Mumbai: મુંબઈના અંડરવર્લ્ડ ગેંગસ્ટર અરુણ ગવળીને દિવાળીની ઉજવણી માટે મળ્યો પરોલ.. જાણો વિગતે

Mumbai Mumbai underworld gangster Arun Gawli got parole to celebrate Diwali.. Know details

News Continuous Bureau | Mumbai 

Mumbai: અંડરવર્લ્ડ ગેંગસ્ટર ( Underworld Gangster ) અરુણ ગવળી ( Arun Gawli ) આ વર્ષે ઘરે દિવાળી ( Diwali ) ઉજવશે, કારણ કે સુપ્રીમ કોર્ટે ( Supreme Court ) મંગળવારે જેલ સત્તાવાળાઓને શિવસેનાના કાઉન્સિલર કમલાકર જામસાંડેકરની ( Kamlakar Jamsandekar ) હત્યા માટે દોષિત ઠેરવવામાં આવેલા ગેંગસ્ટર અરુણ ગવળી અને અન્ય આરોપીઓને ચાર અઠવાડિયા માટે પરોલ (  Parole ) પર મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો.

સુપ્રીમ કોર્ટે મંગળવારે હત્યાના કેસમાં સજા કાપી રહેલા તમામ આરોપીઓને ચાર અઠવાડિયા માટે પરોલ પર મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે જેલ સત્તાવાળાઓને શુક્રવાર અથવા તે પહેલા આરોપીઓને મુક્ત કરવાનો નિર્દેશ આપ્યો છે, જેથી તેઓ રવિવારે તેમના પરિવાર અને મિત્રો સાથે દિવાળીની ઉજવણી કરી શકશે.

કોર્ટે ઓગસ્ટ 2012માં જામસાંડેકરની હત્યામાં અરુણ ગવળીની ભૂમિકા બદલ દાખલ કરવામાં આવેલી અપીલોની સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે સજા પામેલા ગેંગસ્ટર અને અન્ય લોકોને આજીવન કેદની સજા સંભળાવી હતી. 2019માં બોમ્બે હાઈકોર્ટ દ્વારા આજીવન કેદની સજા યથાવત રાખવામાં આવી હતી, ત્યારબાદ 2020 અપીલ દાખલ કરવામાં આવી હતી..દરમિયાન, ગવળીએ બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેંચ સમક્ષ વહેલી મુક્તિ માટે અરજી પણ કરી હતી.

 શું છે આ સમગ્ર મામલો..

જામસાંડેકરની માર્ચ 2007માં ઘાટકોપરમાં તેમના અસલ્ફા નિવાસસ્થાને ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ગવળીની 21 મે 2008ના રોજ ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારથી તે કસ્ટડીમાં છે.

આ સમાચાર પણ વાંચો :  Mumbai Train: મુંબઈ એસી લોકલ પર પથ્થરમારો, અંતે આ માથાફરેલની કરી અટકાયત… જાણો વિગતે અહીં…

મુંબઈ પોલીસે દાવો કર્યો હતો કે જામસાંડેકરની હત્યાનો કોન્ટ્રાક્ટ કથિત રીતે આરોપી સાહેબરાવ ભીંતાડે અને બાલા સુર્વે દ્વારા આપવામાં આવ્યો હતો, જેઓ બાંધકામ વ્યવસાય અને સ્થાનિક રાજકારણમાં જામસાંડેકરના હરીફો હતા. એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે ભીંતડે અને સુર્વેએ સાકી નાકા ખાતે કાવતરું રચ્યું હતું,. હત્યાને અંજામ આપવા માટે ગવળીને 30 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા.

આ ઉપરાંત, ગવળી વિરુદ્ધ ખંડણીનો કેસ પણ નોંધવામાં આવ્યો હતો, જેની સુનાવણી હજુ પણ વિશેષ મકોકા કોર્ટમાં પેન્ડિંગ છે. તમામ આરોપીઓ દ્વારા દાખલ કરાયેલી અપીલની સુનાવણી ફેબ્રુઆરીમાં થવાની છે, જ્યારે જેલમાંથી વહેલા મુક્ત થવાની તેમની અરજીની સુનાવણી ડિસેમ્બરમાં બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેંચ સમક્ષ થવાની છે.