Site icon News Continuous Bureau | Mumbai

Mumbai: BMC આવતા વર્ષથી ખાનગી હાઉસિંગ સોસાયટીઓમાં વિનામુલ્યે વૃક્ષોની કાપણી.. વૃક્ષો પડતા થતી દુર્ધટનાને રોકવા માટે જોગવાઈ.. જાણો અહીંયા…

Mumbai: 1 જૂનથી 29 જૂન સુધીના 29 દિવસમાં શહેરમાં 435 જેટલા વૃક્ષો અને ડાળીઓ પડવાના બનાવો નોંધાયા હતા, જેમાં 8 લોકોના મોત થયા હતા અને 4 ઘાયલ થયા હતા.

Mumbai: BMC to not charge for pruning trees in private housing societies from next year

Mumbai: BMC to not charge for pruning trees in private housing societies from next year

News Continuous Bureau | Mumbai

Mumbai: રાજ્ય સરકાર BMCને આગામી વર્ષથી ખાનગી હાઉસિંગ સોસાયટીઓમાં વૃક્ષોની ડાળીઓનું વિનામૂલ્યે કાપણી હાથ ધરવા માટે નિર્દેશ આપશે, ઉપરાંત કુદરતી આફતોના ભોગ બનેલા લોકોને વળતર આપવાનો પણ નિર્દેશ કરશે.

Join Our WhatsApp Channel

1 જૂનથી 29 જૂન સુધીના 29 દિવસમાં શહેરમાં 435 જેટલા વૃક્ષો અને ડાળીઓ પડવાના બનાવો નોંધાયા હતા, જેમાં 8 લોકોના મોત થયા હતા અને 4 લોકો ઘાયલ થયા હતા. વિધાન પરિષદના સભ્યોએ વૃક્ષ સંબંધિત દુર્ઘટનાઓમાં વધારો અંગે ચિંતા વ્યક્ત કરી હતી. ઉદ્યોગ પ્રધાન ઉદય સામંતે (Industries Minister Uday Samant) મંગળવારે વિધાન પરિષદને જણાવ્યું હતું કે રાજ્ય સરકાર BMCને હાઉસિંગ સોસાયટીઓના ખાનગી કમ્પાઉન્ડમાં વૃક્ષોની કાપણીનો ખર્ચ ઉઠાવવા કહેશે. આવી કામગીરી માટે દરેક વોર્ડમાં ફ્લાઈંગ સ્કવોડ (Flying Squad) ની રચના કરી શકાય છે.

214 વૃક્ષ પડવાની ઘટનાઓ….7 લોકોના મોત થયા હતા અને 1 ઘાયલ થયો હતો.

તેમણે કહ્યું કે આ પ્રવૃત્તિ ચોમાસાની શરૂઆત પહેલા હાથ ધરવામાં આવશે. સામંતે એ પણ ખાતરી આપી કે BMC આ પ્રવૃત્તિ માટે સમયમર્યાદા નક્કી કરશે. શિવસેના (UBT) જૂથના સુનિલ શિંદે દ્વારા આ મામલો ઉઠાવવામાં આવ્યો હતો, જેમણે કહ્યું હતું કે સૌથી વધુ 214 વૃક્ષ પડવાની ઘટનાઓ પશ્ચિમી ઉપનગરોમાં બની હતી, જેમાં 7 લોકોના મોત થયા હતા અને 1 ઘાયલ થયો હતો.

આ સમાચાર પણ વાંચો : Tamannaah bhatia : તમન્નાને ઉપાસના પાસેથી કોઈ હીરાની વીંટી નથી મળી, અભિનેત્રીએ જણાવ્યું વાયરલ તસવીરનું સત્ય

2023 ના પ્રિ-મોન્સૂન (Pre Monsoon) કાર્ય હેઠળ સર્વે કરાયેલા જોખમી વૃક્ષોની લગભગ 1.5 લાખ શાખાઓ પહેલેથી જ કાપવામાં આવી છે, અને વૃક્ષ પડવા સંબંધિત ઘટનાઓને ટાળવા માટે મૃત, જોખમી અને હોલો વૃક્ષો દૂર કરવામાં આવ્યા છે. સહકારી હાઉસિંગ સોસાયટીઓમાં જોખમી વૃક્ષો કાપવા માટે વોર્ડવાર ટીમો બનાવવામાં આવશે.

શિવસેના (UBT) MLC સચિન આહિરે કહ્યું, “કુદરતી આફતોના ભોગ બનેલા લોકોને વળતર આપવામાં આવે છે. કારણ કે તે તેમની ભૂલ નથી કે તેઓ આવા ભાગ્યનો સામનો કરે છે.” હાલમાં, BMC વૃક્ષ પડવાથી સંબંધિત દુર્ઘટનામાં ઘાયલોને 50,000 રૂપિયા અને મૃતકોના પરિવારને 1 લાખ રૂપિયાની સહાય આપે છે.

Bank Fraud in Mumbai લ્યો બોલો, બેંકના જ અધિકારીઓએ મૃત ખાતેદારના એકાઉન્ટમાંથી ₹૨૯.૮૩ લાખ સાફ કર્યા
Gold Scam in Masjid Bunder સોનાના વેપારી સાથે અધધ ₹૪૪ લાખની છેતરપિંડી, ગ્રાહકે અસલી દાગીના સામે ૬ નકલી બિસ્કિટ પધરાવ્યા
Powai Canteen Killing પવઈમાં નજીવી બાબતે ઝઘડો મિત્રએ કાચના ટુકડા પર ધક્કો મારતા રસોઈયાનું મોત
Orange Gate Dumping Civic Halt મુંબઈમાં મેગા પ્રોજેક્ટ અટક્યો, સવાલો વધ્યા! શું ગટરલાઈનમાં કેમિકલ ઠાલવીને પર્યાવરણને જોખમમાં મુકાયું? મનપાએ લીધા કડક પગલાં
Exit mobile version