આરટીઆઈનો ચોંકવકનારો ખુલાસો, મુંબઈમાં એપ્રિલ મહિનામાં તમામ કારણોસર થતા મોતમાં આટલા ટકાનો વધારો થયો; આંકડો જાણીને આંખો પહોળી થઈ જશે

મુંબઇમાં છેલ્લા ચાર વર્ષના એપ્રિલ મહિનાની સરખામણીએ આ વર્ષે એપ્રિલમાં તમામ કારણોસર થતા મોટી સંખ્યામાં 112% નો વધારો થયો છે.

આરટીઆઈ એપ્લિકેશન દ્વારા નાગરિક નિગમે જારી કરેલા આંકડા દર્શાવે છે કે આ વર્ષે એપ્રિલમાં મુંબઇમાં 14,484 મોત નોંધાયા છે. જોકે એપ્રિલમાં 1,479 લોકોના કોરોના ને કારણે મોત થયા હતા.

એપ્રિલ 2020 માં 7,648 નોંધાયેલા મૃત્યુની તુલનામાં, આ વર્ષે મૃત્યુની સંખ્યામાં 89% જેટલો વધારો થયો છે.

આરટીઆઈ દાખલ કરનાર કાર્યકર શરદ યાદવે કહ્યું કે મૃત્યુની વધેલી સંખ્યા અંગે તપાસ થવી જોઇએ. કારણ કે આ આંકડો છેલ્લા ચાર વર્ષના શહેરમાં મૃત્યુઆંકને વટાવી ગયો છે. 

જોકે આ ડેટા તમામ કારણોસર મૃત્યુઆંકનો છે પરંતુ કોવિડ -19 મૃત્યુની સંખ્યા અંગે ચિંતા ઉભી કરી છે.

આખરે કયો રાજકીય પક્ષ નકલી વેક્સિનેશનકાંડમાં સંડોવાયેલો છે? ચારકોપ નિવાસી જાણે છે; જાણો વિગત

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *