રવિવારે દિવાળીની શોપિંગ માટે બહાર છો – તો વાંચો આ સમાચાર – રેલવેએ આ લાઈન પર રાખ્યો છે મેગા બ્લોક

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

જો તમે રવિવારે(Sunday) દિવાળીની શોપિંગ (Diwali Shopping) માટે બહાર જવાનો પ્લાન બનાવી રહ્યા હોવ તો તમારી માટે મહત્વના સમાચાર છે. મુંબઈ ઉપનગરીય રેલવે લાઈન પર સમારકામ અને તકનીકી કાર્ય (Maintanance work) માટે મધ્ય રેલવે (Central Railway) આવતીકાલે એટલે કે રવિવાર, 16મી ઑક્ટોબર 2022ના રોજ મેગા બ્લોકનું સંચાલન કરશે. 

સેન્ટ્રલ રેલવે લાઇન પર સવારે 11.05 વાગ્યાથી બપોરે 3.45 વાગ્યા સુધી માટુંગા(Matunga) થી થાણે ધીમી લાઇન(Thane slow line) પર મેગા બ્લોક રહેશે.

છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ(CSMT) મુંબઈથી સવારે 10.14 થી બપોરે 3.18 વાગ્યાની વચ્ચે ઉપડતી ધીમા રૂટ પરની ટ્રેનોને માટુંગા અને થાણે સ્ટેશનો વચ્ચેના ફાસ્ટ રૂટ(Fast rout) પર ડાયવર્ટ કરવામાં આવશે. આ ટ્રેનો સાયન, કુર્લા, ઘાટકોપર, વિક્રોલી, ભાંડુપ, મુલુંડ અને થાણે સ્ટેશનો પર થોભશે.

આ સમાચાર પણ વાંચો:   જિમમાં યુવતીઓ આમને-સામને- કસરત કરવા બાબતે જામી પડી- એકબીજાના ખેંચ્યા વાળ- જુઓ વિડીયો 

તેવી જ રીતે સવારે 10.25 થી બપોરે 3.10 વાગ્યા સુધી કલ્યાણ(Kalyan) થી ઉપડતી ધીમી ટ્રેનોને થાણેથી માટુંગા વચ્ચેના એક્સપ્રેસ રૂટ પર ડાયવર્ટ કરવામાં આવશે, માટુંગા ખાતે ધીમા રૂટ પર ડાયવર્ટ થતા પહેલા થાણે, મુલુંડ, ભાંડુપ, વિક્રોલી, ઘાટકોપર, કુર્લા અને સાયન ખાતે થોભશે.

છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી સવારે 11.00 થી સાંજના 5.00 વાગ્યાની વચ્ચે ઉપડનારી/આવનારી તમામ લોકલ નિર્ધારિત સમય કરતાં 15 મિનિટ મોડી પહોંચશે.

હાર્બર રૂટ(Harbour route) પર મેગાબ્લોક

પનવેલ-વાશી હાર્બર રૂટ પર સવારે 11.05 થી સાંજે 4.05 વાગ્યા સુધી મેગાબ્લોક રહેશે.

પનવેલથી ઉપડતી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ મુંબઈ જતી ટ્રેનો સવારે 10.33 થી બપોરે 3.49 વાગ્યા સુધી અને છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ મુંબઈથી પનવેલ/બેલાપુર જતી સવારે 9.45 થી બપોરે 3.12 વાગ્યા સુધી રદ રહેશે.

સવારે 11.02 વાગ્યાથી બપોરે 3.53 વાગ્યા સુધી પનવેલથી ઉપડનારી થાણે તરફ જતી ટ્રાન્સહાર્બર રૂટની ટ્રેનો અને સવારે 10.01 વાગ્યાથી બપોરે 3.20 વાગ્યા સુધી થાણેથી પનવેલ જતી ટ્રાન્સહાર્બર રૂટની ટ્રેનો રદ રહેશે.

આ સમાચાર પણ વાંચો:  મોટા સમાચાર – મુંબઈમાં હવે ડ્રાઇવર સહિત આ લોકો માટે પણ સીટ બેલ્ટ ફરજીયાત- ટ્રાફિક પોલીસે જારી કર્યો આદેશ

બ્લોક સમયગાળા દરમિયાન ઉપનગરીય ટ્રેનો બેલાપુર/નેરુલ અને ખારકોપર વચ્ચે સમયપત્રક મુજબ દોડશે.

બ્લોક સમયગાળા દરમિયાન ટ્રાન્સહાર્બર લાઇન સેવા થાણે-વાશી/નેરુલ સ્ટેશનો વચ્ચે ઉપલબ્ધ રહેશે.

બ્લોક સમયગાળા દરમિયાન છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ મુંબઈ-વાશી સેક્શન પર વિશેષ ઉપનગરીય ટ્રેનો દોડશે.

 

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More