હવે મોલ માં જતા પહેલા ટેસ્ટ કરાવવો પડશે. મુંબઈ શહેર માટે કડક નિયમ બન્યો. જાણો વિગત

by Dr. Mayur Parikh

મહારાષ્ટ્રમાં કોરોના વાયરસની બીજી લહેર ફરી વળી છે અને સંક્રમિત દર્દીઓની સંખ્યા કૂદકેને ભૂસકે વધી રહી છે 

મુંબઈમાં COVID-19 કેસોમાં વધારો થતાં બીએમસી એ એક મોટો નિર્ણય કર્યો છે. 

આગામી 22 માર્ચથી શહેરમાં આવેલા તમામ મોલમાં પ્રવેશતાં પહેલા લોકોએ એન્ટીજેન્ટ ટેસ્ટ કરાવવો પડશે. 

આ માટે ટેસ્ટની વ્યવસ્થા મોલ સંચાલકોએ કરવાની રહેશે જો ટેસ્ટ પોઝિટિવ આવશે અથવા શંકાસ્પદ જણાશે તો વ્યક્તિને મોલમાં પ્રવેશ નહીં આપવામાં આવે.

મુંબઈ શહેરમાં થોડા જ દિવસમાં નાઈટ કર્ફ્યુ લાગશે? મેયરે આપ્યા આ સંકેત.
 

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment