News Continuous Bureau | Mumbai
વિદ્યાવિહાર રેલવે ફ્લાયઓવરનું નિર્માણ મુંબઈ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહ્યું છે. N વોર્ડમાં રેલવે ફ્લાયઓવર લાલ બહાદુર શાસ્ત્રી (LBS) માર્ગ અને રામકૃષ્ણ ચેમ્બુરકર (RC) માર્ગને જોડશે. વિદ્યાવિહાર સ્ટેશન પર બ્રિજ માટે પહેલું ગર્ડર ઊભું કરવામાં આવશે. આ માટે સેન્ટ્રલ રેલવેએ કુર્લા અને ભાંડુપ વચ્ચે આજે શનિવારે મધરાતથી રવિવાર સવાર સુધી ખાસ ટ્રાફિક અને પાવર બ્લોકની જાહેરાત કરી છે.
કુર્લાથી ભાંડુપ
રૂટ – અપ ડાઉન, ફાસ્ટ અને પાંચમો-છઠી લાઈન 
સમય – શનિવારે મોડી રાતે 1.10 થી રવિવારે સવારે 4.20 સુધી
આ લોકલ ટ્રેન રદ રહેશે
શનિવારે રાત્રે 11.47 CSMT થી થાણે
રવિવારે સવારે 4.00 AM થાણેથી CSMT
રવિવારે સવારે 4.16 થાણેથી CSMT
રવિવાર મધ્યરાત્રિ 2.33 કર્જત થી CSMT (ફક્ત થાણે સ્ટેશન સુધી)
રવિવારે સવારે 5.16 CSMT થી અંબરનાથ (થાણે સ્ટેશન સુધી દોડશે)
એક્સપ્રેસ થાણે સ્ટેશન પર રદ
– 11020 ભુવનેશ્વર-CSMT કોણાર્ક
– 18030 શાલીમાર-એલટીટી
આ સમાચાર પણ વાંચો : ગો ફર્સ્ટ એરલાઇનની માઠી બેઠી, હવે આ તારીખ સુધી ફ્લાઈટ્સ રદ્દ.. રિફંડ અંગે કંપનીએ આપ્યો આ જવાબ
12810 હાવડા-CSMT દાદર સ્ટેશન પર રદ કરવામાં આવશે.
CSMT-LTT સુધી મોડી દોડતી ટ્રેનો
– 12810 હાવડા મેલ
– 12134 મેંગલોર
– 18519 વિશાખાપટ્ટનમ
– 20104 ગોરખપુર
– 12702 હૈદરાબાદ
– 11140 ગદગ એક્સપ્રેસ
(આ મેલ-એક્સપ્રેસ 20 થી 30 મિનિટના વિલંબ સાથે દોડશે.)
 
			         
			         
                                                        