Site icon

મુંબઈગરા આનંદો! મુંબઈ લેવલ-૧ના અનલૉક માટે તૈયાર; પણ શું પાલિકાની મંજૂરી મળશે?જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૮ જૂન ૨૦૨૧

Join Our WhatsApp Community

શુક્રવાર

મહારાષ્ટ્રમાં અનલૉક માટે સરકારે પાંચ સ્તરીય અનલૉક યોજના અલમમાં મૂકી હતી. આ તબક્કોઓનો આધાર મુખ્યત્વે બે વસ્તુ પર છે. પ્રથમ પૉઝિટિવિટી રેટ અને દ્વિતીય ઑક્સિજન બેડની ઑક્યુપન્સી. પ્રથમ તબક્કામાં આવતા જિલ્લામાં પૉઝિટિવિટી રેટ પાંચ ટકાથી નીચો હોવો જોઈએ અને ઑક્સિજન બેડની ઑક્યુપન્સી ૨૫ ટકાથી ઓછી હોવી જોઈએ.

આ મુજબ હવે મુંબઈ પ્રથમ તબક્કામાં આવી ગયું છે. હાલ મુંબઈનો પૉઝિટિવિટી રેટ 3.૭૯% ટકા છે તો ઑક્સિજન બેડની ઑક્યુપન્સી માત્ર ૨૩.૫૬% ટકા છે. જોકેપૂર્વે મુંબઈ બીજા તબક્કામાં હોવા છતાં મુંબઈમાં ત્રીજા તબક્કાના નિયમો પાલિકા દ્વારા લાગુ કરાયા છે. હવે આ મામલે પાલિકા શું નિર્ણય કરે છે એના પર સૌની નજર છે.

કાંદિવલીના ફેક વેક્સિનેશન મામલે ચારની ધરપકડ; જાણો વિગત

ઉલ્લેખનીય છે કે જો મુંબઈમાં પ્રથમ તબક્કા અનુસાર નિયમો લાગુ થાય તો મૉલ, સિનેમા ઉપરાંત તમામ વસ્તુઓ ખૂલી જશે. ઉપરાંત રાજ્યના રાહત અને પુનર્વસન પ્રધાન વિજય વડેટ્ટીવારના આપેલા નિવેદન મુજબ લોકલ ટ્રેનોમાં સમાન્ય જનતાને પણ પ્રવેશ કરવાની છૂટ મળી શકે છે.

Karishma Sharma: રાગિની એમએમએસ રિટર્ન્સ’ ફેમ એક્ટ્રેસ કરિશ્મા શર્માએ ચાલુ ટ્રેનમાંથી કૂદી, માથામાં થઈ ઇજા
Girgaum Robbery: મુંબઈમાં આંગડિયા કર્મચારી અને ડ્રાઈવરને બંધક બનાવી ગિરગામમાં 2.70 કરોડની લૂંટ
Lalbaugcha Raja: ભક્તોએ આસ્થા સાથે હરાજીમાં રેકોર્ડ ખરીદી કરી અને બિજી તરફ મોબાઈલ ચોરો પકડાયા
BMC: મંત્રાલય નજીક પાણીની પાઇપલાઇનમાં મોટું લીકેજ, રસ્તાઓ બંધ, બસ સેવાઓ પ્રભાવિત
Exit mobile version