Site icon News Continuous Bureau | Mumbai

Mumbai Mega Block Update લોકલ ટ્રેનમાં મુસાફરી કરતા પહેલા સાવધાન! મેગાબ્લોકને કારણે બદલાશે ટ્રેનનો સમય, આજે જ જોઈ લો નવું શેડ્યૂલ.

Mumbai Mega Block Updateમધ્ય, પશ્ચિમ અને હાર્બર લાઇન પર સમારકામ માટે બ્લોક; અનેક ટ્રેનો રદ, કેટલીક ડાયવર્ટ કરવામાં આવશે.

Mumbai Mega Block Update લોકલ ટ્રેનમાં મુસાફરી કરતા પહેલા સાવધાન! મેગાબ્લોકને કારણે બદલાશે ટ્રેનનો સમય, આજે જ જોઈ લો નવું શેડ્યૂલ.

Mumbai Mega Block Update લોકલ ટ્રેનમાં મુસાફરી કરતા પહેલા સાવધાન! મેગાબ્લોકને કારણે બદલાશે ટ્રેનનો સમય, આજે જ જોઈ લો નવું શેડ્યૂલ.

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

Mumbai Mega Block Updateમુંબઈગરાઓની લાઈફલાઈન ગણાતી લોકલ ટ્રેન સેવાઓ માટે આ વીકેન્ડ પર મેગાબ્લોક જાહેર કરવામાં આવ્યો છે. રેલવે દ્વારા વિવિધ સ્ટેશનો પર પ્લેટફોર્મ વિસ્તરણ અને દેખરેખના કામો હાથ ધરવામાં આવનાર હોવાથી શનિવાર રાત્રિથી રવિવાર સુધી ટ્રેન સેવાઓ ખોરવાશે. જો તમે રવિવારે બહાર ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા હોવ, તો મુસાફરી કરતા પહેલા ટ્રેનનું સુધારેલું સમયપત્રક તપાસી લેવું હિતાવહ છે.

મધ્ય અને ટ્રાન્સ-હાર્બર લાઈન પર બ્લોક

મધ્ય રેલવે પર ઠાણે અને ડોંબિવલી સ્ટેશનના પ્લેટફોર્મ વિસ્તરણ માટે શનિવાર રાત્રે 12 વાગ્યાથી રવિવાર સવારના 10 વાગ્યા સુધી બ્લોક રહેશે. આ દરમિયાન મુલુન્ડ-ઠાણે અને દિવા-ડોંબિવલી વચ્ચેની ધીમી લોકલ સેવાઓ પ્રભાવિત થશે. હાર્બર લાઈન પર પનવેલ-વાશી અને ટ્રાન્સ-હાર્બર લાઈન પર પનવેલ-ઠાણે વચ્ચે રવિવારે બ્લોક લેવાશે, જેમાં સવારે 10:01 થી બપોરે 3:53 સુધીની અનેક લોકલ ટ્રેનો રદ રહેશે.

પશ્ચિમ રેલવેમાં જમ્બો બ્લોક

પશ્ચિમ રેલવે પર સાન્તાક્રુઝ અને ગોરેગાવ સ્ટેશન વચ્ચે સવારે 10 થી બપોરે 3 વાગ્યા સુધી બ્લોક રહેશે, જેથી ફાસ્ટ લાઈનની ટ્રેનો ધીમી લાઈન પર દોડશે. આ ઉપરાંત, પાલઘર-ઉમરોલી વચ્ચેના પુલના કામ માટે શનિવારે રાત્રે જમ્બો બ્લોક લેવામાં આવ્યો છે. આ બ્લોકને કારણે કેટલીક ટ્રેનો સંપૂર્ણ રદ રહેશે, જ્યારે કેટલીક ટૂંકા અંતરની કરવામાં આવશે. મુસાફરોએ ખાસ કરીને લાંબા અંતરની મુસાફરી માટે રેલવેના અપડેટ્સ પર નજર રાખવી જરૂરી છે.

મુસાફરો માટે સૂચના

રેલવે તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે કે બ્લોક દરમિયાન મુસાફરોની સુવિધા માટે સીએસએમટી -વાશી વચ્ચે વિશેષ લોકલ ટ્રેનો દોડાવવામાં આવશે. જોકે, મોટાભાગની ટ્રેનો રદ હોવાથી સ્ટેશનો પર ભારે ભીડ થવાની શક્યતા છે. રવિવારે પરીક્ષાઓના અંત પછી લોકો ફરવા માટે બહાર નીકળતા હોય છે, તેથી પ્રવાસીઓને વિનંતી છે કે તેઓ અગાઉથી તેમનું ટ્રાવેલ પ્લાનિંગ કરે અને જરૂર જણાય તો વૈકલ્પિક પરિવહનનો ઉપયોગ કરે.

👉 આ સમાચાર વાચો:
Iran US Tension 2026 હોર્મુઝનો અસલી માલિક કોણ? ટ્રમ્પના દાવા ફગાવતા ઈરાને આપી કડક ચેતવણી

Mumbai। ભાજપના ધારાસભ્ય વિરૂદ્ધ વાંધાજનક ટિપ્પણી કરનારા ૩ સોશિયલ મીડિયા યુઝર્સ સામે ગુનો દાખલ, જુહુ પોલીસ એક્શનમાં
Mumbai Railway Project। રેલ્વે પ્રોજેક્ટને નડતા દાદરના ૨૭ પાકા દબાણો પર બુલડોઝર ફર્યું, સુરક્ષા કર્મચારીઓના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મોટી કાર્યવાહી
Mumbai। સચિન તેંડુલકર જીમખાનામાં ૨૪ લાખની ઉચાપત એક વર્ષથી ફરાર મુખ્ય કેશિયર કાંદિવલી પોલીસના સિકંજામાં
Mumbai Accident। મુંબઈમાં પૂરપાટ ‘બેસ્ટ’ બસે ઘોડાને કચડ્યો, પગ ભાંગતા લોહીલુહાણ હાલતમાં પશુ હોસ્પિટલ ખસેડાયો
Exit mobile version