News Continuous Bureau | Mumbai
Mumbai News : મુંબઈમાં બાંદ્રા-વરલી સી લિંક પરથી એક વ્યક્તિએ કૂદીને આત્મહત્યા કરી હોવાની માહિતી સામે આવી છે. આત્મહત્યાનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. આ અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.
મુંબઈ પોલીસે આ ઘટના વિશે માહિતી આપતાં જણાવ્યું હતું કે ગુરુવારે બપોરે 1 વાગ્યાની આસપાસ, એક વ્યક્તિએ વરલી સી લિંક પરથી કૂદકો માર્યો હતો અને અમને માહિતી મળી હતી કે પોલીસ મદદ માટે તાત્કાલિક ઘટનાસ્થળે આવે. આ પછી, પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ અને સી લિંક પરના પોલ નંબર 83 અને 84 પાસે પહોંચી.
Mumbai News : કારમાંથી નીચે ઉતરીને સી લિંક પરથી દરિયામાં કૂદી ગયો
ઘટનાસ્થળે જ પહોંચતા જ ખબર પડી કે એક વ્યક્તિએ ત્યાં કાર પાર્ક કરી અને કારમાંથી નીચે ઉતરીને સી લિંક પરથી દરિયામાં કૂદી ગયો. વરલી પોલીસે તરત જ વરલી અને બાંદ્રા ફાયર બ્રિગેડને બોલાવી, તેઓએ બેટરીની મદદથી દરિયામાં વ્યક્તિની શોધ કરી, પરંતુ રાત્રિના અંધકાર અને દરિયાના ઊંચા મોજાને કારણે તે મળ્યો ન હતો.
આ સમાચાર પણ વાંચો : Budgam bus accident :કાશ્મીરના બડગામમાં મોટો અકસ્માત, BSF જવાનોથી ભરેલી બસ ઉંડી ખાઈમાં ખાબકી; આટલા જવાનોનું મોત..
સવારે 7:30 વાગ્યે, વરલી પોલીસ સ્ટેશનને માહિતી મળી કે દાદર પોલીસ સ્ટેશનની હદમાં કૂદકો મારનાર વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે. ત્યાર બાદ તેને આગળની કાર્યવાહી માટે નાયર હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો. તે મુંબઈના ગોવંડી ખાતે તેના સંબંધીઓ સાથે રહેતો હતો. એક અધિકારીએ જણાવ્યું કે મૃતકના પરિવારજનોની પૂછપરછ કરવામાં આવી રહી છે, પરંતુ આત્મહત્યા પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.