Site icon

મુંબઈ મેટ્રો: મેટ્રો-7 અને મેટ્રો-2એ આજથી રાતની છેલ્લી ટ્રેનના સમયમાં કર્યો ફેરફાર, અહીં જુઓ નવું ટાઈમ ટેબલ

2 crore cumulative ridership reached on Metro 2A and 7

રાજ્ય સરકારની મોટી જાહેરાત : હવે 'આ' લોકો 25 ટકા ડિસ્કાઉન્ટ પર મેટ્રોમાં મુસાફરી કરી શકશે.. મહારાષ્ટ્ર દિવસથી શરૂ.. વાંચો વિગતવારે

News Continuous Bureau | Mumbai

મુંબઈમાં મેટ્રો-7 અને મેટ્રો-2ની સેવાઓ શરૂ થયા બાદ મુસાફરોનો સારો પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. બંને રૂટ પર મુસાફરોની સંખ્યામાં વધારો થયો છે. મેટ્રો 2A અને 7 પર મુસાફરોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને, તેના સંચાલનના કલાકો વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ રૂટની છેલ્લી મેટ્રો સેવા રાત્રે 10.09 વાગ્યાને બદલે 10.30 વાગ્યા સુધી ચાલશે. 

Join Our WhatsApp Community

વાસ્તવમાં રાત્રિના સમયે મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. હાલ આ બંને રૂટ પર મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે. મુસાફરો તરફથી મળેલા પ્રતિસાદ બાદ મહા મુંબઈ મેટ્રો ઓપરેશન કોર્પોરેશને મેટ્રોનો સમય વધારી દીધો છે.

આ સમાચાર પણ વાંચો:  બિહાર: JDU નેતાનું વિવાદાસ્પદ નિવેદન, આતંકવાદ સામે લડવા માટે આપી વિચિત્ર ફોર્મ્યુલા, ભડક્યું ભાજપ.

મહા મુંબઈ મેટ્રો ઓપરેશન કોર્પોરેશને આજ (મંગળવાર)થી આ નવું ટાઈમ ટેબલ લાગુ કર્યું છે.

અંધેરી પશ્ચિમથી દહિસર પૂર્વ સુધીની છેલ્લી મેટ્રો ટ્રેન 10:09 વાગ્યે દોડતી હતી. નવા ટાઈમ ટેબલ હેઠળ, બે મેટ્રો રાત્રે 10.20 અને 10.30 વાગ્યે ચાલશે. ગુંદાવલીથી દહાણુકરવાડી સ્ટેશનો વચ્ચે પણ છેલ્લી મેટ્રો 0:09 વાગ્યે દોડતી હતી. નવા ટાઈમ ટેબલ હેઠળ, બે મેટ્રો રાત્રે 10.20 અને 10.30 વાગ્યે ચાલશે. MMMOCLના અધ્યક્ષ SVR શ્રીનિવાસના જણાવ્યા અનુસાર, મુસાફરોની સુવિધા માટે મેટ્રો સેવાઓનો સમય વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાલમાં 28 મેટ્રો રેક છે જે બંને લાઇન માટે પર્યાપ્ત છે. જરૂર પડ્યે વધારો કરવામાં આવશે.

Mumbai School Bus Accident: ગિરગાંવમાં સ્કૂલ બસની ટક્કરે 1 વર્ષના માસૂમનો જીવ લીધો, દાદી ગંભીર રીતે ઇજાગ્રસ્ત
Travel Agent Fraud: વિયેતનામની સહેલગાહ પડી ભારે: વિઝા અને પેકેજના નામે ₹8.25 લાખ પડાવનાર ટ્રાવેલ એજન્ટ અંધેરીથી ઝડપાયો
Mumbai Theft Case: મુંબઈના જુહુમાં વરિષ્ઠ નાગરિકના બંધ ઘરમાં ₹5.3 લાખની ચોરી: સોસાયટીના જ બે હાઉસકીપિંગ કર્મીઓની ધરપકડ
Ajit Pawar Plane Crash: અજીત પવારનું મોત કે રાજકીય ષડયંત્ર? વકીલ નીતિન સાતપુતેએ અકસ્માત સામે ઉઠાવ્યા સવાલો, CBI તપાસની માંગ
Exit mobile version