Site icon

NCBના આ બાહોશ અધિકારીને મુંબઈ પોલીસનું તેડું, જાસૂસી પ્રકરણમાં થશે પૂછતાછ; જાણો વિગત 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 15 ઑક્ટોબર, 2021
શુક્રવાર 
ડ્રગ્સ માફિયાઓની પાછળ હાથ ધોઈને પડેલા નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)ના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેને મુંબઈ પોલીસે સમન્સ મોકલીને હાજર થવાનું ફરમાન કર્યું છે. સમીર વાનખેડેએ તેમની ઉપર પોલીસ દ્વારા જાસૂસી કરવામાં આવી રહી હોવાની લેખિતમાં ફરિયાદ કરી છે. તેમની ફરિયાદને આધારે મુંબઈ પોલીસ કમિશનર હેમંત નાગરાળે તપાસનો આદેશ આપ્યો છે. જાસૂસી પ્રકરણની તપાસ મુંબઈ પોલીસ જ કરવાની છે.

ભારતની આ સદીઓ જૂની પરંપરાને જર્મનીની બે કંપનીઓએ પોતાની શોધખોળ ગણાવી; હવે એમાંથી કરે છે કરોડોનો વ્યાપાર

Join Our WhatsApp Community

“મારો સતત પીછો કરવામાં આવી રહ્યો છે. મારા પર પોલીસ દ્વારા નજર રાખવામાં આવી રહી છે.” એવો સમીર વાનખેડેએ 11 ઑક્ટોબરના દાવો કર્યો હતો. આ પ્રકરણમાં પોલીસને CCTV ફૂટેજ પણ તેમણે આપ્યા હતા તેમ જ પુરાવા પણ તેમણે મુંબઈ પોલીસને આપ્યા હતા.
સમીર વાનખેડેની ફરિયાદ બાદ મુંબઈ પોલીસ આ પૂરા પ્રકરણની તપાસ કરી રહી છે તેમ જ તેમની પૂછપરછ કરવા માટે મુંબઈ પોલીસે સમન્સ પણ મોકલ્યા છે. 

 

Mumbai Police: મુંબઈમાં ₹૧૫ કરોડનું કોકેઈન મળતાં ખળભળાટ, ડોંગરી પોલીસે આંતરરાષ્ટ્રીય ઇથોપિયા કનેક્શનનો કર્યો પર્દાફાશ!
Mumbai power theft: મુંબઈ: વીજળી ચોરીની ગેંગ્સ દ્વારા સબસ્ટેશનમાંથી ગેરકાયદે કનેક્શન માટે બાળકોનો ઉપયોગ
Mumbai Airport Customs: મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી: ₹૨૨.૭૪ કરોડનો NDPS અને સોનું જપ્ત; ૭ આરોપીઓની ધરપકડ
Mumbai LitFest 2025: લિટરેચર લાઇવ! પ્રતિષ્ઠિત ગોદરેજ એવોર્ડ્સ સાથે મુંબઇ લિટફેસ્ટનું શાનદાર રીતે સમાપન થયું
Exit mobile version