સેન્ટ્રલ રેલવેમાં રવિવારે પ્રવાસ કરવાનો છો? તો વાંચો આ સમાચાર. રેલવેએ રાખ્યો છે આટલા કલાકનો મેગા બ્લોક.

by Dr. Mayur Parikh
- Central Mega Block : Mumbai local alert! Central Railways to operate 63-hour mega block starting tomorrow; 930 trains to remain cancelled

 

News Continuous Bureau | Mumbai

સેન્ટ્રલ રેલવે દ્વારા મુંબઈ ડિવિઝન પર વિવિધ એન્જિનિયરિંગ અને મેન્ટેનન્સના કામો માટે 3 એપ્રિલ 2022 એટલે કે રવિવારે તેના ઉપનગરીય વિભાગો પર મેગા બ્લોક રાખવામાં આવ્યો છે. 

મધ્ય રેલવે પર, 3 એપ્રિલ, રવિવારે, થાણે-કલ્યાણ એક્સપ્રેસવે બંને પર 12 કલાકનો મેગાબ્લોક લેવામાં આવશે. મધ્ય રેલવેએ બહાર પાડેલી અખબારી યાદી મુજબ સવારે 9 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધીઆ બ્લોક રહેશે. CSMTથી ઉપડતી ઝડપી ટ્રેનો સવારે 7.55 થી સાંજે 7.50 સુધી મુલુંડ, થાણે અને કલ્યાણ વચ્ચેના સ્લો રૂટ પર દોડશે. કલ્યાણથી CSMT સુધીની ફાસ્ટ ટ્રેનો કલ્યાણ, થાણે અને મુલુંડ વચ્ચેના સ્લો રૂટ પર દોડશે. પરિણામે, લોકલ ટ્રેનો 10 થી 15 મિનિટના વિલંબ સાથે દોડશે. સીએસએમટી, દાદરથી ઉપડતી મેલ, એક્સપ્રેસ થાણે અને કલ્યાણ વચ્ચેના પાંચમા રૂટ પર દોડશે. આ ટ્રેનો પણ 15 થી 20 મિનિટ મોડી ઉપડશે.

 આ સમાચાર પણ વાંચો : નવી ચાલુ થયેલી બે મેટ્રો રેલને કારણે બેસ્ટના રૂટમાં થશે આ ફેરફાર. જાણો વિગતે

હાર્બર લાઈન પર મેગાબ્લોક

પનવેલ-વાશી હાર્બર રૂટ પર સવારે 11.05 થી સાંજે 4.05 વાગ્યા સુધી મેગાબ્લોક

(બેલાપુર/નેરુલ-ખારકોપર લાઇનને બાદ કરતાં) પનવેલથી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ મુંબઈ સુધીના હાર્બર લાઈન પરની ટ્રેનો સવારે 10.33 થી બપોરે 3.49 વાગ્યા સુધી અને હાર્બર લાઈન પરની ટ્રેનો છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ મુંબઈથી પનવેલ/બેલાપુર સુધીની ટ્રેનો સવારે 9.45 વાગ્યાથી બપોરે 3.12 વાગ્યા સુધી બંધ રહેશે. 

પનવેલથી થાણે સુધીના અપ ટ્રાન્સહાર્બર રૂટ પરની ટ્રેનો સવારે 11.02 વાગ્યાથી બપોરે 3.53 વાગ્યા સુધી અને થાણેથી પનવેલ સુધીના ડાઉન ટ્રાન્સહાર્બર રૂટ પરની ટ્રેનો પણ સવારે 10.01 વાગ્યાથી બપોરે 3.20 વાગ્યા સુધી બંધ રહેશે. બ્લોક સમયગાળા દરમિયાન થાણે-વાશી/નેરુલ સ્ટેશનો વચ્ચે ટ્રાન્સહાર્બર લાઇન ટ્રેન સેવાઓ ઉપલબ્ધ રહેશે.

હાર્બર લાઈન પર અંધેરી અને ગોરેગાંવ સ્ટેશનો વચ્ચે 2 એપ્રિલ 2022ના રોજ રાત્રે 9.00 વાગ્યાથી 3 એપ્રિલ 2022ના રોજ સવારે 7.00 વાગ્યા સુધી ખાસ પરિવહન અને પાવર બ્લોક રહેશે, જેના કારણે હાર્બર લાઈન પર અંધેરી અને ગોરેગાંવ સ્ટેશનો વચ્ચેની ઉપનગરીય ટ્રેનો બંધ કરશે.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More