Site icon News Continuous Bureau | Mumbai

શું મુંબઈ હવે સુરક્ષિત છે? કોરોનાની ત્રીજી લહેર નહીં આવે? પાલિકાએ કોર્ટને કહી આ વાત: જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 5 ઓક્ટોબર, 2021

Join Our WhatsApp Channel

મંગળવાર

આ વર્ષની શરૂઆતમાં વકીલ ધૃતિ કપાડિયા અને કુણાલ તિવારીએ બોમ્બે હાઈકોર્ટમાં જનહિત યાચિકા કરી હતી. જેમાં વરિષ્ઠ નાગરિકો, દિવ્યાંગો અને પથારીવશ દર્દીઓને તેમના ઘરે જ વેક્સિન મળે તેની માગણી કેન્દ્ર અને રાજ્ય સરકાર સમક્ષ કરી હતી. આ યાચિકાની સુનાવણી સોમવારે બોમ્બે હાઈકોર્ટમાં થઈ હતી. જેમાં પાલિકાએ શહેરમાં કોરોનાની ત્રીજી લહેર નહિ આવવાની વાત કરી હતી.

પાલિકાના કાઉન્સેલ અનિલ સાખરેએ કહ્યું હતું કે, 'શહેરમાં રસીકરણ ઝુંબેશ બરાબર રીતે ચાલી રહી છે. 42 લાખથી વધુ લોકોએ બંને ડોઝ લઈ લીધા છે અને 82 લાખ જેટલા લોકોએ પ્રથમ ડોઝ લીધો છે. તેથી ત્રીજી લહેરનો ખતરો ટળી ગયો છે. તે સિવાય પથારીવશ એવા 2,586 લોકોના પૂર્ણ રસીકરણ થયા છે અને 3,942 લોકોએ પ્રથમ ડોઝ લીધો છે.'

પેંડોરા પેપર્સ લીક પ્રકરણે મોટો ખુલાસો: જે મહિલા સાફ સફાઈનું કામ કરતી હતી તે આ દેશના રાષ્ટ્રપતિની પ્રેમિકા બન્યા બાદ બની ગઇસંપત્તિની માલકિણ; જાણો વિગત

અનિલ સાખરેએ કોર્ટને વધુમાં જણાવ્યું હતું કે, 'રસીકરણનું કામ સતત ચાલુ છે. હવે રસીની પણ અછત નથી. મુંબઈ સુરક્ષિત છે. ત્રીજી લહેરનો સામનો નહિ કરવો પડે.'

Chembur Murder Case ચેમ્બુરમાં રિક્ષામાંથી મળી આધેડની લોહીલુહાણ લાશ પેટમાં તીક્ષ્ણ હથિયારના ઘા મારી કરાઈ હત્યા
Mumbai AutoRickshaw Crime મુસાફરી દરમિયાન મહિલાનો ગુપ્ત વીડિયો ઉતારી ધમકાવનાર રિક્ષાચાલક ઝડપાયો શારીરિક સંબંધની કરી માંગણી
Domestic Gas Cylinder Commercial Use ચેમ્બુરમાં રેસ્ટોરન્ટમાં દરોડો સબસિડીવાળા ઘરેલુ ગેસ સિલિન્ડરનો કોમર્શિયલ ઉપયોગ પકડાયો
Ghatkopar Chain Snatching Attempt ઘાટકોપરમાં ચેન સ્નેચિંગનો પ્રયાસ નિષ્ફળ પોલીસ સિપાઈએ ફિલ્મી સ્ટાઈલમાં લૂંટારાને દબોચ્યો
Exit mobile version