની સગવડ માટે તેનું સખત અમલીકરણ કરવામાં આવી રહ્યું છે.
👉 આ સમાચાર વાચો:
Ladakh CRPF security લદ્દાખમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સુરક્ષા વ્યવસ્થામાં કર્યો વધારો CRPFની ૧૨ વધારાની કંપનીઓ તૈનાત કરવાનો આદેશ