Site icon News Continuous Bureau | Mumbai

બી.એમ.સી ની ચૂંટણીઓ નજીક આવતા જ સત્તાનો કકળાટ શરૂ…  શું વોર્ડમાં ફેરબદલ કરવા જરૂરી છે..!?

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,

મુંબઈ

Join Our WhatsApp Channel

21 ડિસેમ્બર 2020

મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, એટલે વિવિધ પાર્ટીઓ તરફથી પોતાના પક્ષમાં વધુને વધુ વોટ પડે એ માટેની રણનીતિ રચાઇ રહી છે. જ્યારે ભાજપ સત્તામાં હતો ત્યારે બીએમસી ને ધ્યાનમાં રાખી શહેરના વોર્ડની ફેર રચના કરી હતી. આનાથી ભાજપને મોટો લાભ પણ થયો હતો. તેના વધુમાં વધુ નગરસેવકો ચૂંટાઈ આવ્યા હતા. એટલે હવે આગામી ચૂંટણીને ધ્યાનમાં લઇ મહા વિકાસ આઘાડી સરકારે વોર્ડની ફરી રચના કરવાની માગણી  મુંબઈ મનપામાં કરી છે.

આજથી પહેલા 2017માં ની ચૂંટણી યોજાઇ હતી એ સમયે ભાજપ અને શિવસેના વચ્ચે મતભેદની શરૂઆત થઈ હતી.  આ જ મતભેદને ધ્યાનમાં રાખી ભાજપે ત્યારે બોર્ડમાં ફેરબદલ કર્યા હતા. ખાસ કરીને લઘુમતી વાળા વોર્ડનું વિભાજન કરી ચૂંટણી નો ફાયદો ઉઠાવ્યો હતો. 

હવે મહારાષ્ટ્રમાં સત્તામાં શિવસેના કોંગ્રેસ અને એનસીપીની સંયુક્ત સરકાર છે અને પોતાની સત્તાનો ફાયદો આ પક્ષો પણ ઉઠાવવા માંગે છે અને આથી જ તેમણે વોર્ડની ફરી રચના કરવાની માંગ કરી છે. જેથી પોતાના વધુને વધુ નગરસેવકો ચૂંટાઈ આવે. બીજી બાજુ એવા પ્રશ્નો પણ ઉઠી રહ્યા છે કે શું મનપાના વોર્ડની નવેસરથી રચના કરવાથી સત્તાપક્ષ જીતી શકશે? એનો જવાબ તો આગામી દિવસોમાં ચૂંટણી બાદ જ મળશે..

Apple iPhone 18 Launch Mumbai મોંઘવારીની બૂમો કે સુપર કન્ઝ્યુમરિઝમ? મુંબઈમાં દોઢથી બે લાખના આઈફોન માટે પડાપડી! સ્ટોર્સ બહાર લાંબી લાઈનો
Kelwa Police Reunite Lost Kids ગણેશ વિસર્જનની ભીડમાં ગુમ થયેલા ૨ માસૂમ બાળકોનું પરિવાર સાથે મિલન
Thane Crime Branch Ganja Bust ડ્રગ્સ વિરુદ્ધ સપાટો ભિવંડીમાં માદક પદાર્થોની તસ્કરીનું રેકેટ ઝડપાયું, પોલીસે લાખો રૂપિયાનો ગાંજો કર્યો જપ્ત
Lalbaug Gang Busted લાલબાગમાં ભક્તોને ટાર્ગેટ કરતી ઈન્દોરની ગેંગ પકડાઈ ગણેશોત્સવની ભીડમાં ચોરી કરતાં ૨ શખ્સો જેલભેગા
Exit mobile version