Site icon

Mumbai : મુંબઈગરાઓ માટે સારા સમાચાર, 10 ટકા પાણી કાપ આખરે રદ, જાણો જળાશયોની સ્થિતિ..

Mumbai : મુંબઈમાં લાગુ પાણી કાપ રદ કરવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. પાલિકાના આ નિર્ણયથી મુંબઈગરોને રાહત મળી છે. 1 જુલાઈ 2023થી મુંબઈમાં 10 ટકા પાણી કાપ લાગુ કરવામાં આવ્યો હતો.

24-hr water cut from August 24 in M East and M West ward

24-hr water cut from August 24 in M East and M West ward

News Continuous Bureau | Mumbai 

Mumbai: મુંબઈગરાઓ માટે મહાપાલિકાએ મોટો નિર્ણય જાહેર કર્યો છે. મુંબઈ મ્યુનિસિપલ (BMC)કમિશનર ઈકબાલ ચહલે જાહેરાત કરી છે કે 10 ટકા પાણી કાપ(water cut) રદ(cancel) કરવામાં આવી રહ્યો છે. મહાનગરપાલિકાના આ નિર્ણયથી મુંબઈગરોને રાહત મળી છે. 1 જુલાઈ 2023થી મુંબઈમાં 10 ટકા પાણી કાપ લાગુ કરવામાં આવ્યો હતો. મ્યુનિસિપલ કોર્પોરેશને આ નિર્ણય લીધો છે કારણ કે મુંબઈને પાણી પહોંચાડતા તમામ સાત ડેમ એટલે કે અપર વૈતરણા, મોડક સાગર, તાનસા(tansa), મધ્ય વૈતરણા, ભાતસા, વિહાર(vihar), તુલસીમાં સંતોષકારક પાણીનો ભંડાર છે.

Join Our WhatsApp Community

 પાણીના સંગ્રહમાં સંતોષકારક વધારો

 જુલાઈ 2023 માં સારા વરસાદને(rain) કારણે, મુંબઈ મહાનગરપાલિકાના નાગરિકોને પાણી પૂરું પાડતા તમામ તળાવ(lake) વિસ્તારોમાં પાણીના સંગ્રહમાં સંતોષકારક વધારો થયો છે. ઓગસ્ટ અને સપ્ટેમ્બર 2023માં પણ આ જ સ્થિતિ ચાલુ રહેવાની ધારણા છે. આને ધ્યાનમાં રાખીને, મુંબઈ મહાનગરપાલિકા દ્વારા લાગુ કરવામાં આવેલો 10 ટકા પાણી કાપ 9 ઓગસ્ટ, 2023 થી રદ કરવામાં આવી રહ્યો છે, તે મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર જુલાઈ મહિનામાં પડેલા વરસાદને કારણે મુંબઈને પાણી પહોંચાડતા અપર વૈતરણા, મોડક સાગર, તાનસા, મધ્ય વૈતરણા, ભાતસા, વિહાર,તુલસી ડેમમાં પાણીનો સંગ્રહ લગભગ 81 ટકા પર પહોંચી ગયો છે. તેથી, 1 જુલાઈ, 2023 થી લાગુ કરવામાં આવેલ પાણી કાપ રદ કરવામાં આવ્યો છે.

આ સમાચાર પણ વાંચો : Turmeric For Skin : સ્કિન માટે બેસ્ટ ઔષધી છે હળદર, ઘરે જ બનાવી લો આ ફેસપેક, થશે ફાયદા..

 મુંબઈને પાણી પૂરું પાડતા ડેમમાં પાણીનો સંગ્રહ

મુંબઈને પાણી પૂરું પાડતા ડેમમાંથી 81.44 ટકા પાણીનો સંગ્રહ છે. મુંબઈને અપર વૈતરણા, મોડક સાગર, તાનસા, મધ્ય વૈતરણા, ભાતસા, વિહાર, તુલસી ડેમમાંથી પાણી પૂરું પાડવામાં આવે છે.

 ઈકબાલ સિંહ ચહલે આ દરખાસ્તને આપી મંજૂરી

 હજુ દોઢ મહિનો વરસાદ ચાલુ રહેવાના કારણે તળાવોમાં પૂરતા પ્રમાણમાં પાણીનો સંગ્રહ થઈ શકે છે. તેથી, મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી ચાલુ 10 ટકા પાણી કાપ પાછો ખેંચવાની દરખાસ્ત મ્યુનિસિપલ કમિશનરને મંજૂરી માટે મોકલવામાં આવી હતી. તેને મ્યુનિસિપલ કમિશનર ઈકબાલ સિંહ ચહલે મંજૂરી આપી હતી. અપર વૈતરણા, મોડક સાગર, તાનસા, મધ્ય વૈતરણા, ભાતસા, વિહાર, તુલસી એમ સાતેય તળાવોની જળ સંગ્રહ ક્ષમતા 14 લાખ 47 હજાર 363 મિલિયન લિટર છે. આ તળાવોમાંથી દરરોજ ત્રણ હજાર 850 મિલિયન લીટર પાણી આપવામાં આવે છે.

 

BMC Job Scam Mumbai: BMCમાં નોકરીના બહાને શિક્ષિત યુવાનો સાથે ₹૨૩.૪૩ લાખની ઠગાઈ; નકલી આઈડી કાર્ડ અને લેટર્સ પધરાવ્યા
Bhandup Fire : ભાંડુપ સ્ટેશન રોડ પર દુકાનોમાં ભીષણ આગ: ધુમાડાના ગોટાથી વિસ્તારમાં ભયનો માહોલ, ફાયર બ્રિગેડની કામગીરી ચાલુ
LPG Crisis Relief: યુદ્ધના મેદાન વચ્ચે ભારતની જીત! હોર્મુઝના જોખમી રૂટ પરથી ભારતના ૨ જહાજોનો સુરક્ષિત માર્ગ, ગેસ સંકટ હળવું થવાના એંધાણ
Fuel Crisis 2026: ગેસ-તેલની અછતને પહોંચી વળવા સરકારની નવી વ્યૂહરચના; હોટલો-રેસ્ટોરાંમાં વૈકલ્પિક ઈંધણની મંજૂરી, જાણો રેશનિંગમાં કેરોસીનનું શું છે ગણિત.
Exit mobile version