Mumbai Congress: કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો, દેવરા, સિદ્દીકી પછી મુંબઈમાં હવે સંજય નિરુપમ શિંદે જૂથ સાથે જોડાવવાના અહેવાલ..

Mumbai Congress: મહાવિકાસ આઘાડીમાં સીટ ફાળવણીને લઈને હજુ પણ મતભેદો હોવાનું બહાર આવ્યું છે. ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ મહારાષ્ટ્રમાં 17 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. ઉદ્ધવ ઠાકરેએ પોતાની ઉમેદવારીની જાહેરાત કરતાંની સાથે જ મહા વિકાસ અઘાડીએ ધમાલ શરૂ થઈ ગઈ છે.

by Bipin Mewada
Mumbai Congress Another big blow to Congress, after Deora, Siddiqui, now reports of Sanjay Nirupam joining the Shinde group in Mumbai..

News Continuous Bureau | Mumbai

Mumbai Congress: લોકસભા ચૂંટણીની જાહેરાત બાદ ઉમેદવારીપત્રો ન મળવાને કારણે તમામ પક્ષોમાં બળવો જોવા મળી રહ્યો છે. તેથી આ પાર્ટીમાંથી તે પાર્ટીમાં જનારા ઉમેદવારોની સંખ્યામાં હાલ વધારો થયો છે. મુંબઈમાં હજુ પણ મહાવિકાસ સીટ ફાળવણીનો વિવાદ ઉકેલાયો ન હોવાથી કોંગ્રેસને ( Congress ) હવે વધુ એક મોટો ઝટકો લાગવાની શક્યતા છે. મુંબઈમાં કોંગ્રેસના એક વરિષ્ઠ નેતા શિવસેનાના શિંદે જૂથના માર્ગે હોવાનું માનવામાં આવી રહ્યું છે. 

મહાવિકાસ આઘાડીમાં સીટ ફાળવણીને લઈને હજુ પણ મતભેદો હોવાનું બહાર આવ્યું છે. ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ મહારાષ્ટ્રમાં 17 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. ઉદ્ધવ ઠાકરેએ પોતાની ઉમેદવારીની જાહેરાત કરતાંની સાથે જ મહા વિકાસ અઘાડીએ ધમાલ શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસ નેતા સંજય નિરુપમે ( Sanjay Nirupam ) પાર્ટીને અલ્ટીમેટમ આપ્યું છે. કોંગ્રેસના નેતાઓએ પણ ઉદ્ધવ ઠાકરેના ઉમેદવારની જાહેરાત પર નારાજગી વ્યક્ત કરી હતી. આથી કોંગ્રેસના નેતા સંજય નિરુપમ એકનાથ શિંદેની ( Eknath Shinde ) શિવસેનામાં જોડાય તેવી હાલ શક્યતા વધી છે.

  સંજય નિરુપમ અગાઉ શિવસેનામાં હતા…

સંજય નિરુપમ અગાઉ શિવસેનામાં હતા. જે બાદ તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા. હવે શિવસેનામાં બે જૂથ છે. તેથી એવી ચર્ચા છે કે તેઓ હવે શિંદેની ( Shinde Group ) શિવસેનામાં જોડાશે. આ પહેલા મીડિયા સાથે વાત કરતા સંજય નિરુપમે કહ્યું હતું કે મારી પાસે વિકલ્પોની કોઈ કમી નથી. હું એક અઠવાડિયું રાહ જોઈશ અને પછી નિર્ણય લઈશ. તેઓ તે મુદ્દે નારાજ હતા કે અમોલ કીર્તિકરને ઉત્તર પશ્ચિમ મુંબઈથી નોમિનેટ કરવામાં આવ્યા હતા. હું ખીચડી કૌંભાંડમાં સામેલ લોકોને પ્રમોટ નહીં કરું. આવા શબ્દોમાં સંજય નિરુપમે કોંગ્રેસને ચેતવણી આપી હતી.

આ સમાચાર પણ વાંચો : Worldwide recession probability : વિશ્વવ્યાપી મંદીની સંભાવના, વિશ્વમાં ઘણા વિકસિત દેશોમાં એક વર્ષની અંદર મંદિના સંકેતોઃ રિપોર્ટનો ચોંકવનારો ખુલાસો…

સંજય નિરુપમે હાઈકમાન્ડને સીધો પડકાર ફેંક્યો હતો. સંજય નિરુપમે કહ્યું કે આ સીટ પરથી જે ઉમેદવારને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે તેમના પર કામદારોની ખીચડી ચોરવાનો આરોપ છે. જેથી હવે કોંગ્રેસમાં બળવો થવાની સંભાવના છે. મુંબઈ પ્રદેશ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સંજય નિરુપમે ટિકિટ વહેંચણીને લઈને શિવસેના પર જોરદાર પ્રહારો કર્યા છે અને પોતાની જ પાર્ટી પર પણ નિશાન સાધ્યું છે.

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More