મુંબઈગરાઓની ચિંતા વધી! વિદેશથી પરત આવેલ આટલા મુસાફર કોરોના પોઝિટિવ.. મુંબઈ મહાનગરપાલિકા એલેર્ટ

કોરોનાના દર્દીઓની વધતી સંખ્યાને કારણે સમગ્ર વિશ્વમાં ચિંતાનું વાતાવરણ છે. તેમજ આ પૃષ્ઠભૂમિમાં તમામ સરકારી એજન્સીઓ પણ હાઈ એલર્ટ પર છે. કોરોનાને લઈને વહીવટીતંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવી રહ્યા છે ત્યારે મુંબઈ એરપોર્ટ પર વિદેશથી આવેલા એક નાગરિકનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હોવાનું બહાર આવતાં મુંબઈગરાઓની ચિંતા વધી ગઈ છે.

by Dr. Mayur Parikh
Since Dec 24, 9 international passengers detected with Covid at Mumbai airport

News Continuous Bureau | Mumbai

કોરોનાના દર્દીઓની વધતી સંખ્યાને કારણે સમગ્ર વિશ્વમાં ચિંતાનું વાતાવરણ છે. તેમજ આ પૃષ્ઠભૂમિમાં તમામ સરકારી એજન્સીઓ પણ હાઈ એલર્ટ પર છે. કોરોનાને લઈને વહીવટીતંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવી રહ્યા છે ત્યારે મુંબઈ ( Mumbai  ) એરપોર્ટ ( Mumbai airport ) પર વિદેશથી આવેલા એક નાગરિકનો ( international passengers ) કોરોના ટેસ્ટ પોઝિટિવ ( Covid positive ) આવ્યો હોવાનું બહાર આવતાં મુંબઈગરાઓની ચિંતા વધી ગઈ છે.

વિદેશથી પેસેન્જર 28મી ડિસેમ્બરે મુંબઈ આવ્યો છે. દરમિયાન, મુસાફર કયા દેશનો છે તે હજુ સુધી જાણી શકાયું નથી. આ સાથે જ મુંબઈ મહાનગરપાલિકા એલેર્ટ મોડ પર આવી ગઈ છે.

ચીનમાં કોરોનાના સમાચારે આખી દુનિયામાં ખળભળાટ મચાવી દીધો છે ત્યારે ઘણા દેશોએ કોરોના નિવારણના નિયમો લાગુ કર્યા છે. ભારત સરકારે પણ આ અંગે કડક પગલાં લેવાનું શરૂ કરી દીધું છે. છ દેશોના નાગરિકો પર પ્રતિબંધ લાદ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વિટ કરીને આ જાણકારી આપી છે કે 1 જાન્યુઆરી 2023થી ચીન, હોંગકોંગ, જાપાન, દક્ષિણ કોરિયા, સિંગાપોર અને થાઈલેન્ડથી આવતા મુસાફરો માટે RTPCR ટેસ્ટ ફરજિયાત કરવામાં આવ્યો છે. હવે મુસાફરી કરતા પહેલા તેઓએ તેમનો રિપોર્ટ એર સુવિધા પોર્ટલ પર અપલોડ કરવાનો રહેશે.

આ સમાચાર પણ વાંચો: Heeraben Modi Death News: PM મોદીનાં માતા હીરાબા દેવલોક પામ્યા, રડતા હૃદય અને મક્કમ મનોબળ સાથે PM મોદીએ હીરાબાને આપી કાંધ

દરમિયાન મુંબઈમાંથી કોરોનાને હાંકી કાઢવાના સંકેત દેખાઈ રહ્યા છે અને ગુરુવારે દિવસ દરમિયાન 09 કોરોના સંક્રમિત દર્દીઓ નોંધાયા છે. જેના કારણે કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 11 લાખ 55 હજાર 117 પર પહોંચી ગઈ છે. દિવસ દરમિયાન શૂન્ય મૃત્યુ નોંધાયા હોવાથી, મૃત્યુઆંક 19 હજાર 746 પર સ્થિર રહ્યો છે. સાથે જ શહેરમાં 03 દર્દીઓએ તેના પર કાબુ મેળવતા 11 લાખ 35 હજાર 321 દર્દીઓએ કોરોનાને માત આપી છે. તો 50 સક્રિય દર્દીઓ છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More