Site icon News Continuous Bureau | Mumbai

લોકડાઉન ખુલતાંની સાથે જ મુંબઇની હવાની ગુણવત્તા બગડી, બાન્દ્રા કુર્લા કોમ્પ્લેક્સ સૌથી વધુ પ્રદુષિત વિસ્તાર નોંધાયો..

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

07 સપ્ટેમ્બર 2020 

મુંબઈમાં સતત બીજા દિવસે કેટલાક વિસ્તારોમાં પ્રદૂષણના સ્તરમાં તીવ્ર વધારો જોવા મળ્યો હતો, જેના પરિણામે માર્ચ 19 પછી હવાની ગુણવત્તા સૌથી ખરાબ જોવા મળી હતી. ભારતમાં પ્રદૂષણ એક ગંભીર સમસ્યા છે, સતત વધતા પ્રદૂષણને કારણે પ્રકૃતિ અને સામાન્ય જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે. જોકે દેશમાં તાળાબંધી થયા પછી વાયુની ગુણવત્તામાં ઘણો સુધારો જોવા મળ્યો છે. પરંતુ લોકડાઉન ખુલ્યા બાદ ની સ્થિતિ, પહેલાની જેમ ગંભીર બની રહી  છે. 

રવિવારે મુંબઈમાં સતત બીજા દિવસે પણ ધુમ્મસ છવાયેલુ વાતાવરણ છે, કેમ કે રવિવારે મુંબઈ ના કેટલાક વિસ્તારોમાં પ્રદૂષણના સ્તરમાં તીવ્ર વધારો જોવા મળ્યો હતો. રવિવારે પીએમ 2.5 પ્રદૂષકો માટે મુંબઇમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ (એક્યુઆઈ) 100 જેટલું નોંધાયું હતું. જ્યારે સિસ્ટમ ઓફ એર ક્વોલિટી વેધર ફોરકાસ્ટિંગ એન્ડ રિસર્ચ (SAFAR) એ અહેવાલ આપ્યો છે કે 21 માર્ચે કોરોનાવાયરસ લોકડાઉનના પ્રથમ તબક્કા પછીની શહેરમાં સૌથી ખરાબ હવાની ગુણવત્તા છે. હવામાન વિભાગે રવિવાર અને સોમવારે વરસાદની આગાહી જારી કરી હતી, જ્યારે મુંબઈ, થાણે અને નવી મુંબઈ રાયગઢ વિસ્તારમાં છેલ્લા 3, 4 કલાકથી ખૂબ જ જોરદાર વીજળી અને ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યો છે.

જ્યારે બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (બીકેસી) માં રવિવારે 304 એક્યુઆઈ હતો. શહેરમાં અન્ય 9 સ્થળોએ પણ હવાની ગુણવત્તા નોંધવામાં આવી હતી. નવી મુંબઈમાં 156 એક્યુઆઈ નોંધાઈ હતી, જેમાં બોરીવલીમાં 139 અને મલાડમાં 135 એક્યુઆઈ નોંધાઈ હતી. કોઈ કોઈ ઠેકાણે એક્યુઆઈ સ્તર તદ્દન 'સંતોષકારક' હતું. 

# 0-50 એક્યુઆઈ રેંજ PM2.5 માટે SAFAR (SAFAR) કેટેગરી તરીકે સારી માનવામાં આવે છે. 

# 51-100 માધ્યમ અને AQI ગુણવત્તા 101-1200 અને

# 201-300 PU માનવામાં આવે છે. 

# 301-400 AQI ને 'ખૂબ નબળી' માનવામાં આવે છે.

# 400 થી વધુને 'ગંભીર' એક્યુઆઈ કેટેગરી માનવામાં આવે છે..  તે જ સમયે, સોમવાર અર્થાત આજે હવાનું સ્તર 97 હોવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે.

SAFAR ના પ્રોજેક્ટ ડિરેક્ટરએ કહ્યું કે, મુંબઈમાં વરસાદનું પ્રમાણ પહેલા કરતાં ઘણું ઘટ્યું છે. અને અત્યારે હવાનું  પવન પણ ઘણું ઓછું છે, પરંતુ હવામાં ભેજ ખૂબ વધી ગયું છે. જેના કારણે શહેરમાં પ્રદૂષણ નોંધપાત્ર રીતે વધ્યું છે. વધુમાં તેમણે કહ્યું કે 'જ્યાં સુધી શહેરમાં જોરદાર પવન ન આવે ત્યાં સુધી પ્રદૂષણના સ્તરમાં સુધારો થવાની આશા નથી. તેમજ રવિવારે કેમ આટલું પ્રદૂષણ નોંધાયું તેનો અભ્યાસ પણ ચાલુ છે.'

Bandra Murder:બાંદ્રામાં સિક્યુરિટી ગાર્ડની નિર્મમ હત્યા: ફોન ન ઉપાડવાની નજીવી બાબતે ઉશ્કેરાયેલા શખ્સે છરીના ઘા ઝીંકી જીવ લીધો
Fraud in Mumbai:મુંબઈમાં નૌકાદળના નકલી અધિકારીનો આતંક: ફોર્ટના વેપારી સાથે ₹4.44 લાખની ઠગાઈ, યુનિફોર્મ પહેરીને આવ્યો હતો ગઠિયો
Govandi Crime: ગોવંડીમાં રમત બની લોહિયાળ: ક્રિકેટ મેચ અધવચ્ચે છોડી જવા બદલ મિત્રોએ જ સગીર પર કર્યો છરીથી હુમલો
Dadar Murder Mystery: દાદરમાં મિત્રએ જ મિત્રની પત્નીની નજર સામે કરી હત્યા: બેન્જો વગાડવાની જૂની અદાવતમાં લોહી વહ્યું, 6 શખ્સો ઝડપાયા
Exit mobile version