Site icon

NCBના આ બાહોશ અધિકારીને મુંબઈ પોલીસનું તેડું, જાસૂસી પ્રકરણમાં થશે પૂછતાછ; જાણો વિગત 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 15 ઑક્ટોબર, 2021
શુક્રવાર 
ડ્રગ્સ માફિયાઓની પાછળ હાથ ધોઈને પડેલા નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)ના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેને મુંબઈ પોલીસે સમન્સ મોકલીને હાજર થવાનું ફરમાન કર્યું છે. સમીર વાનખેડેએ તેમની ઉપર પોલીસ દ્વારા જાસૂસી કરવામાં આવી રહી હોવાની લેખિતમાં ફરિયાદ કરી છે. તેમની ફરિયાદને આધારે મુંબઈ પોલીસ કમિશનર હેમંત નાગરાળે તપાસનો આદેશ આપ્યો છે. જાસૂસી પ્રકરણની તપાસ મુંબઈ પોલીસ જ કરવાની છે.

ભારતની આ સદીઓ જૂની પરંપરાને જર્મનીની બે કંપનીઓએ પોતાની શોધખોળ ગણાવી; હવે એમાંથી કરે છે કરોડોનો વ્યાપાર

Join Our WhatsApp Community

“મારો સતત પીછો કરવામાં આવી રહ્યો છે. મારા પર પોલીસ દ્વારા નજર રાખવામાં આવી રહી છે.” એવો સમીર વાનખેડેએ 11 ઑક્ટોબરના દાવો કર્યો હતો. આ પ્રકરણમાં પોલીસને CCTV ફૂટેજ પણ તેમણે આપ્યા હતા તેમ જ પુરાવા પણ તેમણે મુંબઈ પોલીસને આપ્યા હતા.
સમીર વાનખેડેની ફરિયાદ બાદ મુંબઈ પોલીસ આ પૂરા પ્રકરણની તપાસ કરી રહી છે તેમ જ તેમની પૂછપરછ કરવા માટે મુંબઈ પોલીસે સમન્સ પણ મોકલ્યા છે. 

 

Crypto Scam Arrest: ₹20,000 કરોડનું ક્રિપ્ટો કૌભાંડ: મુંબઈ એરપોર્ટ પરથી મુખ્ય આરોપીની ધરપકડ, CBI ને મળી મોટી સફળતા
Borivali Railway Station: બોરીવલી સ્ટેશન પર મહિલાની છેડતી પીડિતાએ હિંમત બતાવી પીછો કર્યો, પણ આરોપી ચાલુ ટ્રેને પાટા પર કૂદીને ફરાર
Mumbai Property Tax Update: મુંબઈગરાઓ સાવધાન: ૩૧ માર્ચ સુધીમાં પ્રોપર્ટી ટેક્સ નહીં ભરો તો મિલકત જશે હરાજીમાં, BMCએ ૪૮૩ મિલકતો કરી જપ્ત
Mumbai Vidhan Bhavan Bomb Threat: વિધાનભવનને ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ દોડતી થઈ, બજેટ સત્રની કાર્યવાહી પહેલા ચુસ્ત પોલીસ બંદોબસ્ત
Exit mobile version