Site icon

Mumbai Metro: મેટ્રો પ્રવાસીઓ માટે સારા સમાચાર, હવે ત્રણેય લાઈનની ટિકિટ પદ્ધતિમાં આવ્યો બદલાવ.. મેટ્રો પ્રવાસ બનશે સરળ..

Mumbai Metro: મેટ્રો 2A અને મેટ્રો 7 લાઇન MMRDA ની માલિકીની છે. તેથી તે લાઇન માટે સંયુક્ત ટિકિટ લઈ શકાય છે. પરંતુ મેટ્રો 1ના રૂટ માટે અલગ ટિકિટ લેવી પડતી હતી. જોકે હવે તમામ રૂટ માટે એક જ ટિકિટ મળી રહેશે..

Mumbai Metro Good news for metro travelers, now there is a change in the ticket system of all three lines.. metro travel will become easier

Mumbai Metro Good news for metro travelers, now there is a change in the ticket system of all three lines.. metro travel will become easier

 News Continuous Bureau | Mumbai

Mumbai Metro: મુંબઈ મેટ્રોએ મેટ્રોમાં મુસાફરી કરતા મુસાફરો માટે નવી સુવિધા શરુ કરી છે. જેના કારણે મુંબઈકરોએ હવે વારંવાર ટિકિટ ( Metro Ticket ) ખરીદવા માટે કતારોમાં ઉભા રહેવું પડશે નહીં. હવે મુસાફરોને તમામ મેટ્રો લાઇન માટે એક જ જગ્યાએથી ટિકિટ મળી રહેશે. હાલમાં, મેટ્રો 1 સિવાય, મેટ્રો 2A અને મેટ્રો 7 (ગુંદવલીથી અંધેરી વેસ્ટ વાયા દહિસર) મુંબઈમાં ચાલી રહી છે. મેટ્રો 2A અને મેટ્રો 7 લાઇન MMRDA ની માલિકીની છે. તેથી તે લાઇન માટે સંયુક્ત ટિકિટ લઈ શકાય છે. પરંતુ મેટ્રો 1ના રૂટ માટે અલગ ટિકિટ લેવી પડતી હતી. જોકે હવે તમામ રૂટ માટે એક જ ટિકિટ મળી રહેશે.. 

Join Our WhatsApp Community

 મેટ્રો 1 ( Metro 1 ) હવે MMRDAના નિયંત્રણ હેઠળ આવશે…

મેટ્રો 1, મેટ્રો 2A અને મેટ્રો 7 ગુંદવલી અને અંધેરી વેસ્ટ સ્ટેશન નજીક જોડાયેલ છે. પરંતુ તેમ છતાં મેટ્રો 1ની ટિકિટ અલગથી લેવી પડતી હતી. જો કે હવે આ રૂટ પણ એમએમઆરડીએ હેઠળ આવ્યા પછી, મુસાફરો ઘાટકોપર-વર્સોવા-ઘાટકોપર અને ગુંદવલીથી અંધેરી પશ્ચિમ એમ ત્રણ રૂટ પરના સ્ટેશનો માટે એક જ સંયુક્ત ટિકિટ મેળવી શકશે.

આ સમાચાર પણ વાંચો  : Mumbai: અંધેરીના આ વિસ્તારમાં કરાયું સ્વિમિંગ પૂલનું ઉદ્ધાટન… 2 એપ્રિલથી થશે શરુ..

ઘાટકોપર-વર્સોવા-ઘાટકોપર, રાજ્યની પ્રથમ મેટ્રો લાઇન આખરે હવે રાજ્ય સરકાર ( State Government ) દ્વારા MMRDAના નિયંત્રણ હેઠળ આવશે. આ રૂટ ખરીદવાના નિર્ણયને સોમવારે રાજ્ય કેબિનેટે મંજૂરી આપી હતી. જેના કારણે હવે પાંચ વર્ષથી અટવાયેલ આ નિર્ણયને આખરે મંજુરી મળી ગઈ છે.

Mira Bhayandar mini cluster: મીરા-ભાઈંદરમાં ઓછામાં ઓછી ૫ ઈમારતોના ગ્રુપને મળશે ‘મિની ક્લસ્ટર’નો લાભ
MNS protest Mumbai: મુંબઈના ગિરગાંવની ગુજરાતી રેસ્ટોરન્ટમાં મરાઠી ભાષા પરથી MNSનો હંગામો; ૧૫ દિવસમાં કાર્યવાહીની માગણી
Devendra Fadnavis: નવા ફોજદારી કાયદાઓના અમલથી પીડિતોને ન્યાયની ગેરંટી મળશે: મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ
Mumbai Airport: આ દિવસે છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ આટલા કલાકો માટે રહેશે બંધ
Exit mobile version