Site icon News Continuous Bureau | Mumbai

Mumbai: BMC આવતા વર્ષથી ખાનગી હાઉસિંગ સોસાયટીઓમાં વિનામુલ્યે વૃક્ષોની કાપણી.. વૃક્ષો પડતા થતી દુર્ધટનાને રોકવા માટે જોગવાઈ.. જાણો અહીંયા…

Mumbai: 1 જૂનથી 29 જૂન સુધીના 29 દિવસમાં શહેરમાં 435 જેટલા વૃક્ષો અને ડાળીઓ પડવાના બનાવો નોંધાયા હતા, જેમાં 8 લોકોના મોત થયા હતા અને 4 ઘાયલ થયા હતા.

Mumbai: BMC to not charge for pruning trees in private housing societies from next year

Mumbai: BMC to not charge for pruning trees in private housing societies from next year

News Continuous Bureau | Mumbai

Mumbai: રાજ્ય સરકાર BMCને આગામી વર્ષથી ખાનગી હાઉસિંગ સોસાયટીઓમાં વૃક્ષોની ડાળીઓનું વિનામૂલ્યે કાપણી હાથ ધરવા માટે નિર્દેશ આપશે, ઉપરાંત કુદરતી આફતોના ભોગ બનેલા લોકોને વળતર આપવાનો પણ નિર્દેશ કરશે.

Join Our WhatsApp Channel

1 જૂનથી 29 જૂન સુધીના 29 દિવસમાં શહેરમાં 435 જેટલા વૃક્ષો અને ડાળીઓ પડવાના બનાવો નોંધાયા હતા, જેમાં 8 લોકોના મોત થયા હતા અને 4 લોકો ઘાયલ થયા હતા. વિધાન પરિષદના સભ્યોએ વૃક્ષ સંબંધિત દુર્ઘટનાઓમાં વધારો અંગે ચિંતા વ્યક્ત કરી હતી. ઉદ્યોગ પ્રધાન ઉદય સામંતે (Industries Minister Uday Samant) મંગળવારે વિધાન પરિષદને જણાવ્યું હતું કે રાજ્ય સરકાર BMCને હાઉસિંગ સોસાયટીઓના ખાનગી કમ્પાઉન્ડમાં વૃક્ષોની કાપણીનો ખર્ચ ઉઠાવવા કહેશે. આવી કામગીરી માટે દરેક વોર્ડમાં ફ્લાઈંગ સ્કવોડ (Flying Squad) ની રચના કરી શકાય છે.

214 વૃક્ષ પડવાની ઘટનાઓ….7 લોકોના મોત થયા હતા અને 1 ઘાયલ થયો હતો.

તેમણે કહ્યું કે આ પ્રવૃત્તિ ચોમાસાની શરૂઆત પહેલા હાથ ધરવામાં આવશે. સામંતે એ પણ ખાતરી આપી કે BMC આ પ્રવૃત્તિ માટે સમયમર્યાદા નક્કી કરશે. શિવસેના (UBT) જૂથના સુનિલ શિંદે દ્વારા આ મામલો ઉઠાવવામાં આવ્યો હતો, જેમણે કહ્યું હતું કે સૌથી વધુ 214 વૃક્ષ પડવાની ઘટનાઓ પશ્ચિમી ઉપનગરોમાં બની હતી, જેમાં 7 લોકોના મોત થયા હતા અને 1 ઘાયલ થયો હતો.

આ સમાચાર પણ વાંચો : Tamannaah bhatia : તમન્નાને ઉપાસના પાસેથી કોઈ હીરાની વીંટી નથી મળી, અભિનેત્રીએ જણાવ્યું વાયરલ તસવીરનું સત્ય

2023 ના પ્રિ-મોન્સૂન (Pre Monsoon) કાર્ય હેઠળ સર્વે કરાયેલા જોખમી વૃક્ષોની લગભગ 1.5 લાખ શાખાઓ પહેલેથી જ કાપવામાં આવી છે, અને વૃક્ષ પડવા સંબંધિત ઘટનાઓને ટાળવા માટે મૃત, જોખમી અને હોલો વૃક્ષો દૂર કરવામાં આવ્યા છે. સહકારી હાઉસિંગ સોસાયટીઓમાં જોખમી વૃક્ષો કાપવા માટે વોર્ડવાર ટીમો બનાવવામાં આવશે.

શિવસેના (UBT) MLC સચિન આહિરે કહ્યું, “કુદરતી આફતોના ભોગ બનેલા લોકોને વળતર આપવામાં આવે છે. કારણ કે તે તેમની ભૂલ નથી કે તેઓ આવા ભાગ્યનો સામનો કરે છે.” હાલમાં, BMC વૃક્ષ પડવાથી સંબંધિત દુર્ઘટનામાં ઘાયલોને 50,000 રૂપિયા અને મૃતકોના પરિવારને 1 લાખ રૂપિયાની સહાય આપે છે.

Mumbai Local Train Fight મુંબઈ લોકલ ટ્રેનમાં ફરી દંગલ! ભીડભાડવાળા ડબ્બામાં બે યુવકો વચ્ચે છુટ્ટા હાથે મારામારી…
Mumbai InterState Drug Supplier Arrested મુંબઈ પોલીસની મોટી સફળતા બાંદ્રા ટર્મિનસ પરથી રૂ. ૧૦ કરોડનું ચરસ ઝડપાયું, ડ્રગ્સ સપ્લાયર જેલના સળિયા પાછળ
Digital Arrest Scam એફડી અને મ્યુચ્યુઅલ ફંડ તોડાવીને મુંબઈની મહિલા સાથે ૭.૨૧ કરોડની છેતરપિંડી, જાણો કેવી રીતે ફસાવ્યા?
Mumbai Parel Clash પરેલમાં ઈદના જુલૂસ દરમિયાન અથડામણ જેવી સ્થિતિ, પોલીસની સમયસૂચકતાથી સ્થિતિ કાબૂમાં
Exit mobile version