Mumbai Local : મુંબઈ લોકલ ટ્રેનમાં મુસાફરી કરતી વખતે પાસની સાથે હવે આ ડોક્યુમેન્ટ પણ રાખવું પડશે! નહીં તો થશે કાર્યવાહી..

Mumbai Local : મુસાફરોને અસુવિધા ન થાય તે માટે, ઉપનગરીય રેલ્વેના પાસ ધારક મુસાફરોએ તેમની મુસાફરી દરમિયાન ઓખલા પત્ર પોતાની સાથે રાખવું જોઈએ.

by Hiral Meria
Mumbai Local : Identity card is compulsory along with pass while traveling from local

News Continuous Bureau | Mumbai 

Mumbai Local : તાજેતરના દિવસોમાં નકલી UTS અને લોકલ પાસની વધતી જતી ઘટનાઓએ રેલવે માટે માથાનો દુખાવો વધારી દીધો છે. મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ આને રોકવા માટે મધ્ય રેલવેએ પાસના નિયમોનો કડક અમલ શરૂ કર્યો છે. તદનુસાર, પાસ ધારકોએ સ્થાનિક મુસાફરી ( traveling  ) દરમિયાન આધાર કાર્ડ, પાન કાર્ડ, વાહન લાઇસન્સ અથવા મતદાર કાર્ડ જેવા અસલ ઓળખ ( Identity card ) દસ્તાવેજોમાંથી એક સાથે રાખવાનું ( compulsory  ) ફરજિયાત કર્યું છે. જો કે, રેલવે દ્વારા લેવામાં આવેલા આ નિર્ણય સામે મુસાફરોમાં આકરી પ્રતિક્રિયા જોવા મળી રહી છે અને આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે આ એક બિનજરૂરી હેરાનગતિનો પ્રકાર છે.

દરરોજ 75 લાખથી વધુ લોકો કરે છે મુસાફરી

મુસાફરોની સુવિધા માટે, રેલવેએ UTS એપ દ્વારા ઓનલાઈન ટિકિટ/પાસની સુવિધા પૂરી પાડી છે; પરંતુ મફતિયા મુસાફરો આનો ગેરફાયદો ઉઠાવી રહ્યા છે. સેન્ટ્રલ રેલ્વેએ આને રોકવા અને પાસ ધારકોના રેકોર્ડની જાળવણી માટે નિયમોનો કડક અમલ શરૂ કર્યો છે.
મધ્ય અને પશ્ચિમ રેલવે દ્વારા મુંબઈમાં દરરોજ 3000 થી વધુ લોકલ ટ્રેનો ( Local train ) દોડે છે. તેના દ્વારા દરરોજ 75 લાખથી વધુ મુસાફરો મુસાફરી કરે છે. રસપ્રદ વાત એ છે કે, ટિકિટ વગર મુસાફરી કરતા મુસાફરોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. અગાઉ મુસાફરી માટે જૂના પાસ બતાવીને નવો પાસ સરળતાથી મળી જતો હતો.

આ સમાચાર પણ વાંચો : Sanatan Dharma : સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો સનાતન ધર્મ વિવાદ, ડીએમકે નેતા ઉદયનિધિ અને એ.રાજા સામે આ કાર્યવાહી કરવાની કરી માંગ..

પાસના નવીકરણ માટે હવે અસલ ID જરૂરી

પાસના નવીકરણ માટે આધાર કાર્ડ અથવા અન્ય ઓળખ દસ્તાવેજોમાંથી એક દર્શાવવું ફરજિયાત છે. આ ઉપરાંત, મુસાફરોએ જે ઓળખપત્રના આધારે પાસ મેળવ્યો છે તે મુસાફરી દરમિયાન તેમની સાથે રાખવાનું રહેશે. ઉપરાંત, ટિકિટ ચેકિંગ દરમિયાન, જો અસલ આઈડી કાર્ડની માંગ કરવામાં આવે તો ટીસીએ ‘ડીજી લોકર’માંથી અસલ નકલ અથવા ઈ-આઈડી કાર્ડ બતાવવાનું ફરજિયાત બનાવ્યું છે. મોબાઈલમાંથી ફોટો કોપી તેમાં કામ નહીં કરે. રેલ્વે દ્વારા કહેવામાં આવ્યું છે કે જો ઓળખ પત્ર ન હોય તો સંબંધિત મુસાફર સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી શકે છે.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More