209
Join Our WhatsApp Channel
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 25 સપ્ટેમ્બર, 2021
શનિવાર
હાલમાં, ફક્ત ઇમરજન્સી સેવાના કર્મચારીઓ અને જેઓએ કોરોના રસીના બે ડોઝ લીધા છે તેમને જ લોકલ ટ્રેનમાં પ્રવાસ કરવાની મંજૂરી છે.
જોકે, અત્યારે નકલી ઓળખ કાર્ડ સાથે મુસાફરી કરતા લોકોની સંખ્યા વધી રહી છે.
એપ્રિલથી સપ્ટેમ્બર વચ્ચે મધ્ય રેલવે પર ઓપરેશન દરમિયાન 4,891 જેટલા નકલી આઈડી કાર્ડ જપ્ત કરવામાં આવ્યા છે.
સાથે જ તેમની પાસેથી 24 લાખ 47 હજાર 235 રૂપિયાનો દંડ પણ વસુલવામાં આવ્યો છે.
આ ઉપરાંત, મુસાફરી દરમિયાન માસ્ક વગરના 2,193 મુસાફરો પર 4,29,245 રૂપિયાનો દંડ લાદવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે સ્ટેશન પર મુસાફરોની અવરજવર વધી છે. પીક અવર્સ દરમિયાન, લોકલ ટ્રેનમાં મુસાફરોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે.
કૉન્ગ્રેસમાં કલહ : અશોક ગહલોતને આડે હાથ લીધા કૅપ્ટન અમરિંદર સિંહે, કહી આ મોટી વાત; જાણો વિગત
You Might Be Interested In