Site icon

NCBના આ બાહોશ અધિકારીને મુંબઈ પોલીસનું તેડું, જાસૂસી પ્રકરણમાં થશે પૂછતાછ; જાણો વિગત 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 15 ઑક્ટોબર, 2021
શુક્રવાર 
ડ્રગ્સ માફિયાઓની પાછળ હાથ ધોઈને પડેલા નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)ના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેને મુંબઈ પોલીસે સમન્સ મોકલીને હાજર થવાનું ફરમાન કર્યું છે. સમીર વાનખેડેએ તેમની ઉપર પોલીસ દ્વારા જાસૂસી કરવામાં આવી રહી હોવાની લેખિતમાં ફરિયાદ કરી છે. તેમની ફરિયાદને આધારે મુંબઈ પોલીસ કમિશનર હેમંત નાગરાળે તપાસનો આદેશ આપ્યો છે. જાસૂસી પ્રકરણની તપાસ મુંબઈ પોલીસ જ કરવાની છે.

ભારતની આ સદીઓ જૂની પરંપરાને જર્મનીની બે કંપનીઓએ પોતાની શોધખોળ ગણાવી; હવે એમાંથી કરે છે કરોડોનો વ્યાપાર

Join Our WhatsApp Community

“મારો સતત પીછો કરવામાં આવી રહ્યો છે. મારા પર પોલીસ દ્વારા નજર રાખવામાં આવી રહી છે.” એવો સમીર વાનખેડેએ 11 ઑક્ટોબરના દાવો કર્યો હતો. આ પ્રકરણમાં પોલીસને CCTV ફૂટેજ પણ તેમણે આપ્યા હતા તેમ જ પુરાવા પણ તેમણે મુંબઈ પોલીસને આપ્યા હતા.
સમીર વાનખેડેની ફરિયાદ બાદ મુંબઈ પોલીસ આ પૂરા પ્રકરણની તપાસ કરી રહી છે તેમ જ તેમની પૂછપરછ કરવા માટે મુંબઈ પોલીસે સમન્સ પણ મોકલ્યા છે. 

 

Thackeray Brothers Reunion: 23 જાન્યુઆરીએ મુંબઈમાં સર્જાશે ઈતિહાસ! ઉદ્ધવ અને રાજ ઠાકરે એક જ મંચ પર, શું મહારાષ્ટ્રના રાજકારણમાં આવશે નવું તોફાન?
Mumbai Metro 9 Update: મુંબઈ મેટ્રોનું નવું સોપાન! ફેબ્રુઆરીમાં શરૂ થશે દહિસર-ભાઈંદર રૂટ, લોકલ ટ્રેનના ધસારામાંથી મળશે મોટી રાહત; જાણો સ્ટેશનોની વિગત
Navi Mumbai Connectivity: મુંબઈનું નવું લાઈફલાઈન જોડાણ! અટલ સેતુ અને કોસ્ટલ રોડ એકબીજાને મળશે, પનવેલથી મરીન ડ્રાઈવ જવું હવે સપનું નહીં રહે; જાણો માસ્ટર પ્લાન
Mumbai News: મુંબઈના માલાડમાં મેટ્રો પિલર નીચે બસ બની ‘આગનો ગોળો’! વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર વાહનોની લાંબી કતારો; મેટ્રો સેવા પણ ખોરવાઈ
Exit mobile version