Site icon News Continuous Bureau | Mumbai

Mumbai: મુંબઇમાં મરાઠી લોકોને ઘરની ખરીદીમાં 50 % અનામત આપો એવી માંગણી સાથે મુખ્ય પ્રધાનને પત્ર.. જાણો સંપુર્ણ મુદ્દો વિગતે..વાંચો અહીં..

Mumbai: છેલ્લાં કેટલાંક વર્ષોમાં મુંબઇમાં જગ્યાના ભાવ આસમાને પહોંચ્યા છે. ઉપરાંત ઠેર ઠેર આલીશાન બહુમાળી ઇમારતો ઊભી થઇ રહી છે. ત્યારે કરોડોની કિંમતનું ઘર ખરીદવું સામાન્ય મરાઠી માણસ માટે શક્ય રહ્યું નથી. તેથી મરાઠી લોકો માટે 50% અનામત રાખવું જોઇએ આવી માંગણી મુખ્ય પ્રધાન એકનાથ શિંદે પાસે કરી છે…

Mumbai Letter to Chief Minister demanding 50% reservation in house purchase for Marathi people in Mumbai

Mumbai Letter to Chief Minister demanding 50% reservation in house purchase for Marathi people in Mumbai

News Continuous Bureau | Mumbai 

Mumbai: નોનવેજીટેરિયન મરાઠી લોકોને ( Nonvegetarian Marathi people ) બિલ્ડીંગમાં ( Building ) ઘર આપવાની મનાઇ, બિલ્ડર દ્વારા મરાઠી માણસને ( Marathi man ) રોકવાનો પ્રયાસ આ તમામ વાતોના પર્યાય તરીકે નવી બિલ્ડીંગમાં ઘરનું બુકીંગ શરુ થાય ત્યાર બાદ એક વર્ષ સુધી મરાઠી લોકો માટે 50% અનામત ( reserve ) રાખવું જોઇએ. જો એક વર્ષ સુધી કોઇ મરાઠી માણસ આ ઘર ના ખરીદે તો ત્યાર બાદ બિલ્ડર તે બીજા કોઇને પણ વેચી શકે તેવો નિયમ હોવો જોઇએ.

Join Our WhatsApp Channel

જેથી જે મરાઠી લોકો આર્થિક ( Financially ) રીતે સક્ષમ હશે તે લોકો માટે ઘર ખરીદવું શક્ય બનશે. આવી માંગણી પાર્લે પંચમ સામાજીક સંસ્થાએ ( Parle Pancham social organization ) મુખ્ય પ્રધાન એકનાથ શિંદે ( CM Eknath Shinde ) પાસે કરી છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં મુંબઇમાં જગ્યાના ભાવ આસમાને પહોંચ્યા છે. ઉપરાંત ઠેર ઠેર આલીશાન બહુમાળી ઇમારતો ( High rise buildings ) ઊભી થઇ રહી છે. ત્યારે કરોડોની કિંમતનું ઘર ખરીદવું સામાન્ય મરાઠી માણસ માટે શક્ય રહ્યું નથી.

 નવી બિલ્ડીંગમાં 20 ટકા ઘર નાના હોવા જોઇએ…

જે મરાઠી માણસ આવા મોંઘા ઘર ખરીદવાની ક્ષમતા ધરાવે છે તેમને તેઓ નોનવેજીટેરિયન છે જેવા અનેક કારણો આપીને બિલ્ડર ઘર વેચવા તૈયાર થતાં નથી. મરાઠી માણસની આ દયનીય પરિસ્થિતી પર રાજ્ય સરકારે ધ્યાન આપવું જોઇએ. એમ પાર્લે પંચમ સંસ્થાના અધ્યક્ષ શ્રીધર ખાનોલકરે મુખ્ય પ્રધાનને લખવામાં આવેલ પત્રમાં જણાવ્યું છે. આ સંસ્થાએ મનસેના અધ્યક્ષ રાજ ઠાકરે, શિવસેનાના કાર્યાધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે, ગૃહનિર્માણ પ્રધાન અતુલ સાવે, રાષ્ટ્રવાદી કોંગ્રસના અધ્યક્ષ શરદ પવાર, કોંગ્રેસના પ્રદેશાધ્યક્ષ નાના પટોલેને પણ આ પત્રની નકલ એક્સ (X) પર આ તમામ લોકોને ટેગ કરીને પોસ્ટ કરી છે.

આ સમાચાર પણ વાંચો : IND V/S PAK: અમદાવાદની ભારત-પાક મેચ માટે મુંબઈથી દોડશે 2 સ્પેશ્યલ ટ્રેન, આજથી બુકિંગ શરૂ, જાણો ગુજરાતમાં ક્યાં-ક્યાં ઊભી રહેશે? વાંચો વિગતે અહીં..

દરેક નવી બિલ્ડીંગમાં 20 ટકા ઘર નાના હોવા જોઇએ. તેમની કિંમત તથા મેન્ટેનન્સ પોસાય એવું હોવું જોઇએ. મોટી ઇમારતોમાં આવા નાના ઘરોનું એક વર્ષ માટે 100 ટકા અનામત મરાઠી માણસ માટે હોવું જોઇએ એવો ઉલ્લેખ પણ ખાનોલકરે પત્રમાં કર્યો છે.

NEET Protest Summons મુંબઈ પોલીસની મોટી કાર્યવાહી, NEET આંદોલનકારીઓને વોટ્સએપ પર મોકલવામાં આવી સમન્સ નોટિસ, ૩૦૦ થી વધુને હાજર રહેવા આદેશ
Railway Officer MBBS Admission Fraud રેલવે અધિકારી સાથે ૨૬ લાખની ઠગાઈ, પુત્રીને MBBS માં એડમિશન અપાવવાની લાલચ આપી નાણાં પડાવનાર આરોપીઓ સામે FIR
Powai Lake Drowning પવઈના લેકમાં ૧૯ વર્ષીય યુવક ડૂબ્યો નાના ભાઈ સાથે રમતા ઊંડા પાણીમાં ઉતરી જતાં દુર્ઘટના, શોધખોળ ચાલુ
MIDC Police Success ત્રણ વર્ષની લાંબી તલાશીનો અંત MIDC પોલીસે અનાથાશ્રમમાંથી ગુમ થયેલા ૮ વર્ષના બાળકનું પરિવાર સાથે મિલન કરાવ્યું
Exit mobile version