Mumbai Local : પ્રથમ ગ્રાસે મક્ષિકા… અઠવાડિયાના પ્રથમ દિવસે જ આ રેલવે લાઈનના મુસાફરોને થશે હેરાનગતિ; 30 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડશે લોકલ ટ્રેનો.. 

Mumbai Local :  સપ્તાહના પ્રથમ દિવસે પશ્ચિમ રેલવે (વેસ્ટર્ન લોકલ)નો વાહનવ્યવહાર ખોરવાતા મુસાફરો પરેશાન થયા છે. ટ્રેનો 30 થી 35 મિનિટ મોડી દોડી રહી છે. ચર્ચગેટથી ગોરેગાંવ ડાઉન માર્ગ પરનો વાહનવ્યવહાર ખોરવાયો છે અને મુસાફરોને અસર થશે. પશ્ચિમ રેલવે પર 4 ઓક્ટોબર સુધી 150 લોકલ ટ્રેનો રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના કારણે મુંબઈકરોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

by kalpana Verat
Mumbai Local 175 Western Railway trains to be cancelled this week

News Continuous Bureau | Mumbai 

Mumbai Local :પશ્ચિમ રેલવેના સ્થાનિક મુસાફરો માટે મોટા સમાચાર છે. મલાડ સ્ટેશન સુધી છઠ્ઠી લાઇનના વિસ્તરણની કામગીરી પશ્ચિમ રેલવે દ્વારા હાથ ધરવામાં આવી હતી. આ કામ અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે. આ સ્થળે રેલવે તરફથી મોટો બ્લોક લેવામાં આવ્યો હતો. જેમાંથી 128 કલાકનું કામ બાકી છે. રેલવેની માહિતી અનુસાર 4 ઓક્ટોબર સુધી 150 લોકલ ટ્રેનો રદ કરવામાં આવશે. રેલ્વે અધિકારીઓની માહિતી અનુસાર, રામ મંદિર સ્ટેશન અને મલાડ વચ્ચે 30 કિમી પ્રતિ કલાકની ઝડપે લોકલ ટ્રેનો દોડાવવામાં આવશે, જેના કારણે દિવસના સમયપત્રકને અસર થશે.

Mumbai Local :આ કામ પૂર્ણ થયા પછી સ્પીડ મર્યાદા દૂર કરવામાં આવશે

 છઠ્ઠી લાઇનનું કામ પૂર્ણ થતાંની સાથે જ સ્પીડ મર્યાદા દૂર કરવામાં આવશે. પશ્ચિમ રેલવે પર સવારના પીક અવર્સ દરમિયાન ગોરેગાંવથી ચાર ઝડપી લોકલ ટ્રેનો દોડે છે. લૂપ લાઇનની ઉપલબ્ધતા ન હોવાને કારણે મુખ્ય બ્લોક દરમિયાન તે ચાર લોકલ બંધ રહેશે. રેલવે અધિકારીના જણાવ્યા અનુસાર, બ્લોક દરમિયાન મલાડ સ્ટેશન પર કટ અને કનેક્શનનું કામ કરવામાં આવ્યું છે. તેથી, મલાડ સ્ટેશન પર વર્તમાન પ્લેટફોર્મ નંબર 3 પ્લેટફોર્મ નંબર 4 તરીકે ઓળખાશે.

Mumbai Local : લોકલ ટ્રેનની સંખ્યા વધશે 

છઠ્ઠી લાઇન પૂરી થયા બાદ મેલ એક્સપ્રેસ માટે અલગ રૂટ ઉપલબ્ધ થશે. તેનાથી લોકલ ટ્રેનની સંખ્યા વધારવાનો પણ માર્ગ મોકળો થશે. પશ્ચિમ રેલવેના આયોજન મુજબ ડિસેમ્બર 2024 સુધીમાં છઠ્ઠી લાઇન બોરીવલી સુધી પહોંચાડવાનો પ્રયાસ છે. આનાથી ચર્ચગેટથી બોરીવલી સુધીની લોકલ સેવામાં સુધારો થશે.

આ સમાચાર પણ વાંચો :  Edible Oil Prices : તહેવારોની સિઝન નજીક આવતા ખાદ્યતેલોમાં આગ ઝરતી તેજી, કપાસિયા અને સિંગતેલના ભાવ વધ્યા ; જાણો લેટેસ્ટ રેટ..

Mumbai Local : 30 સપ્ટેમ્બરે છેલ્લી લોકલનું શેડ્યૂલ શું રહેશે?

ચર્ચગેટ-વિરાર લોકલ: ચર્ચગેટથી છેલ્લી લોકલ રાત્રે 11.27 વાગ્યે ઉપડશે અને રાત્રે 1.15 વાગ્યે વિરાર પહોંચશે.

ચર્ચગેટ-અંધેરી લોકલ

ચર્ચગેટથી અંધેરી માટેની લોકલ 1.00 વાગ્યે ઉપડશે અને રાત્રે 1.35 વાગ્યે અંધેરી પહોંચશે.

બોરીવલી- ચર્ચગેટ લોકલ

લોકલ 00.10 વાગ્યે બોરીવલીથી ઉપડશે અને 01.15 વાગ્યે ચર્ચગેટ પહોંચશે.

ગોરેગાંવ-છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ

લોકલ ગોરેગાંવથી 00.07 વાગ્યે ઉપડશે અને 1.02 વાગ્યે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ પહોંચશે.

વિરાર-બોરીવલી લોકલ

વધારાની લોકલ વિરારથી  03.25 વાગ્યે ઉપડશે અને 4.00 વાગ્યે બોરીવલી પહોંચશે.

બોરીવલી-ચર્ચગેટ ધીમી લોકલ

વધારાની લોકલ બોરીવલીથી 04.25 વાગ્યે ઉપડશે અને 05.30 વાગ્યે ચર્ચગેટ પહોંચશે.

 

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More