Site icon

Mumbai local : યાત્રીગણ કૃપયા ધ્યાન દે.. આવતીકાલે પશ્ચિમ રેલવે પર 10 કલાકનો ટ્રાફિક બ્લોક, લોકલ ટ્રેનો થશે પ્રભાવિત! ચેક કરો શેડ્યુલ..

Mumbai local : શનિવારે મધરાત 12.00 વાગ્યાથી ગોરેગાંવ અને કાંદિવલી વચ્ચે 10 કલાકનો મેગાબ્લોક રહેશે. આ મેગાબ્લોક રવિવારે સવારે 10.00 વાગ્યા સુધી રહેશે. પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી વિનીત અભિષેકે માહિતી આપી હતી કે આનાથી મુંબઈના લોકલ ટ્રાફિકને અસર થશે.

Mumbai local WR Announces Major 10-Hour Traffic Block On September 7-8, 52 Local Train To Be Cancelled; More Details Inside

Mumbai local WR Announces Major 10-Hour Traffic Block On September 7-8, 52 Local Train To Be Cancelled; More Details Inside

News Continuous Bureau | Mumbai

 Mumbai local : મુંબઈ લોકલ મુંબઈગરાઓ ની લાઈફ લાઈન ગણાય છે. દરરોજ લાખો મુસાફરો લોકલ ટ્રેન દ્વારા મુસાફરી કરે છે . દરમિયાન લોકલ ટ્રેન દ્વારા મુસાફરી કરનારાઓ માટે મહત્વના સમાચાર છે. પશ્ચિમ રેલવે પર શનિવારે મધરાતથી 10 કલાકનો મેગાબ્લોક લેવામાં આવશે. જેના કારણે મુસાફરોને અસુવિધા થવાની સંભાવના છે. આ ટ્રેનોને કારણે લગભગ 70 ટ્રેનોના સમયપત્રકને અસર થશે. આમાંથી 50 ટ્રેનો રદ થવાની શક્યતા છે.  

Join Our WhatsApp Community

 Mumbai local : આ સમયગાળા દરમિયાન મેગાબ્લોક

પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી વિનીત અભિષેક દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, હાલમાં ગોરેગાંવ-કાંદિવલી વચ્ચે છઠ્ઠી લાઇનનું કામ ચાલી રહ્યું છે અને આ કામ માટે 10 કલાકનો મોટો બ્લોક લેવામાં આવશે. ગણેશોત્સવ એટલે કે 7 સપ્ટેમ્બરના રોજ રાતે 12 વાગ્યાથી 8 સપ્ટેમ્બરના રોજ સવારે 10 વાગ્યા સુધી. તેથી રવિવારે સવારે મુસાફરી કરતા મુસાફરોને ભારે ફટકો પડવાની શક્યતા છે. આ મુસાફરોને વૈકલ્પિક વાહનો અથવા બસ દ્વારા મુસાફરી કરવા વિનંતી કરવામાં આવી છે. રવિવારે સવારે 10 વાગ્યા પછી તમામ લોકલ ટ્રેનો પૂર્વ નિર્ધારિત સમયપત્રક મુજબ દોડશે. આથી, આ બ્લોક રવિવારે બપોરે મુસાફરી કરતા મુસાફરોને અસર કરશે નહીં.

 Mumbai local : ટ્રાફિક પર શું અસર થશે?

પશ્ચિમ રેલ્વે લાઇન પરના આ મેગાબ્લોક દરમિયાન, બોરીવલીથી ગોરેગાંવ સુધીની અપ સ્લો લાઇન પરની તમામ ટ્રેનોને અપ ફાસ્ટ લાઇન પર ડાયવર્ટ કરવામાં આવશે. તેમજ ડાઉન સ્લો રૂટ પરની તમામ ટ્રેનોને અંધેરીથી ડાઉન ફાસ્ટ રૂટ પર ડાયવર્ટ કરવામાં આવશે. રેલવે પ્રશાસને માહિતી આપી છે કે આ ટ્રેનોને ગોરેગાંવ સ્ટેશનના પ્લેટફોર્મ નંબર સાત પર ડાયવર્ટ કરવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો: Badlapur Firing : બદલાપુર ફરી હચમચી ગયું! ભીડના સમયે રેલવે સ્ટેશન પર ફાયરિંગ; મુસાફરોમાં ભયનું વાતાવરણ

 Mumbai local : બ્લોક  દરમિયાન ટ્રેનો 10 થી 20 મિનિટ મોડી દોડશે

ગોરેગાંવ અને બોરીવલી સ્ટેશનો વચ્ચે, બધી ડાઉન સ્લો લાઇન ટ્રેનો લાઇન 5 પર દોડશે. આથી પ્લેટફોર્મ ન મળવાને કારણે આ ટ્રેનો રામ મંદિર, મલાડ અને કાંદિવલી સ્ટેશનો પર રોકાશે નહીં. ઉપરાંત, ચર્ચગેટ અને બોરીવલી વચ્ચેની ધીમી ટ્રેનો માત્ર ગોરેગાંવ સ્ટેશન સુધી જ ચલાવવામાં આવશે. આ બ્લોક સમયગાળા દરમિયાન અપ અને ડાઉન મેલ/એક્સપ્રેસ ટ્રેનોને પણ અસર થશે. રેલવે પ્રશાસને એ પણ માહિતી આપી છે કે આ ટ્રેનો અંદાજે 10 થી 20 મિનિટ મોડી દોડશે. આ બ્લોક દરમિયાન મુસાફરોને અસુવિધાનો સામનો કરવો પડે તેવી શક્યતા છે. તેથી અધિકારીઓએ રેલવે પ્રશાસનને સહકાર આપવા અપીલ કરી છે.

Cocaine: મુંબઈ એરપોર્ટ પર અધધ આટલા કરોડનું કોકેઇન જપ્ત; મહિલાની ધરપકડ
Shinde Sena: મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો: ઠાકરે બંધુઓ નજીક આવતા જ શિંદેસેનાનો ‘ભાવ’ વધ્યો, BJP સમક્ષ મૂકી આ મોટી શરત
Passenger Holding Area: રેલવે પ્રવાસીઓ માટે મોટા સમાચાર! ગીર્દી નિયંત્રિત કરવા બનશે ‘પેસેન્જર હોલ્ડિંગ એરિયા’; મુંબઈમાં કયા સ્ટેશનો પર હશે આ સુવિધા?
Mumbai hostage incident: ૭ કલાકનો હાઈ-વોલ્ટેજ ડ્રામા: મુંબઈના RA સ્ટુડિયોમાં ઓડિશનથી એન્કાઉન્ટર સુધીનો ખેલ, જુઓ બંધક કટોકટીની સંપૂર્ણ ટાઇમલાઇન.
Exit mobile version