News Continuous Bureau | Mumbai
Mumbai Court: કોર્ટ (Court) ના કેટલાક નિર્ણયો લોકોમાં ચર્ચાનો વિષય બની જાય છે. મુંબઈ (Mumbai) ની એક અદાલતે આપેલા નિર્ણય પર પણ આવી જ ચર્ચા શરૂ થઈ છે. ઘરેલું હિંસા કેસ (Domestic violence cases) માં પતિને તેની પત્ની સાથે તેના ત્રણ કૂતરાઓને ભરણપોષણ ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો છે. એક 55 વર્ષીય છૂટાછેડા(Divorce) લીધેલી મહિલાએ કોર્ટને કહ્યું હતું કે તેનો પતિ ત્રણ રોટવેઈલર્સનો ભરણપોષણનો ખર્ચ ચૂકવે. કોર્ટે આ નિર્ણય આપ્યો છે.
મુંબઈની મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટ (METROPOLITAN MAGISTRATE’S COURT OF MUMBAI) ના કોમલ સિંહ રાજપૂતે આ અંગે નિર્ણય આપ્યો છે. પતિની તરફેણમાં દલીલ કરવામાં આવી હતી કે પત્નીનું ભરણપોષણ ઘટાડવું જોઈએ. જો કે કોર્ટે આ દલીલ ફગાવી દીધી હતી. પત્નીના ભરણપોષણમાં ત્રણ કૂતરાઓના સારસંભાળ ખર્ચનો સમાવેશ થાય છે.. પાળતુ પ્રાણી પણ સુસંસ્કૃત જીવનશૈલીનો અભિન્ન ભાગ છે અને વ્યક્તિ માટે સ્વસ્થ જીવન જીવવા માટે જરૂરી છે, એમ કોર્ટે જણાવ્યું હતું.
પાલતુ પ્રાણી વ્યક્તિના ભાવનાત્મક સ્વાસ્થ્યનું રક્ષણ કરે છે. તેવી ટિપ્પણી કરતા કોર્ટે દર મહિને 50,000 રૂપિયાનું નિર્વાહ ભથ્થું ચૂકવવાનો આદેશ પણ આપ્યો હતો.
ઘરેલું હિંસાનો ભોગ બનેલી મહિલાએ ઘરેલું હિંસા અધિનિયમની કલમ 12 હેઠળ દર મહિને 70,000 રૂપિયા ચૂકવવાની માંગ કરી હતી. પરંતુ તેના પતિએ તેના 3 પાલતુ કૂતરાઓ માટે પણ તેના જાળવણીનો ખર્ચ ચૂકવવાનો ઇનકાર કર્યો હતો. પત્નીએ પતિના ઇનકારને કોર્ટમાં પડકાર્યો હતો. જોકે કોર્ટે પત્નીને આંશિક રાહત આપી છે. કોર્ટે મહિલા દ્વારા દાખલ કરાયેલી મુખ્ય અરજીનો નિકાલ ન થાય ત્યાં સુધી પતિને દર મહિને 50,000 રૂપિયા ખર્ચ તરીકે ચૂકવવાનો નિર્દેશ આપ્યો છે.
આ સમાચાર પણ વાંચો: Today’s Horoscope : આજે 13 જુલાઈ 2023, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.
કોર્ટે બીજું શું કહ્યું?
આ કપલે 1986માં ભારતના એક શહેરમાં લગ્ન કર્યા હતા. તેમને બે દીકરીઓ છે જે વિદેશમાં સ્થાયી છે. પરંતુ 2021માં પતિ-પત્ની વચ્ચે મતભેદ ઉભો થયો અને તેણે ભરણપોષણ અને અન્ય સુવિધાઓના વચન સાથે પત્નીને મુંબઈ મોકલી દીધી. જોકે, પત્નીનો આરોપ છે કે પતિએ પોતાનું વચન પાળ્યું નથી. કોર્ટમાં પોતાના કેસની દલીલ કરતી વખતે પત્નીએ કહ્યું કે તેની પાસે આવકનો બીજો કોઈ સ્ત્રોત નથી, તેની તબિયત સારી નથી અને ત્રણ કૂતરા પાળવાનો ખર્ચ ઉઠાવવો મુશ્કેલ છે.
– કોર્ટે કહ્યું કે પાલતુ પ્રાણીઓ પણ સુસંસ્કૃત જીવનશૈલીનો અભિન્ન ભાગ છે અને માનવી માટે સ્વસ્થ જીવન જીવવા માટે જરૂરી છે.
– અરજી પર સુનાવણી કરતી વખતે કોર્ટે કહ્યું કે કૂતરાઓ તૂટેલા સંબંધોથી બનેલી ભાવનાત્મક શૂન્યાવકાશને ભરી દે છે.
– પાળતુ પ્રાણી ભાવનાત્મક સ્વાસ્થ્ય લાવે છે. તેથી મહિને 50,000નું નિર્વાહ ભથ્થું મહિલાને મળવું જોઈએ.
– પતિને બિઝનેસમાં નુકસાન થયું હોવાના કોઈ નક્કર પુરાવા નથી, તેથી તે પોતાની જવાબદારીમાંથી છટકી શકે નહીં.
આ સમાચાર પણ વાંચો: Tea Leaves For Face: ચહેરા પર જોઈએ છે ઇન્સ્ટન્ટ ગ્લો ? આ રીતે ચા પત્તીનો ઉપયોગ કરો, સ્કિન પર દેખાશે જાદુઈ ચમક..