Mumbai Metro 5 Update: ભિવંડી મેટ્રોનું સપનું થશે સાકાર: ઠાણેથી ભિવંડી સુધી મેટ્રો લાઇન 5 માં ઝડપભેર કામ, આ તારીખથી દોડશે ટ્રેન!

Mumbai Metro 5 Update: ડિસેમ્બર 2026 સુધીમાં પ્રથમ તબક્કાનું કામ પૂર્ણ કરવાની ડેડલાઇન; બસ અને ટ્રાફિકના કકળાટમાંથી ભિવંડીકરોને મળશે કાયમી છુટકારો, 2027માં શરૂ થશે સેવા.

by Janvi Soni
Mumbai Metro 5 Update: Thane-Bhiwandi 'Orange Line' to be completed by December 2026; set to open for public in 2027.

News Continuous Bureau | Mumbai

Mumbai Metro 5 Update:ઠાણે, ભિવંડી અને કલ્યાણને જોડનારી ‘મેટ્રો લાઇન 5’ (ઓરેન્જ લાઇન) ની રાહ જોઈ રહેલા નાગરિકો માટે સારા સમાચાર છે. દહિસર-કાશીગાંવ મેટ્રોના સફળ લોકાર્પણ બાદ હવે ઠાણે-ભિવંડી મેટ્રોના કામમાં ગતિ આવી છે. આ પ્રોજેક્ટ માટે નવી ડેડલાઇન જાહેર કરવામાં આવી છે, જે મુજબ આ વર્ષના અંત સુધીમાં એટલે કે ડિસેમ્બર 2026 સુધીમાં મેટ્રોનું કામ પૂર્ણ થઈ જશે.હાલમાં ઠાણે થી ભિવંડી જવા માટે મુસાફરોએ બસ પર નિર્ભર રહેવું પડે છે, જેમાં ટ્રાફિકને કારણે કલાકોનો સમય વેડફાય છે. ટ્રેન દ્વારા જવા માટે દિવા સ્ટેશનથી મેમુ ગાડી લેવી પડે છે, જેની સંખ્યા ખૂબ ઓછી છે. આ અસુવિધાઓને ધ્યાનમાં લેતા મેટ્રો લાઇન 5 ભિવંડીના લોકો માટે ગેમ ચેન્જર સાબિત થશે.

 જાન્યુઆરી 2027 થી પ્રજા માટે ખુલ્લી મુકાશે

ભાજપના ધારાસભ્ય મહેશ ચૌઘુલે અને MMRDA ના અધિકારીઓએ તાજેતરમાં ભિવંડીમાં મેટ્રોના કામની સમીક્ષા કરી હતી. અધિકારીઓના જણાવ્યા મુજબ, ટેકનિકલ અને ગ્રાઉન્ડ લેવલનું કામ અત્યારે અંતિમ તબક્કામાં છે. બધું આયોજન મુજબ ચાલશે તો જાન્યુઆરી 2027 થી ભિવંડીના નાગરિકો મેટ્રોમાં મુસાફરી કરી શકશે.

આ સમાચાર પણ વાંચો : Mumbai Mega Block Update:મુંબઈગરાઓ સાવધાન! રવિવારે ત્રણેય રેલ્વે લાઈન પર મેગા બ્લોકનો ફાળકો, લોકલનું ટાઈમ ટેબલ વાંચ્યા વગર બહાર ન નીકળતા

25 કિમી લાંબો રૂટ અને પ્રોજેક્ટની વિગતો

મેટ્રો લાઇન 5 એ 25 કિમી લાંબી માર્ગિકા છે જે ઠાણે-ભિવંડી-કલ્યાણને જોડે છે.
પ્રથમ તબક્કો: ઠાણે થી ભિવંડી સુધીનું કામ અત્યારે પ્રગતિમાં છે.
બીજો તબક્કો: ભિવંડી થી કલ્યાણ સુધીના કામનું આયોજન હજુ બાકી છે.
ભિવંડી થી મુંબઈ જવા માટે સીધી રેલ્વે સેવા ન હોવાથી લાખો લોકોએ ઠાણે કે કલ્યાણ થઈને જવું પડે છે, મેટ્રો શરૂ થતા આ મુસાફરી અત્યંત ઝડપી અને સસ્તી બનશે.

 2017 માં મળી હતી મંજૂરી

ઉલ્લેખનીય છે કે MMRDA એ આ પ્રોજેક્ટને 2017 માં મંજૂરી આપી હતી અને 2018 માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે તેનું ખાતમુહૂર્ત થયું હતું. 2020 માં બાંધકામ શરૂ થયા બાદ હવે 6 વર્ષે આ માર્ગ તૈયાર થવા જઈ રહ્યો છે. જોકે, આખી લાઇન (કલ્યાણ સુધી) શરૂ થતા હજુ થોડા વર્ષોની રાહ જોવી પડી શકે છે.

Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More