મુંબઈ મહાનગરપાલિકા પાણી માં બેસી ગયું, યુવાનોને પહેલી મે પછી વેક્સીન આપવા માટે જરૂરી ડોઝ નથી…

by Dr. Mayur Parikh

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૨૭ એપ્રિલ 2021

મંગળવાર

1લી મે થી ૧૮ થી ૪૪ વર્ષની વય જૂથના લોકો ને વેકેશન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયને બિરદાવતા અને તેમાં પણ યશ ખાટવા માટે મહારાષ્ટ્ર સરકારે તમામ લોકોને મફત વેક્સીન આપવાનું જાહેર કર્યું.

જોકે વેક્સિન ક્યાંથી આવશે તે સંદર્ભે પહેલેથી જ શંકા સેવાઇ રહી હતી. હવે આ સંદર્ભે સરકારી અધિકારીઓના બયાન સામે આવ્યા છે.

મુંબઈના આરોગ્ય સચિવ મીડિયા સાથે વાતચીત દરમિયાન જણાવ્યું કે તેમની પાસે વેક્સિન નો પૂરતો જથ્થો નથી. આ પરિસ્થિતિમાં પહેલી મેથી કઈ રીતે વેક્સિનેશન કાર્યક્રમ આગળ વધશે તે સંદર્ભે અનિશ્ચિતતા પ્રવર્તે છે. ઉલ્લેખનીય છે કે મુંબઈ શહેરમાં ૧૮ થી ૪૪ વર્ષની વયના ૫૦થી ૬૦ લાખ લોકો છે. આ તમામ લોકો માટે ૧ કરોડ ૨૦ લાખ જેટલા ડોઝ ની જરૂર છે. હવે આ ડોઝ સરકાર પાસે ન હોવાને કારણે વેક્સિનેશન કાર્યક્રમ એક તારીખથી અટકી પડે તેવું લાગી રહ્યું છે.

 બીડમાં ચોંકાવનારી ઘટના, એક જ એમ્બ્યુલન્સમાં ૨૦થી વધુ શબ ભરીને અંતિમ સંસ્કાર માટે લઇ જવાયા.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More